________________
Compodium of Jainism – Part (II)
D.4.3.4 સંયમ - નિયંત્રણ અને શિસ્ત
સંયમ એટલે પોતાની ઇન્દ્રિયો, મન, વચન, વિચારો, ઈચ્છાઓ, ક્રોધ અને લોભ ઉપર કાબૂ રાખવો. ઉમદા આદર્શ એવી પરિસ્થિતિ છે જે મનુષ્યને સ્વ-નિયંત્રિત અને સ્વ-શિસ્તબદ્ધ રાખે છે. સંયમ અને શ્રેષ્ઠ આચારોના પાલન માટે યોગ્ય વાતાવરણ હોવું ખૂબ જ જરૂરી છે. ટૂંકમાં સંયમ પ્રત્યેનો સાચો આદર, ઉમદા આદર્શો, સદગુણો અને સદચારિત્ર્યવાળાની ભક્તિ અને યોગ્ય વાતાવરણ એ બધું ભેગું મળીને સંયમના પાલનને શક્ય બનાવે છે.
સંયમ એટલે
• ઈન્દ્રિયો, મન, વચન અને વિચારો પર કાબૂ
• ઈચ્છાઓ, ક્રોધ અને લોભ પર કાબૂ
• ધ્યાન કરવામાં મદદ કરે છે
• ઇન્દ્રિયોને કાબૂમાં લઈને મનને શુદ્ધ કરીને અંતર તરફ વાળે છે
• આધ્યાત્મિક શાંતિ મેળવી આપે છે
•
સારા વિચારો પર મનન કરવું
. જ્ઞાન મેળવવું અને તેને વ્યવહારમાં લાવવું
D.4.3.5 તપ
બાહ્ય તપ જેવા કે ઉપવાસ વગેરેનું મહત્વ તેની પાછળ રહેલા ઉમદા હેતુ પર અને તપ કરતી વખતે રહેલી માનસિક શુદ્ધતા પર રહેલું છે. જો માણસ ખોરાક પ્રત્યેનો લગાવ યોગ કે ધ્યાન કરવા માટે, ઇન્દ્રિયોના સંયમ માટે, મનને શુદ્ધ કરવા માટે, અંતર તરફ વળવા માટે, આધ્યાત્મિક શાંતિ મેળવવા માટે, સારા વિચારોનું મનન કરવા માટે, આત્માને ઉન્નત કરે તેવા કાર્યો કરવા માટે અથવા બીજા કોઇ પણ સારા કાર્ય કરવા માટે છોડે છે તો તે ઉપવાસનો આધ્યાત્મિક ફાયદો છે. જ્ઞાન મેળવવા અને તેનું પાલન કરવા માટે હંમેશા કાર્યરત રહીને સંતોએ આધ્યાત્મિક રીતે ઉન્નત કરે તેવી કૃતિઓની રચના કરી છે. તેમના જ્ઞાનને મેળવવા માટેના ભક્તિ ભર્યા પ્રયત્નો, તત્વજ્ઞાન અને ધર્મની દ્રષ્ટિએ વખાણવાલાયક કૃતિઓનો સતત અભ્યાસ કરવો તથા સદગુણોથી ભરેલી ઉન્નત કૃતિઓની રચના કરવી આ બધું તપનું ઉચ્ચતમ સ્વરૂપ છે.
આ સર્વોત્તમ કાર્યને શરૂ કરવું, તે કરતી વખતે પોતાની ભૂખ, તરસ, શારીરિક પીડા વગેરે ભૂલી જઈને તેમાં સંપૂર્ણપણે ડૂબી જવું તે પણ તપનું એક સ્વરૂપ છે. આમ પોતાના આત્માને શુદ્ધ કરવા માટે તથા આદરણીય અને વડીલોની સેવા કરવાનો શુદ્ધ ઉમંગ તે પણ તપનું એક સ્વરૂપ છે. બસ ફક્ત આ જ નહીં પરંતુ પોતાને સોંપવામાં આવેલું કામ સંપૂર્ણ પ્રમાણિકતાથી કરવું તે પણ તપનું એક સ્વરૂપ છે. પોતાની ફરજ પ્રત્યે નિષ્ઠાવાન રહેવું તે પણ એક તપ છે.
Page 58 of 307