________________
Compodium of Jainism – Part (II)
છ આવશ્યકમાં પ્રતિક્રમણ સૌથી અગત્યનું છે. તેની ક્રિયામાં બાકીના પાંચ આવશ્યકનો પણ નીચે મુજબ સમાવેશ થાય છે:
પ્રતિક્રમણ શરૂ કરતા પહેલા આપણે સામાયિકનો નિયમ લઇએ છીએ. પ્રતિક્રમણ કરતી વખતે લોગસ્સ અને નમુન્થુણં સૂત્ર બોલવા દ્વારા આપણે ચોવીસ તીર્થંકરો અને તેમના ગુણોને નમન કરીએ છે. પંચેન્દ્રિય અને ખમાસમણો સૂત્ર દ્વારા આપણે સાધુ ભગવંતો અને તેમના ગુણોને નમન કરીએ છીએ. આમ પ્રતિક્રમણ, ચŚવિસન્થો અને વંદના આવશ્યકનો સમાવેશ કરે છે. પ્રતિક્રમણ ઉભા ઉભા કે બેઠા બેઠા ધ્યાનની મુદ્રામાં કરવામાં આવે છે જે કાયોત્સર્ગ છે. પ્રતિક્રમણ દરમ્યાન આપણે આપણી ક્ષમતા મુજબ પચ્ચખાણ પણ લેવાના હોય છે જે પ્રત્યાખ્યાન આવશ્યક છે.
પ્રતિક્રમણની ક્રિયામાં ઘણા સૂત્રો આવે છે. એ સૂત્રો અર્ધમાગધી ભાષામાં લખવામાં આવ્યા હતા. જે મહાવીર સ્વામી ભગવાનના સમયમાં સામાન્ય લોકોની ભાષા હતી અને ઘણા સૂત્રો સંસ્કૃતમાં પણ લખવામાં આવ્યા છે જેમાં ભગવાનની સ્તુતિ, પશ્ચાતાપ અને કબૂલાતના પદો પણ છે.
પ્રતિક્રમણ આવશ્યક દરમિયાન બોલવામાં આવતા કેટલાક સુત્રો:
સાત લાખ સૂત્ર (બ્રહ્માંડના દરેક જીવ પાસે પોતાના પાપોની માફી માગવી), અઢાર પાપસ્થાનક સૂત્ર (૧૮ પાપની આલોચના), વંદિતુ સૂત્ર, અતિચાર સૂત્ર (શ્રાવકના વ્રત કે નિયમોના ભંગના સૂત્રોનો અનુવાદ) અને બીજા સૂત્રો
D.4.2.4.4 સામાયિક અને પ્રતિક્રમણમાં વાપરવામાં આવતા ઉપકરણોના ધાર્મિક અર્થ
D.4.2.4.4.1 ચરવળો
ચરવળો એ લાકડાની ઠંડી સાથે સેંકડો સુતરના દોરા બાંધીને બનાવવામાં આવે છે. લાકડાનો હાથો ૨૪ આંગળા લાંબો અને તેની દોરીઓ ૮ આંગળા લાંબી હોય છે જે સતત આપણને યાદ અપાવે છે કે આપણે આઠ પ્રકારના કર્મોની જંજાળમાં ફસાઈને આપણો સંસાર ન વધારીએ. જો આપણે સામાયિક દરમિયાન કે પ્રતિક્રમણ દરમિયાન કોઇ કારણોસર ઊભા થવું જ પડે તો આપણે ચરવળાથી નમ્રતા પૂર્વક જમીન સાફ કરતા કરતા કોઈ પણ ત્રસ જીવ હણાય નહીં તેવી રીતે ઊભા થવું જોઈએ. આધ્યાત્મિક રીતે ચરવળો અહિંસા અને આપણી આત્માને કર્મોના પુદ્દગલોથી સાફ કરવાનું સૂચવે છે. ચરવળો અને મુહપત્તિ આપણને હંમેશા યાદ અપાવે છે કે સામયિક દરમ્યાન આપણે સમતાના ભાવમાં રહેવાનું છે
D.4.2.4.4.2 કટાસણું
તે આસન તરીકે પણ ઓળખાય છે. તે આસનનો ટુકડો છે જેના પર બેસી શકાય. તે સફેદ ઉનનો
Page 53 of 307