________________
Compodium of Jainism - Part (II)
જો યોગ્ય પ્રમાણમાં અને યોગ્ય રીતે ઉપવાસ કરવામાં આવે તો તે શારીરિક સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. તે સહનશીલતા કેળવે છે. ઉપવાસ શબ્દ એ 'વાસ' શબ્દમાંથી ઉતારવામાં આવ્યો છે. 'વાસ' એટલે કે ઘર અથવા તો વસવું. તેની આગળ 'ઉપ' શબ્દ લગાવવાથી પોતાની આત્માની નજીક વસવું એટલે ઉપવાસ શબ્દ બને છે.
ટૂંકમાં બાહ્ય તપો કરવાથી શુદ્ધ લક્ષ્યોને મેળવી શકાય છે જેમકે રોગોથી દૂર રહેવું, સહનશીલતા કેળવવી જેથી ભવિષ્યમાં બીજાઓની સેવા માટે, ભણવા માટે, શાસ્ત્રોનો અભ્યાસ કરવા માટે, મગજને શુદ્ધ કરવા વગેરે કાર્યોમાં કઠિનાઈઓનો સમતાથી સામનો કરી શકીએ. બાહ્ય તપ આંતરિક તપ માટેની પૂર્વ તૈયારી છે.
તપ એટલે
♦ કોઈ ઉમદા કાર્યમાં સંપૂર્ણપણે ખોવાઈ જવું
• બીજાઓની આદર સહિત સેવા કરવી
પોતાને સોંપવામાં આવેલું અર્થ પ્રમાણિકતાથી કરવું
D.4.3.6 દાન
પોતે કાયદેસર રીતે મેળવેલી વસ્તુઓ બીજાને આપી દેવી એટલે દાન. દાન વડે લોભથી ઉપર ઉઠી શકાય છે. દાનમાં અભિમાનનું કોઈ સ્થાન નથી. દાન જરૂરિયાતમંદ અને લાયકાતવાળા વ્યક્તિઓને યોગ્ય સમયે અને યોગ્ય સ્થળે થવું જોઈએ.
પોતાની બધી જ વસ્તુઓનો ત્યાગ કરીને વિશ્વાસપૂર્વક બધાની સેવા કરવી એ દાનનું શિખર છે. એક વ્યક્તિ જેણે પોતાની બધી જ વસ્તુઓ ત્યાગ કર્યો છે અને જે લઘુત્તમ જરૂરિયાતોથી સંતોષ પામે છે, બીજું કશું પ્રાપ્ત કરવાની તેનામાં ઈચ્છા નથી અને તેની બધી જ ઉર્જા ઉમદા કાર્યો પાછળ ખર્ચે છે, સમાજ પાસેથી ઓછામાં ઓછું મેળવે છે અને વધારે વધારે આપે છે તે પોતાના અને બીજાના ઉદ્ધાર માટે કાર્યરત છે. જે પોતાની આધ્યાત્મિક સમજને લોકો સુધી ફક્ત શુદ્ધ પ્રેમ માટે પહોંચાડે છે. ત્યારે તેનું જ્ઞાન અને સેવા અસંખ્ય સંપત્તિ કે પૈસાના દાન કરતા અને અમીર વ્યક્તિના દાન કરતા પણ મહાન બને છે. ભગવાન મહાવીર અને બીજા સંતો કે જેમણે તેમની સંપતી છોડીને લોકોની સેવા કરી છે તેઓ અમીર વ્યક્તિ કરતા અને જેમણે અસંખ્ય દાન આપેલું છે તેમના કરતાં પણ મહાન દાતા છે. જેમ જરૂરિયાત મંદોને પૈસાથી મદદ કરવી એ દાન છે તે જ રીતે કોઈને પોતાના વચનોથી સાચો રસ્તો બતાવવો, કોઈને સદગુણો ભરેલી સલાહ આપવી, પોતાના વચનથી કોઈનું સારું કરવું તે પણ દાનનું જ સ્વરૂપ છે. આમ આપણે દાનનું આવશ્યક ઘણી બધી રીતે કરી શકીએ છે. એવી વસ્તુઓનું દાન કરવું જે વસ્તુની તે વખતે તે દાનની ખૂબ જ જરૂર હોય તો એ વખતે તે મહાદાન છે.
Page 59 of 307