________________
D.4 ૬ આવશ્યક
Compodium of Jainism - Part (II)
D.4.1 પ્રસ્તાવના
જૈન ધર્મ ખુબ જ વ્યવહારિક ધર્મ છે, જે આપણને રોજિંદા જીવનમાં ખુબ જ ઉપયોગી છે. જૈન ધર્મને વ્યવહારમાં લાવીને જીવી જાણવાનો છે. જૈન મૂલ્યો દરેક વ્યક્તિ માટે જીવનના દરેક તબક્કે ઉપયોગી છે. આત્માનું ચિંતન કરવું જૈન ધર્મનો અગત્યનો ભાગ છે. આત્માનું ચિંતન કરવું, તેમાં વિચરવું, તેનું મનન કરવું, વિત્તેષણ કરવું વગેરે સાચા આચરણનો ભાગ છે.
આ ક્રિયાઓ એક પવિત્ર જૈનના જીવનમાં વણાયેલી હોય છે. દેરાસરે જવું, ગુને સાંભળવું, વત નિયમો લેવા, સાધુન ગોચરી ખાપરી, મમતા માટે સામયિક કરવી, આત્મનિરીક્ષણ માટે પ્રતિક્રમણ કરવું, અહિંસાનું પાલન કરવું, દાન કરવું, પ્રામાણિક જીવન જીવવું અને આવી બીજી અમુક ક્રિયાઓ એક જૈનના રોજિંદા જીવનનો ભાગ હોય છે.
જૈન દર્શન માને છે કે અનાદિ કાળથી આત્મા અશુદ્ધિઓથી ભરેલો છે. આત્મા પાસે તેના શુદ્ધ સ્વરૂપમાં અનંત દર્શન, અનંત વીર્ય, અનંત જ્ઞાન અને અનંત સુખ હોય છે. એક સંસારી આત્મા તેના આ સ્વભાવને સમજી શકતો નથી કેમ કે તે કર્મથી લદાયેલો છે. આ કર્મ મુખ્યત્વે મિથ્યાત્વ(મિથ્યા દર્શન અને અજ્ઞાન) અને કષાયો(ક્રોધ,માન, માયા અને લોભ) ના કારણે હોય છે. તીર્થંકરોએ આપણને ઘણા માર્ગ બતાવ્યા છે જેનાથી આપણે આ કષાયોથી મુક્ત થઈને મોક્ષ મેળવી શકીએ. એક રસ્તો છે ૬ આવશ્યકોને રોજ વ્યવહારમાં અનુસરીએ. ૬ અવશ્યકોને રોજ શ્રદ્ધાથી કરીએ તો આપણે આધ્યાત્મિક વિકાસ કરી શકીએ છીએ. આ ૬ આવશ્યકો દરેક જૈને રોજ કરવા જોઈએ.
આ આવશ્યકો અનુસરવામાં આવે તો વ્યક્તિ નકારાત્મક વિચારોથી તથા રાગ અને દ્વેષથી દૂર રહે છે, આત્માનો વિકાસ કરે છે અને છેવટે મોક્ષ મેળવે છે. પ્રાચીન જૈન શાસ્ત્રો આવા ૬ આવશ્યકો સૂચવે છે.
જૈન દર્શન આ ૬ આવશ્યકોને રોજ અનુસરવાનું કહે છે. દિગંબર અને શ્વેતામ્બર બંને પરંપરામાં ૬ આવશ્યકો છે પરંતુ તેમાં થોડા ઘણા ફરક છે.
D.4.2 શ્વેતામ્બર પરંપરા મુજબના ૬ આવશ્યકો
૪૮ મિનિટ સુધી શાંતિથી સ્થિરતામાં બેસવું અને અહિંસાપૂર્વક
પાપપ્રવૃત્તિ રહિત સમતાપૂર્વક રેહવું
સામાયિક
ચŚવિસન્થો વંદના
સાધુ મહારાજોની ઉપાસના અને વંદન આદિ કરવા
ચોવીસ તીર્થંકરોના ગુણને યાદ કરવા અને તેમની સ્તુતિ કરવી
Page 45 of 307