________________
Compodium of Jainism – Part (II)
સમતાનો ગુણ કેળવવાના પાંચ રસ્તાઓ
• પોતાની અંદર રહેલા ક્રોધના કારણને શોધો
• ગુસ્સો કર્યા પછીના પરિણામોનો વિચાર કરો
• સામેવાળાના નાદાન સ્વભાવને જુઓ
• આખી પરિસ્થિતિને પોતાના પૂર્વ કર્મોના પરિણામરૂપે જુઓ
.
સમતા અને ક્ષમાના ફાયદા વિશે વિચારો
ગુસ્સાનું મૂળ કારણ આપણું સુખ કે દુઃખ જે આપણી બહારની ભૌતિક વસ્તુઓ પર આધાર રાખે છે. આપણે ભૂલી જઈએ છે કે સુખ કે દુઃખનું કારણ આપણે પોતે જ છીએ. જયારે કોઈ પોતાની આત્માના શુદ્ધ સ્વરૂપને સમજે, તેના સાચા સ્વભાવનો અનુભવ કરે અને સમ્યગ દર્શન સાથે રહે ત્યારે તેને ઉત્તમ સમતા કહેવાય છે.
D.5.2.1.2 માર્દવ (નમ્રતા)
હૃદયની મૃદુતા અને દરેક જીવ પ્રત્યે નમ્રતાની ભાવના રાખવી એટલે માર્દવ. જો કોઈની પાસે સારી વસ્તુઓ કે વ્યક્તિ હોય તો તેના માટે તેને અભિમાન આવે છે અને ન હોય તો તે નાસીપાસ થઇ જાય છે. આ બંને પરિસ્થિતિમાં નમ્રતા કે મૃદુતા નથી. નિષ્ફળતા ક્રોધની જનની છે અને સફળતા એ અભિમાનની. અભિમાન સ્વમાનથી અલગ છે, સ્વમાન ઘમંડ નથી.
આ ગુણ કેળવવા માટે આપણે આપણા જ્ઞાન, સત્તા, કુળ, જાતિ, બળ, સંપત્તિ, તપ કે સુંદરતા માટે અતિમાન કરવું જોઈએ નહિ
જૈન દર્શન માને છે કે દરેક જીવ સમાન છે પછી ભલે તે મનુષ્ય હોય કે નિગોદ હોય. અને જો દરેક જીવ સમાન હોય તો પછી પોતાને બીજાથી મહાન કે મહત્વનું માનવાનો કોઈ મતલબ નથી. આ કારણથી માનથી યુક્ત રહેવાનું કોઈ કારણ નથી. શ્રીમદ રાજચંદ્ર કહે છે કે જો કોઈ અભિમાનથી દૂર રહે તો તેને મુક્તિ ઝડપથી મળે છે.
D.5.2.1.3 આર્જવ(સરળતા)
માનસિક ટાપટીપથી દૂર રહેવું - મન, વિચાર અને કાયાની ક્રિયાઓનું એકત્વ હોવું એટલે આર્જવ કે સરળતા. જે વ્યક્તિ સરળ હોય છે તે સાદગીથી જીવે છે, તે જે વિચારે છે એ જ બોલે છે. જે માણસ માયાથી ભરેલો હોય તે વિચારે છે કંઈક, બોલે છે કંઈક અને કરે છે કંઈક.
મજબૂત માણસ પોતાનું કામ કરાવવા ક્રોધનો સહારો લે છે. તે પોતાનું જોર બતાવીને બીજાને દબાવી દે છે અને પોતાનું કામ કરાવે છે. નબળો માણસ માયાનો સહારો લઇને પોતાનું કામ
Page 66 of 307