________________
Compodium of Jainism – Part (II)
દેવજા એટલે
•
• આંતરિક અશુદ્ધિઓને દૂર કરવી.
• વિચારોને શુદ્ધ કરવા.
• સારી માનસિક અવસ્થા કેળવવી અને આધ્યાત્મિક શક્તિઓનો વિકાસ કરવો.
સારા ચારિત્રનું ઘડતર કરવું તથા પ્રમાણિક અને ન્યાયપૂર્ણ જીવન જીવવું. D.4.3.2 ગુરુ-ઉપાસ્તિ - વડીલોની સેવા અને આદર કરવા
ગુરુ એટલે વડીલ. તેમાં માતા-પિતા, કળા અને વિજ્ઞાનના શિક્ષકો, પરિવારના વડીલો, જેઓ જ્ઞાન અને આચારમાં આગળ વધેલા છે તેઓ, જે સંતો ધર્મ શીખવાડે છે તે બધાનો સમાવેશ થાય છે.
ગુરુઉપાસ્તિ એટલે આ બધાની સેવા કરવી અને તેમનો આદર કરવો. સેવા અને આદરથી આપણે તેમના હૃદયને જીતી શકીએ છીએ. તેમના દ્વારા મેળવેલા જ્ઞાન અને ચારિત્ર આપણા જીવનને ઉમદા બનાવે છે. માતા અને પિતા આપણા પ્રથમ ગુરુ છે. શાસ્ત્રો આપણને તેમની પ્રથમ પૂજા કરવાનું કહે છે.
ગુરૂ – ઉપાસ્તિ એટલે
• માતા-પિતા
•
કળા અને વિજ્ઞાનના શિક્ષકો
• પરિવારના વડીલો
• જેઓ આપણાથી જ્ઞાન અને ચારિત્રમાં આગળ છે
• જે સંતો ધર્મ શીખવાડે છે તે લોકોની સેવા કરવી.
D.4.3.3 સ્વાધ્યાય - આધ્યાત્મિક રીતે ઉન્નત કરે તેવી કૃતિઓનો અભ્યાસ કરવો
સ્વાધ્યાય શબ્દ બે શબ્દોનો બનેલો છે 'સ્વ' એટલે પોતાનું અને 'અધ્યાય' એટલે અભ્યાસ. એનો અર્થ થાય છે પોતાનો અભ્યાસ કરવો, પોતાના જીવનનો અભ્યાસ કરવો. વાંચવું, સાંભળવું અને જીવનને ઉન્નત બનાવે તેવા શિક્ષણનો અભ્યાસ કરીને તેનું મનન કરવું. તે આપણા મનને સ્વસ્થ રાખે છે. તે માણસને તેના અંતરના ખાલીપાને સમજવાની પ્રેરણા આપે છે. એના પરિણામ સ્વરૂપ મનુષ્યનો પ્રગતિ અને આધ્યાત્મિક વિકાસનો માર્ગ સરળ બને છે.
સ્વાધ્યાય એટલે
• પોતાની જાતનો, પોતાના જીવનનો અભ્યાસ કરવો
• વાંચવું, સાંભળવું અને જીવનને ઉન્નત બનાવે તેવા શિક્ષણનો અભ્યાસ કરીને તેનું મનન
કરવું
• અંતરના ખાલીપાને સમજવું
Page 57 of 307