SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ ૮. ત્યાગ દાન ૯. અકિંચન્ય અપરિગ્રહ ૧૦. બ્રહ્મચર્ય પવિત્રતા Compodium of Jainism - Part (II) કોષ્ટક D.5-B આ દસ સદ્દગુણો આત્માના શુદ્ધ અને કષાયમુક્ત ચારિત્રના ગુણધર્મો છે. 'ઉત્તમ' શબ્દ આગળ લગાવવાથી તે સમ્યગ દર્શન અને સમ્યક ચારિત્રનું ચોક્કસ અસ્તિત્વ સૂચવે છે. આ પવિત્ર ગુણો શુદ્ધ આત્મામાં અવશ્યપણે હોય છે અને મિથ્યાત્વથી ભરેલી અજ્ઞાન આત્મા પાસે હોતા નથી. આમ જોવા જઈએ તો દરેક જીવો માટે સમ્યગ દર્શન અને સમ્યક ચારિત્ર આધ્યત્મિક પ્રગતિના પાયારૂપ છે. સમ્યક ચારિત્રના વૃક્ષનો વિકાસ થવા માટે સમ્યગ દર્શન અને સમ્યગ જ્ઞાન તેના મૂળ જેવા છે. D.5.2.1.1 ક્ષમા(માફી અને સમતા) ક્ષમાનો અર્થ છે ક્રોધને આવવા જ ન દેવો અને જો આવે તો આંતરિક શક્તિ દ્વારા તેને અસફળ બનાવી દેવો. સમતા એટલે જ માફી. સમતા એ શુદ્ધ આત્માનો સ્વભાવ છે. ક્ષમાનો આશરો લેવાથી આત્માના એવા સ્વભાવનું નિર્માણ થાય છે જે ક્રોધથી મુક્ત છે. આત્મા સાથે ક્રોધ અનાદિ સમયથી જોડાયેલો છે અને આથી આત્માનો મૂળ ગુણ એટલે કે સમતા એ ખીલી શકતો નથી. વેરવૃત્તિ ક્રોધનું ખરાબમાં ખરાબ સ્વરૂપ છે. જયારે કોઈ અણગમતી પરિસ્થિતિ સામે તત્કાલ પ્રતિક્રિયા આપે તો તેને ગુસ્સો કહે છે. પણ જો તે એ સમયે રાહ જોવે અને મનમાં ભરી રાખે તો તેનો સ્વભાવ વેરવૃત્તિથી ભરેલો બની જાય છે. ગુસ્સામાં માણસ તે જ સમયે તેનો પ્રતિભાવ આપી દે છે પણ વેરમાં તે મનમાં ભરી રાખે છે અને ભવિષ્યમાં બદલો લેવાની યોજનાઓ બનાવે છે. વેરભર્યો સ્વભાવ સામાન્ય ગુસ્સા કરતા ખૂબ જ ખતરનાક છે. ગુસ્સો આગ જેવો છે જે એ સમયે બધું બાળી નાખે છે પરંતુ વેર તો તમને અંદરથી હંમેશા સળગતા જ રાખે છે. (ગુસ્સાના પ્રકાર માટે B.8.5.2.4.1 જુઓ) • કેવળજ્ઞાની ભગવાનને એક પણ પ્રકારનો ક્રોધ હોતો નથી • પ્રબુદ્ધ સાધુ પહેલા ત્રણ પ્રકારના ક્રોધથી મુક્ત હોય છે • અમુક વ્રત સાથે શ્રાવકાચાર પાળનાર પહેલા બે પ્રકારના ક્રોધથી મુક્ત હોય છે · વ્રત ન પાળતા શ્રાવકો પ્રથમ પ્રકારના ક્રોધથી મુક્ત હોય છે. • પહેલા ગુણસ્થાનમાં રહેલા મિથ્યાત્વી જીવોને દરેક પ્રકારનો ક્રોધ હોય છે. Page 65 of 307
SR No.000027
Book Title$JES 904 Compendium of Jainism Part 02 Gujarati (Translation of Jain Academic Bowl Manual 4th Edition)
Original Sutra AuthorN/A
AuthorJAINA India Foundation
PublisherJAINA India Foundation
Publication Year2022
Total Pages324
LanguageGujarati
ClassificationJaina_Education, Book_Gujarati, 0_Jaina_education, & JAINA Books
File Size
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy