SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ Compodium of Jainism – Part (II) પ્રતિક્રમણ કાયોત્સર્ગ કે પ્રત્યાખ્યાન કે પચ્ચખાણ આખા દિવસમાં કરવામાં આવેલ પાપક્રિયાઓ અને અશુભ વિચારોનો પશ્ચાતાપ કરવો અને તે ફરીથી ન થાય તેના માટે પ્રયત્ન કરવો લાંબા સમય સુધી સ્થિર રહીને ધ્યાનમાં રહેવું અને ચિંતન કરવું કે ફરીથી આવા અશુભ વિચારો નહિ કરું. થોડા સમય માટે સારી પ્રવૃતિઓ કરવાની પ્રતિજ્ઞા લેવી અને અમુક પ્રકારના ખોરાકનો ત્યાગ કરવો અને વ્રત-નિયમથી ત્યાગમય જીવન જીવવાનો પ્રયત્ન કરવો કોષ્ટક D.4.A દરેક આવશ્યકની વિધિમાં અર્ધ-માગધી અને સંસ્કૃત ભાષામાં લખાયેલા અમુક સૂત્રો હોય છે. આ સૂત્રો તીર્થંકર ભગવાનની પ્રશંસામાં લખાયેલી અમુક સ્તુતિઓ અને પશ્ચાતાપ, ભૂલની કબૂલાત અને તેની માફી માંગતા ઘણા પદો લખાયેલા છે. D.4.2.1 સામાયિક - સમતાની અવસ્થા સમતાની અવસ્થામાં રાગ અને દ્વેષ વગર રહેવું અને દરેક જીવને પોતાના જેવો જ માનવો એટલે સામાયિક. સામાયિક એક પ્રક્રિયા છે જે સમતાના ગુણને ખીલવે છે. તે માણસને આત્માની નજીક લઇ જઇને તેને શાંત અને સ્થિર પ્રકૃતિનો બનાવે છે. સમતા શાંત રહેવાની ક્રિયા છે. તે મન અને સ્વભાવની તટસ્થતા શીખવે છે. તે મિથ્યાત્વ અને કષાય દૂર કરવા અને અહિંસાના પાલન માટે ખુબ જ જરૂરી છે અને તેના દ્વારા છેવટે બધા કર્મો દૂર થાય છે. આ ક્રિયા કરવાનો ઉદેશ એ છે કે આપણે દરેક જીવને સમાનતાથી જોઈએ, સુખ અને દુખમાં સમતાભાવ રાખીએ અને રાગ અને દ્વેષથી પર રહીએ. સામાયિક દરમ્યાન સાધક દુન્યવી બંધનોને ત્યજી દઈને, તેના મન, વચન અને કાયાની ક્રિયાઓને નિયંત્રણમાં રાખીને એક સાધુ જેવું જીવે છે. શાંત રહેવું, ધ્યાન કરવું, શાસ્ત્રો વાંચવા, પ્રતિક્રમણ કરવું અને પોતાના પાપ માટે માફી માંગવી એ ખુબ જરૂરી છે. દરેકે આત્માના નીચેના ગુણો તરફ ધ્યાન સેવવું જોઈએ: • દરેક જીવ પ્રત્યે સમતાભાવ • શુદ્ધ ઈરાદા સાથેનો સ્વ પર નિયંત્રણ • ઈચ્છઓ અને નફરતના કારણે ઉદભવતા દરેક વિચારનો બહિષ્કાર સામાયિક કરતી વખતે આપણે દુન્યવી સુખો, પરિવાર, મિત્રો, સબંધો વગેરે વિષે ન વિચારવું જોઈએ કેમ કે તે આત્માનો સાચો સ્વભાવ નથી. એના બદલે નીચેના સૂત્ર પર ધ્યાન કેન્દ્રિત કરવું Page 46 of 307
SR No.000027
Book Title$JES 904 Compendium of Jainism Part 02 Gujarati (Translation of Jain Academic Bowl Manual 4th Edition)
Original Sutra AuthorN/A
AuthorJAINA India Foundation
PublisherJAINA India Foundation
Publication Year2022
Total Pages324
LanguageGujarati
ClassificationJaina_Education, Book_Gujarati, 0_Jaina_education, & JAINA Books
File Size
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy