SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ Compodium of Jainism – Part (II) નિષ્કર્ષ છે. પ્રતિક્રમણના પ્રકારો: જૈન સાધુ અને સાધ્વીજીઓ પરંપરા મુજબ આ પ્રક્રિયા કરે છે. જૈન શ્રાવક અને શ્રાવિકા નિશ્ચિતપણે આ પ્રક્રિયા કરે છે. જ્યારે બીજા તેમની અનુકૂળતા મુજબ શક્ય હોય ત્યારે આ પ્રક્રિયા કરે છે. પ્રતિક્રમણ દિવસમાં બે વખત કરવાનું સૂચવ્યું છે. એક સવારે જેને રાઇયં પ્રતિક્રમણ કહે છે અને બીજું સાજનું પ્રતિક્રમણ જેને દિવસર્ચ પ્રતિક્રમણ કહે છે. સવારનું પ્રતિક્રમણ રાત દરમ્યાન કરવામાં આવતી ભૂલોના પ્રાયશ્ચિત રૂપે હોય છે અને સાંજનું પ્રતિક્રમણ દિવસ દરમ્યાન કરેલી ભૂલો કે વ્રતને ભાંગવાના પશ્ચાતાપ રૂપે હોય છે. જો કોઈ રોજ પ્રતિક્રમણ ન કરી શકે તો કેટલાક વિશેષ પ્રકારના પ્રતિક્રમણ પણ છે જેમ કે દરેક પખવાડિયે કરવામાં આવતું પ્રતિક્રમણ(પખ્ખી), ચાર મહિને કરવામાં ખાવનું પ્રતિક્રમણાયોમાસી) અને વાર્ષિક કે સંવત્સરી પ્રતિક્રમણ વર્ષના અંતે કરવામાં આવતું પ્રતિક્રમણ દરેક જૈનોએ કરવું જોઈએ જેને સંવત્સરી પ્રતિક્રમણ કહે છે. તે પર્યુષણના છેલ્લા દિવસે કરવામાં આવે છે અને ત્યાર બાદ ક્ષમાપના ઉજવાય છે. એટલે કે દરેક જીવોને પોતે કરેલા દુષ્કૃત્યો બદલ માફી માંગવામાં આવે છે અને દરેકને માફી આપવામાં પણ આવે છે. તે દરેક પ્રત્યે પ્રેમ અને મૈત્રીની ભાવના ઉત્પન્ન કરે છે. પ્રતિક્રમણ આપણા જીવનને સુખ અને શાંતિભર્યું બનાવે છે અને સુસંગત સમાજની પણ રચના કરે છે. દ્રવ્ય અને ભાવ પ્રતિક્રમણ જૈન દર્શનમાં સાધુ અને સાધ્વી જેમણે આ સંસાર છોડી દીધો છે તેમના માટે પાંચ મહાવ્રતો બતાવ્યા છે. તેમજ શ્રાવક અને શ્રાવિકા માટે મર્યાદિત સ્વભાવના બાર અણુવ્રતો બતાવ્યા છે. જે સાધુ અને સાધ્વી દ્વારા પાળવામાં આવતા મહાવ્રતો કરતા ઓછા કઠિન છે. જૈન દર્શનમાં કહે છે કે દરેકે પોતાની ક્ષમતા અને પરિસ્થિતિ મુજબ આ બાર અણુવ્રતોનું પાલન કરવું જોઈએ. આપણું અંતિમ ધ્યેય તેમનું સંપૂર્ણ પાલન કરવાનું હોવું જોઈએ. પાપ ભરેલી ક્રિયાઓથી દૂર રહેવા માટે આપણે ખોટી શ્રદ્ધાથી (મિથ્યાત્વ), વ્રત નિયમ ન હોય તેવા જીવન (અવિરતી)થી, સજાગ ન હોઈએ તેવી ક્રિયાથી કે આળસ (પ્રમાદ)થી, કષાયોથી તથા મન, વચન અને કાયાની અમુલ ક્રિયાઓ (અપ્રશસ્ત યોગ)થી દૂર રહેવું જોઈએ. સાચા દર્શનને અપનાવવું, આત્મસંયમ કેળવવો, આધ્યાત્મિક વિકાસ કરવો, કરુણા, અહિંસા જેવા સારા ગુણો વિકસાવવા, દુનિયાની ક્રિયાઓને અટકાવીને આત્માના સાચા સ્વભાવને ઓળખવું તે પ્રનિક્રમણનો નિષ્કર્ષ છે. Page 51 of 307
SR No.000027
Book Title$JES 904 Compendium of Jainism Part 02 Gujarati (Translation of Jain Academic Bowl Manual 4th Edition)
Original Sutra AuthorN/A
AuthorJAINA India Foundation
PublisherJAINA India Foundation
Publication Year2022
Total Pages324
LanguageGujarati
ClassificationJaina_Education, Book_Gujarati, 0_Jaina_education, & JAINA Books
File Size
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy