________________
Compodium of Jainism - Part (II)
D.3.9 દિગંબર પરંપરામાં કરવામાં આવતી વિવિધ પૂજાઓ
• દેવ શાસ્ત્ર ગુરૂ પૂજા: આ પૂજામાં દેવ - વીતરાગ ભગવાન, શાસ્ત્ર - તેમણે આપેલા ઉપદેશોના પુસ્તકો અને ગુરુ - જે તેમના ઉપદેશોની આપણને સમજ આપે છે અને જે છે
-
આપણને માર્ગદર્શન આપે છે તેમની પૂજા કરવામાં આવે છે. મુક્તિની સફર દેવ, શાસ્ત્ર કે ગુરુના આદર વગર શરૂ થઈ શકતી નથી.
• પંચકલ્યાણક પૂજા: તીર્થંકર ભગવાનના કલ્યાણકોની અહીં પૂજા કરવામાં આવે છે. પંચકલ્યાણક પૂજા તીર્થંકરોના પાંચ કલ્યાણકોની પ્રશંસા કરે છે.
•
•
પંચપરમેષ્ઠિ પૂજા: આ પૂજામાં અરિહંતો, સિધ્ધો, આચાર્યો, ઉપાધ્યાય અને સાધુઓની પૂજા કરવામાં આવે છે. તેમાં અરિહંત, સિદ્ધ, દેવ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ એ ગુરુ છે. સાચા અર્થમાં આ પૂજા આપણે આત્મામાં શરણ લેવાથી અને પંચ પરમેષ્ઠી બતાવેલો માર્ગ અનુસરવાથી કરી શકાય છે.
નવ દેવતા પૂજા: આ પૂજામાં ૯ ઉત્તમ વસ્તુઓની પ્રશંસા કરવામાં આવે છે આ ૯ વસ્તુઓ પંચપરમેષ્ઠિ, જૈન ધર્મ, જૈન આગમ, જિનબિંબ અને જૈન ચૈત્ય છે.
દસ લક્ષણા પૂજા: આ પૂજા સાધુઓના ૧૦ મહાન ગુણોની પ્રશંસા કરે છે. આદર્શ ગુણો જેવા કે ઉત્તમ ક્ષમા વગેરે ધર્મનો અને શુદ્ધ આત્માનો સ્વભાવ છે જેમ કે અનંત સુખ.
. રત્નત્રય પૂજા: સમ્યગ દર્શન, સમ્યગ જ્ઞાન અને સમ્યક ચારિત્રને રત્નત્રયી કહેવામાં આવે છે .રત્નત્રય એ મુક્તિનું કારણ અને તેનું પરિણામ મોક્ષ છે. આ રત્નત્રયની અહીં પૂજા કરવામાં આવે છે.
• દિવાળી પૂજા: તે ભગવાન મહાવીરના નિર્વાણ કલ્યાણકને ઉજવવા માટે કરવામાં આવે છે.
• સોલહ કરણ પૂજા: સોલહ કરણ પૂજામાં તીર્થંકર નામકર્મ મેળવવા માટેના કારણો પર ઊંડા વિચારો કે તેની ઉપર મનન કરવાનું હોય છે.
• નિર્વાણ ક્ષેત્ર પૂજા: જે જગ્યાએ ભગવાન મહાવીરને નિર્વાણ મળ્યું હતું તે જગ્યા ખૂબ જ પવિત્ર છે અને તેની પૂજા અહીં કરવામાં આવે છે.
• ધૂપ દસમી પૂજા
Page 43 of 307