SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ Compodium of Jainism – Part (II) શ્વેતામ્બર સંપ્રદાયમાં ચોથા થી છેલ્લા દિવસ સુધી ઈ.સ.પૂર્વે ૩જી શતાબ્દીમાં આચાર્ય ભદ્રબાહુએ લખેલો કલ્પસૂત્ર નામનો ગ્રંથ સંઘ સમક્ષ વાંચવામાં આવે છે. કલ્પસૂત્ર ભગવાન મહાવીર અને બીજા તીર્થંકરોનું જીવનચરિત્ર, શ્રાવકના આચાર અને સાધુજીવનને સમજાવે છે. પાંચમા દિવસે ભગવાન મહાવીરના માતા (ત્રિશલા) ના પવિત્ર સપનાઓને ખાસ સમારોહમાં ઉજવવામાં આવે છે. પર્યુષણનો છેલ્લો દિવસ સંવત્સરી તરીકે ઓળખાય છે. આખા વર્ષ દરમ્યાન કરેલા આપણા પાપોનો પશ્ચાતાપ કરવાનો અને માફી માંગવાનો આ છેલ્લો દિવસ સૌથી અગત્ય નો છે. ૭ દિવસ તપ કરીને અને આત્માને તૈયાર કરીને શ્વેતામ્બર પરંપરામાં આ દિવસે પ્રતિક્રમણ કરાય છે. તેઓ પરિવારજનો, મિત્રો અને દરેક જીવની માફી માંગે છે. D.5.1.2 કલ્પસૂત્ર પરંપરાથી શ્વેતામ્બર સમુદાય માટે એક મહત્વનો ગ્રંથ કલ્પસૂત્ર છે, અંગ-બાહ્ય આગમના આઠમા પ્રકરણ દશ-શ્રુત-સ્કંધ માંથી લેવામાં આવેલ આ ગ્રંથ પર્યુષણના ચોથા થી આઠમા દિવસ સુધી વાંચવામાં આવે છે. કલ્પ એટલે એવી ક્રિયાઓ જે ધાર્મિક જ્ઞાન, ચારિત્ર અને આત્મ-સંયમને વધારે, કલ્પસૂત્રમાં ચાતુર્માસ દરમ્યાન સાધુજીવનના આચારો, તીર્થંકરોનું જીવનચરિત્ર, ગણધર પછીની પાટ પરંપરા વગેરેનું વર્ણન છે. આચાર્ય ભદ્રબાહુ એ આ ત્રણ પ્રકરણો અર્ધ-માગધી ભાષામાં ઈ.સ.પૂર્વે ૩જી સદીમાં લખ્યા જેમાં ૧૨૧૬ શ્લોકો હતા. જે કલ્પસૂત્ર નામે ઓળખાયા. ઈ.સ. ૪૫૩માં વલ્લભીપુર વાંચનામાં પ્રથમ વખત આ ગ્રંથો તાડપત્રીની ઉપર લખવામાં આવ્યા. મૈં ફક્ત સાધુઓ તેમની વચ્ચે જ પર્યુષણમાં વાંચી સકતા પરંતુ જ્યારથી દેવર્ધિગણિએ વલ્લભીના રાજા ધ્રુવસેન સમક્ષ તેને પોતાના પુત્રના મૃત્યુના શોકમાંથી બહાર કાઢવા કલ્પસૂત્ર વાંચ્યું ત્યાર બાદ ૧૫૦૦ વર્ષથી તે જાહેરમાં વંચાય છે. ૧૮૭૯માં જર્મન વિદ્વાન હર્મન જેકોબી એ પ્રથમ વખત કલ્પસૂત્રનું ભાષાંતર કરીને તેને છાપ્યું. તેમાં ભગવાન મહાવીરના જીવનનું તેમ જ તેમના આગળના ૨૭ ભવનું વિસ્તૃત વર્ણન છે. માતા ત્રિશલાના સ્વપ્નોનું કાવ્યાત્મક વર્ણન, તીર્થંકર મહાવીરનો જન્મ મહોત્સવ, તેમના બાળપણના અમુક કિસ્સાઓ દીક્ષાનો વરઘોડો, તેમના ચારિત્ર જીવનમાં થયેલા ઉપસર્ગો, કેવળજ્ઞાનનું ઉજાગર થવું, નિર્વાણ વગેરેનું તાદશ વર્ણન મન પર સુંદર છાપ છોડે છે. અને તેનું વાંચન સુંદર વાતાવરણ ઉભું કરે છે. તીર્થંકર ઋષભદેવ, નેમિનાથ અને પાર્શ્વનાથના જીવન ચરિત્રો પણ અહીં વર્ણવવામાં આવ્યા છે. સંવત્સરીના દિવસે આખું શાસ્ત્ર ખુબ જ આદરપૂર્વક વાંચવામાં આવે છે. કલ્પસૂત્રનો અને હસ્ત લિખિત પ્રતો જોવા મળે છે અને તે પણ અદભૂત ચિત્રો સાથે. D.5.1.3 સંવત્સરી - ક્ષમાપનાનો દિવસ પર્યુષણ પર્વનો છેલ્લો દિવસ એટલે કે સંવત્સરી પર્યુષણનો સૌથી મહત્વનો દિવસ છે. આ દિવસે Page 63 of 307
SR No.000027
Book Title$JES 904 Compendium of Jainism Part 02 Gujarati (Translation of Jain Academic Bowl Manual 4th Edition)
Original Sutra AuthorN/A
AuthorJAINA India Foundation
PublisherJAINA India Foundation
Publication Year2022
Total Pages324
LanguageGujarati
ClassificationJaina_Education, Book_Gujarati, 0_Jaina_education, & JAINA Books
File Size
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy