________________
Compodium of Jainism – Part (II)
ધર્મધ્યાન અને શુક્લધ્યાન કરવા માટે આપણા દેહ પ્રત્યેનો રાગ છોડીને તેનાથી ઉપર ઊઠવું ખૂબ જ જરૂરી છે. પ્રતિક્રમણની વિધિ દરમિયાન પશ્ચાતાપ અને કબૂલાતના સુત્રો બોલ્યા બાદ નમસ્કાર મહામંત્ર અને લોગસ્સ સૂત્ર બોલવા દ્વારા કાયોત્સર્ગ કરવામાં આવે છે.
કાયોત્સર્ગ આવશ્યક દરમ્યાન બોલવામાં આવતા કેટલાક સુત્રો:
પુખરા-વારા-દી સૂત્ર (તીર્થંકરોના ઉપદેશને ખાદ), સિધ્ધનામ બુદ્ધનામ સૂત્ર ભગવાન મહાવીર અને અન્ય તીર્થંકરો તથા તે દરેક તીર્થ સ્થળને નમન કે જ્યાં તીર્થંકરોએ નિર્વાણ પ્રાપ્ત કર્યું), ધર્મધ્યાન કાઉસ્સગ (ધર્મધ્યાન પ્રત્યેનું મનન) અને બીજા સુત્રો.
D.4.2.6 પ્રત્યાખ્યાન કે પચ્ચખાણ - ધાર્મિક નિયમો લેવા
પ્રત્યાખ્યાન કે પચ્ચખાણ એટલે આત્માને હાનિકારક હોય તેવી પ્રવૃત્તિઓથી અટકવું અને આત્માને લાભદાયી હોય તેવી ક્રિયાઓ કરવી. પચ્ચખાણ લેવું એટલે આપણી ક્ષમતા મુજબ યોગ્ય વ્રતો કે નિયમો લેવા, દુનિયાની વસ્તુઓથી ઉપર ઊઠવું અને શુદ્ધતાની પ્રક્રિયા તરફ વળવું. જ્યારે આપણે પચ્ચખાણ લઈએ છીએ ત્યારે થોડાક સમય માટે કેટલીક વસ્તુઓનો ત્યાગ કરીએ છીએ અને આપણે આત્માને શિસ્તબદ્ધ કરીએ છે. શ્રાવકો અણુવ્રત લે છે જ્યારે સાધુઓ મહાવ્રત લે છે. આત્મસંયમ રાખવો, પાપભરી ક્રિયાઓથી અટકવું અને શુભ ક્રિયાઓ કરવી તેને પ્રત્યાખ્યાન કહે છે.
D.4.2.6.1 પ્રત્યાખ્યાનના પ્રકારો:
પ્રત્યાખ્યાન બે પ્રકારના છે:
♦ બાહ્ય(દ્રવ્ય)
- આંતરિક (ભાવ)
બાહ્ય વસ્તુઓ જેવી કે ખોરાક, આશ્રયસ્થાન અને બીજી વસ્તુઓનો ત્યાગ કરવો તેને દ્રવ્ય પ્રત્યાખ્યાન કહે છે.
આત્માની આંતરિક અશુદ્ધિઓ જેવી કે અજ્ઞાન, ક્રોધ-માન-માયા-લોભ, અસંયમ, રાગ, દ્વેષ વગેરેનો ત્યાગ કરવો તેને ભાવ અથવા તો સાચું પ્રત્યાખ્યાન કહે છે.
કોઈપણ સંપૂર્ણ દ્રવ્યનો ત્યાગ કર્યા વગર ભાવ પ્રત્યાખ્યાન કરી શકાતું નથી. ઉદાહરણ તરીકે કોઈ સ્વાદિષ્ટ ભોજન અને બીજી આરામદાયક વસ્તુઓ છોડ્યા સિવાય સાદગીભર્યું જીવન જીવી શકતો નથી. ભાવ પ્રત્યાખ્યાન જો સાચા અર્થમાં કરવામાં આવે તો એ નવા કર્મ બાંધવાથી અટકાવે છે (સંવર), સમતા ભાવને ઉત્પન્ન કરે છે અને છેવટે મોક્ષને આપે છે.
આમ, ધાર્મિક વ્રત કે નિયમો ધાર્મિક સ્તરે આગળ વધારીને આત્મ સંયમ શીખવે છે.
Page 55 of 307