________________
જોઈએ:
•
ના-અહમ - હું એ નથી
Compodium of Jainism – Part (II)
આત્માની સાચી ઓળખ કે જેમાં અનંત દર્શન, જ્ઞાન, વીર્ય અને સુખ છે તેની સાથે એકરૂપ થવા નીચેના સૂત્ર પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ:
• સો-અહમ - હું એ છુ
આત્માના સાચા સ્વભાવ પર ધ્યાન કેન્દ્રિત કરવાથી ખરાબ કર્મો(પાપ) ખરી જાય છે. આથી એવું માનવામાં આવે છે કે જૈનોએ દિવસના કોઈ પણ સમયે થાય તેટલી વધુ સામાયિક કરવી જોઈએ.
સામાયિક કર્યા સિવાય કોઈને મોક્ષ મળ્યો નથી અને કોઈને મળશે પણ નહિ. સામાયિક એક સાચો આચાર છે. સામાયિક તીર્થંકર ભગવાનના ઉપદેશનો સાર છે. સમ્યગ દર્શન, સમ્યગ જ્ઞાન અને સમ્યક ચારિત્ર મેળવવા માટે સામાયિક કરવું જરૂરી છે. જૈન સાધુ અને સાધ્વીઓ દીક્ષા લેતી વખતે વ્રત લે છે કે તેઓ કાયમ સામાયિકમાં જ રહેશે અને આથી જ તેઓ હંમેશા સમતામાં જ રહે છે. જયારે એક શ્રાવક કે શ્રાવિકા સામાયિક લે છે ત્યારે એ એટલો સમય સાધુની જેમ ગાળે છે. શ્રાવક/શ્રાવિકા એ દિવસમાં ઓછામાં ઓછું એક સામાયિક કરવાનો પ્રયત્ન કરવો જોઈએ.
સામાયિક વિષેની વિસ્તૃત સમજ કેટલીક જૈન પુસ્તકોમાં મળે છે.
D.4.2.1.1 સામાયિકના પ્રકાર:
• આંશિક
• પૂર્ણ જીવન પર્યંત
પૂર્ણ સામાયિક સાધુ અને સાધ્વીઓને લાગુ પડે છે કેમ કે તેઓ હંમેશા સમતામાં રહે છે. આંશિક સામાયિક શ્રાવક અને શ્રાવિકા માટે છે જેથી તે દરેક બાહ્ય વસ્તુઓથી પોતાને અલિપ્ત રાખતા શીખી શકે. સામાયિક કરવા માટેનો ઓછામાં ઓછો સમય ૪૮ મિનિટનો છે.
D.4.2.1.2 સામાયિક કરતી વખતે નીચેના ૩૨ પ્રકારના દોષોથી દૂર રહેવું જોઈએ.
જૈન શાસ્ત્રો મન, વચન અને કાયાના ૩૨ દોષો બતાવે છે જેનાથી આપણે બચીને રહેવું જોઈએ. D.4.2.1.2.1 મનના ૧૦ દોષો
• તેના ધ્યેય કે ક્રિયા પ્રત્યે સન્માન રાખ્યા વિના સામાયિક કરવી.
. યશ કે કીર્તિ માટે સામાયિક કરવી.
• લાભની ઈચ્છાથી સામાયિક કરવી.
Page 47 of 307