SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ Compodium of Jainism – Part (II) બનેલો હોવો જોઈએ. તે સામાયિક દરમ્યાન ઉભી થતી ઉર્જાને આપણા શરીરમાંથી બહાર જતી અટકાવે છે. તે તેની નીચે રહેલા જીવોનું રક્ષણ કરે છે. સફેદ રંગ શાંતિ સૂચવે છે અને આધ્યાત્મિક વાતાવરણને વધારે સારું બનાવે છે. D.4.2.4.4.3 મુહપત્તિ મુહપત્તિ સફેદ કપડાની બનેલી ચોરસ, ૧૦ થી ૧૨ ઈંચ લાંબી હોય છે, જે અડધી વાળેલી હોય છે. ત્યારબાદ બંધ છેડાથી એક ઇંચ જેટલી જગ્યા છોડીને ફરીથી અડધી વાળવામાં આવે છે. ત્યારબાદ છેડેથી વાળવામાં આવે છે. મુહપત્તિ સામાયિક સૂત્ર બોલતી વખતે મોં ને ઢાંકવા માટે વપરાય છે, જે આપણને યાદ આપે છે કે આપણે જે બોલીએ છીએ તેની આપણે કાળજી રાખવાની છે. આપણે અસત્ય બોલવાથી અટકવાનું છે. બીજા કોઈને ઉત્તેજે કે નકામી વસ્તુઓ બોલવાથી પણ અટકવાનું છે. તે સચિત્ત અને ગરમ શ્વાસને બહાર આવીને અચિત્ત અને ઠંડી હવા સાથે ભળતો અટકાવે છે જે અહિંસાનું કાર્ય છે. સાથે સાથે મુહપત્તિ આપણને બોલતી વખતે સંયમ પાળવાનું. ફક્ત જરૂરી હોય ત્યારે જ બોલવાનું તથા વિનયી અને નમ્ર બનવાનું શીખવે છે. મુત્પત્તિ આપણને બોલની વખતે આપણું થૂંક ધાર્મિક ઉપકરણો અને પુસ્તકો પર પડતા પણ અટકાવે છે. કેટલાક જૈન સંપ્રદાયમાં મુહપત્તિને હંમેશા મોં ની ફરતે બાંધવામાં આવે છે. D.4.2.4.4.4 સ્થાપનાચાર્ય સદગુરુ વગર આધ્યાત્મિક પ્રગતિ કરવી ખૂબ જ કઠિન છે. જોકે અમુક સંજોગોમાં જ્યારે ગુરૂ મહારાજ હાજર ન હોય ત્યારે પ્રતિક્રમણ અને સામાયિક દરમિયાન આપણે ગુરુની સ્થાપના કરી શકીએ છે. તેના માટે કોઈ પણ ધાર્મિક પુસ્તક જેમાં નવકાર મહામંત્ર અને પંચેન્દ્રિય સૂત્ર હોય તેને નવકારવાળી સાથે સાપડાની ઉપર મૂકવામાં આવે છે, આપણે સ્થાપનાની સામે પૂર્વ કે ઉત્તર દિશામાં મોં રાખીને બેસીએ છીએ. તે આપણને સામાયિક દરમ્યાન શિસ્ત જાળવવામાં અને વિનમ્ર બનાવવામાં મદદ કરે છે. D.4.2.5 કાયોત્સર્ગ - યોગ મુદ્રામાં ધ્યાન કાયા એટલે શરીર અને ઉત્સર્ગ એટલે તેનાથી દૂર થવું કે તેની ઉપર ઊઠવું. આમ કાયોત્સર્ગ એટલે શારીરિક ક્રિયાઓથી ઉપર ઉઠીને પોતાની જાતની અંદર ધ્યાન કેન્દ્રિત કરવું. આમ ધ્યાન વખતે પોતાના શરીર પ્રત્યે નિસ્પૃહતા કેળવવી. આપણી મોટાભાગની પીડા અને દુ:ખ આપણા શરીર પ્રત્યેના રાગમાંથી ઉદભવે છે. કાઉસ્સગ કે કાયોત્સર્ગ આપણને શરીર અને મનની ક્રિયાઓ બને એટલી ઓછી કરીને ધ્યાન કેન્દ્રિત કરવાનું શીખવે છે જેથી આપણે સમજી શકીએ અને અનુભવી શકીએ કે આત્મા શરીરથી અલગ છે. સાચા અર્થમાં કાયોત્સર્ગ કરવા માટે કષાયોથી ઉપર ઉઠવું જરૂરી છે. Page 54 of 307
SR No.000027
Book Title$JES 904 Compendium of Jainism Part 02 Gujarati (Translation of Jain Academic Bowl Manual 4th Edition)
Original Sutra AuthorN/A
AuthorJAINA India Foundation
PublisherJAINA India Foundation
Publication Year2022
Total Pages324
LanguageGujarati
ClassificationJaina_Education, Book_Gujarati, 0_Jaina_education, & JAINA Books
File Size
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy