________________
Compodium of Jainism - Part (II)
સચ્ચાઈ અને નૈતિકતાના માર્ગ પર ચાલતા ચાલતા મહેનતનું જીવન જીવવું, શુદ્ધ અને ઉપયોગી જ્ઞાનને શિષ્યોમાં ઉતારવું, આદર્શ અને ઉમદા વિચારોનો લોકોમાં પ્રસાર કરવો, સત્કાર્યો પાછળ પોતાનું જીવન વિતાવવા કોઈને બોધ કરવો. આ બધું પૈસાનું દાન કરવા કરતાં પણ મહાન છે. જ્ઞાનનું દાન પૈસાનાં દાન કરતાં ખૂબ જ ચઢિયાતું છે. સેવા દાન કરવાનું શ્રેષ્ઠ સ્વરૂપ છે.
દાન કરવાના ચાર હેતુ:
• અન્યાયી કમાઈ જેવા પાપથી દૂર રહેવું અને ભૂતકાળમાં કરેલા આવા પાપ બદલ પશ્ચાતાપ કરવો.
• વધારાની સંપત્તિને પોતાની સગવડતા પાછળ વાપર્યા બાદ સત્કાર્ય પાછળ વાપરવી. ♦ સંપત્તિથી શાળાઓ, હોસ્પિટલ, ધાર્મિક સ્થાનો વગેરે બંધાવા જેવા પરોપકારી કાર્યો કરવા. • સારા માણસો, સંતો અને વિદ્વાનોની સેવા કરવી.
ભગવતી સુત્રમાં ગૌતમ સ્વામી ભગવાનને પૂછે છે કે, "ભગવાન સુધી પહોંચવા માટેના કેટલા રસ્તા છે?" ભગવાન જવાબ આપે છે, "દુનિયામાં જેટલા અણુઓ રહેલા છે તેટલા જ રસ્તાઓ છે, પરંતુ શ્રેષ્ઠ અને ટૂંકામાં ટૂંકો રસ્તો એ સેવા છે." આ સાથે ભગવાન મહાવીર એવું પણ સમજાવે છે કે જે બીમાર અને દુઃખી માણસોની શ્રદ્ધાપૂર્વક સેવા કરે છે તે મારી સેવા કરે છે અને જે મારી સેવા કરે છે તે સમ્યગ શ્રદ્ધાથી દુઃખી અને બીમારની સેવા કરે છે.
દાન એટલે
•
દાનમાં અભિમાન કે લોભનું કોઈ સ્થાન નથી.
• બીજાઓની સેવામાં પોતાને સંપૂર્ણપણે સોંપી દેવું જ્ઞાનનું સર્વોચ્ચ સ્વરૂપ છે.
• કોઈને સાચો અને સારો રસ્તો દેખાડવો.
•
શુદ્ધ અને ઉપયોગી જ્ઞાનને કોઈમાં ઉતારવું.
• જ્ઞાનનું દાન એ પૈસાનાં દાન કરતાં ચડિયાતું છે.
• સેવા પણ દાનનું શ્રેષ્ઠ સ્વરૂપ છે.
દિગંબર સંપ્રદાયના છ આવશ્યકો શ્વેતામ્બર સંપ્રદાયમાં પણ શ્રાવક અને શ્રાવિકા માટે દૈનિક ક્રિયાઓના ભાગ રૂપે અપનાવવામાં આવ્યા છે. વધારામાં કેટલાક જૈન વિશિષ્ટ ક્રિયાઓને પણ અનુસરે છે જેમાં કેટલીક વિશેષ વિધિઓ, ખાવામાં સંયમ અને ઉપવાસ વગેરે આત્મસંયમ અને વીતરાગતા માટે જરૂરી છે.
Page 60 of 307