SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ Compodium of Jainism – Part (II) બીજા શબ્દોમાં તે સત્ય, અહિંસા અને વીતરાગતાના માર્ગ ઉપર પાછા ફરવાનું અને ત્યાં રહેવાનું સૂચવે છે. એક શ્રાવક પ્રતિક્રમણ દરમિયાન જાણતા કે અજાણતા પોતાના દ્વારા થયેલા પાપો જેને અતિચાર પણ કહે છે તેની માફી માંગે છે. દરેક પ્રકારના અતિચાર કે પ્રતિજ્ઞા ઉપર ચિંતન કરવામાં આવે છે જેથી આપણે વધુ સજાગ બનીને ભવિષ્યમાં તે કરતાં અટકી શકીએ. પ્રનિક્રમણ દરમિયાન ભૂનકાળમાં કરેલી ભૂલોની માફી માગવામાં આવે અને ભવિષ્યમાં ભુલોને ન કરવાની ખાતરી આપવામાં આવે છે. તે છતાં જો કોઈ તે ભૂલ કરે તો આ પ્રકારના પ્રતિક્રમણને દ્રવ્ય કે બાહ્ય પ્રતિક્રમણ કહે છે. દ્રવ્ય પ્રતિક્રમણ ઉપયોગી નથી પરંતુ હાનિકારક છે. દ્રવ્ય પ્રતિક્રમણમાં વ્યક્તિ પોતાને છેતરે છે અને બીજાની સાથે પણ છેતરામણી કરે છે. જો પ્રતિક્રમણ કર્યા બાદ કોઈ વ્યક્તિ પોતાના પાપને ઓછા કરે અને તેમાંથી અટકે તો તેને સાચા અર્થમાં ભાવ પ્રતિક્રમણ કે આંતરિક પ્રતિક્રમણ કહે છે જે આત્માની શુદ્ધિ માટે ખૂબ જ ઉપયોગી છે. D.4.2.4.2 પ્રતિક્રમણ કરવાની યોગ્યતા જૈન શાસ્ત્રો સ્પષ્ટપણે કહે છે કે પ્રતિક્રમણ એટલે જાણતા કે અજાણતા ભૂતકાળમાં થયેલી ભૂલો કે વ્રતના ભંગ બદલ માંગવામાં આવતી માફી કે તેના માટે પશ્ચાતાપ. આપણે આગળ જોઇ ગયા તેમ સાધુ અને સાધ્વીજીઓ પાંચ મહાવ્રતોનું પાલન કરે છે અને શ્રાવક અને શ્રાવિશ્વ માટે મર્યાદિત બાર અણુવનો હોય છે, આથી પ્રતિક્રમણની ક્રિયા સાધુ-સાધ્વી અને ફક્ત શ્રાવક અને શ્રાવિકા માટે છે જેઓ આ નિયમનું પાલન કરતા હોય. તાર્કિક રીતે જો કોઈ એ વ્રત કે નિયમનું પાલન ન કરતું હોય તો તેના ભંગ બદલ માફી માગવાનો કે પશ્ચાત્તાપ કરવાનો સવાલ જ ઊભો થતો નથી. ઘણા જૈનો આ બાર વ્રતોનું પાલન કરતા નથી. આથી આ મહાન ક્રિયાનો ધ્યેય અને અર્થ સમજ્યા પછી દરેક જૈનોએ ૧૨ વ્રતોનું પોતાની પરિસ્થિતિ અને ક્ષમતા મુજબ પાલન કરવું જોઈએ. સંવત્સરી પૂર્વે તેમણે આલોચના કરીને દર વર્ષે પોતાના નિયમોની સીમા વિસ્તારવી જોઈએ અને છેવટે એવા તબક્કે પહોંચવું જોઈએ કે તેઓ આ મહાવ્રતોનું સંપૂર્ણપણે પાલન કરીને સાધુ જીવન જીવી શકે. D.4.2.4.3 પ્રાચીન પ્રતિક્રમણમાં છે આવશ્યનો સમાવેશ છેલ્લી કેટલીક સદીઓથી જૈન શાસ્ત્ર સૂચવે છે કે પ્રતિક્રમણ છ આવશ્યક માટે સામાન્ય નામ તરીકે વપરાય છે. આ અર્થપૂર્ણ છે કેમ કે પ્રતિક્રમણ ક્રિયાનો વિસ્તાર કરીને તેમાં છ આવશ્યકના સુત્રોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ રીતે શ્રાવક અને શ્રાવિકા છ આવશ્યક સરળતાથી ૪૮ મિનિટમાં કરી શકે છે. Page 52 of 307
SR No.000027
Book Title$JES 904 Compendium of Jainism Part 02 Gujarati (Translation of Jain Academic Bowl Manual 4th Edition)
Original Sutra AuthorN/A
AuthorJAINA India Foundation
PublisherJAINA India Foundation
Publication Year2022
Total Pages324
LanguageGujarati
ClassificationJaina_Education, Book_Gujarati, 0_Jaina_education, & JAINA Books
File Size
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy