SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ Compodium of Jainism – Part (II) "ઉશન" નો બીજો અર્થ છે નજીક રહેવું. આપણે સ્વાધ્યાય(સ્વનો અભ્યાસ), ધ્યાન અને તપ દ્વારા આપણા આત્માની નજીક રહીએ છે (આત્માની સાચી પ્રકૃતિ અને ગુણધર્મો ને યાદ કરીએ છે). • પરી + ઉપશમન = બધા પ્રકારના + દબાવી દેવા. દરેક પ્રકારના કષાય(ક્રોધ, માન, માયા, લોભ) ને દબાવી દેવા. જૈન દર્શન પ્રમાણે આપણા જીવનનો ધ્યેય પોતાના સાચા સ્વરૂપની અનુભૂતિ કરવાનો અને પૂર્ણતા, શાંતિ, કરુણા અને જીવદયાનો અનુસવ કરવાનો છે. આથી પર્યુષણનો સાચો અર્થ આપણી ભૂલોને સમજીને તેને સુધારીને, આપણી ભૂલો માટે માફી માંગીને, અને ઓછામાં ઓછી ભૂલો કરવાનો નિયમ લઈને આપણી આત્માને શુદ્ધ કરવાનો છે. પર્યુષણ દરમ્યાન આપણે સંસારના કામો ઓછા કરીને પોતાના આત્માના ગુણો પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. પર્યુષણ આપણી આખા વર્ષ દરમ્યાન થયેલી ભૂલોની આલોચના કરવાનો અને તેના માટે પશ્ચાતાપ કરવાનો અવસર છે. આ સમય દરમ્યાન આપણે તપ કરીને આપણા કષાયો અને બીજા દુર્ગુણો ઓછા કરીને કર્મ ખપાવીએ છે. તપ, ભૌતિક સુખો માટેની પોતાની ઈચ્છાઓનો કાબુ એ આધ્યાત્મિક તાલીમનો ભાગ છે. આ સમય દરમ્યાન અમુક લોકો આઠ કે દસ દિવસના ઉપવાસ કરે છે. જો કે શાસ્ત્રો ઓછામાં ઓછા ૩ દિવસ માટે ઉપવાસ કરવાનું સૂચવે છે. જોકે છેલ્લા દિવસે ઉપવાસ કરવું લગભગ ફરજિયાત માનવામાં આવે છે. ઉપવાસમાં કઈ પણ ખાવાનું કે પીવાનું હોતું નથી પણ સવારે ઉકાળીને ઠંડુ કરેલું પાણી દિવસ દરમ્યાન વાપરી શકાય છે. જો કોઈ ઉપવાસ ન કરી શકે તો ફક્ત એક વખત ભોજન કરવું પણ મર્યાદિત ઉપવાસ ગણવામાં આવે છે. આ સમય દરમ્યાન દેરાસરો અને ઉપાશ્રયોમાં જુદા જુદા સમારોહ થાય છે. પ્રથમ ત્રણ દિવસ દરમ્યાન સાધુ અને સાધ્વી પ્રવચનમાં શ્રાવક અને શ્રાવિકાના પર્યુષણના પાંચ કર્તવ્યો સમજાવે છે. D.5.1.1 પર્યુષણના પાંચ કર્તવ્યો ૧. | અમારિપ્રવર્તન અહિંસાભર્યું જીવન જીવવું, અહિંસક સમાજ માટે કામ કરવું, પ્રાણીઓના કલ્યાણની પ્રવૃત્તિમાં સહકાર આપવો ૨. | સાધર્મિક વાત્સલ્ય | સાધર્મિકોનો આદર કરવો અને માણસાઈના કામોમાં સહકાર આપવો 3. અઠ્ઠમ તપ ૪. | ચૈત્ય પરિપાટી ૫. ક્ષમાપના કોષ્ટક D.5-A Page 62 of 307 પર્યુષણમાં સળંગ ૩ દિવસ ઉપવાસ કરવો જુદા જુદા જૈન દેરાસર, પુસ્તકાલયો, ઉપાશ્રયોની મુલાકાત લેવી અને બીજી ધાર્મિક અને દાન-પુણ્ય કરતી સંસ્થાઓને સહાય કરવી આપણી ભૂલોનો પશ્ચાતાપ કરવો, બીજાને માફ કરવા અને બીજા પાસેથી માફી મંગાવી
SR No.000027
Book Title$JES 904 Compendium of Jainism Part 02 Gujarati (Translation of Jain Academic Bowl Manual 4th Edition)
Original Sutra AuthorN/A
AuthorJAINA India Foundation
PublisherJAINA India Foundation
Publication Year2022
Total Pages324
LanguageGujarati
ClassificationJaina_Education, Book_Gujarati, 0_Jaina_education, & JAINA Books
File Size
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy