________________
Compodium of Jainism – Part (II)
D.3.7.6 વાસ્તુપૂજા
આ પૂજા જ્યારે કોઈ નવા ઘરમાં પ્રવેશ કરે ત્યારે તેને આશીર્વાદ આપવા કરવામાં આવે છે. આ પૂજાની રચના કરનારે શરીરને આત્માનું ક્ષણિક ઘરનું રૂપક આપેલું છે. આપણું અંતિમ લક્ષ્ય શરીર સાથે રાગ રાખવો નહી પરંતુ આત્માના કાયમી ઘર એટલે કે મોક્ષમાં જવાનું છે.
D.3.7.7 નવપદ પુજા
આ પૂજા નવ આદરણીય વસ્તુઓ: પંચપરમેષ્ઠિ, સમ્યગ દર્શન, સમ્યગ જ્ઞાન, સમ્યક ચરિત્ર અને સમ્યક તપની પૂજા કરવા માટે થાય છે.
D.3.7.8 બાર વ્રત પૂજા
આ પૂજા શ્રાવકના બાર વ્રતને દર્શાવે છે. આ પૂજા આપણને શ્રાવકના બાર વ્રતોને અનુસરવાનું યાદ કરાવે છે તથા શ્રાવક અને શ્રાવિકા જેઓ આ વ્રત અપનાવ્યા અને તેના ફાયદા વિશેની કથાઓ કહે છે.
D.3.8 શ્વેતામ્બર પરંપરામાં પૂજન
પૂજન વિવિધ ક્રિયાઓનો સમન્વય અને લાંબો સમારોહ છે. દરેક પૂજન માટે વિશેષ પ્રક્રિયા છે. તે પૂજન વિશેષતા ધરાવતા પંડિત પાસે જ કરાવવામાં આવે છે. આ પૂજન વિશેષ પ્રસંગો જેવા કે દેરાસરની પ્રતિષ્ઠા, દેરાસરની વર્ષગાંઠ કે કોઈના વિશેષ પ્રસંગને ઉજવવા માટે કરવામાં આવે છે.
તેના ઉદાહરણો નીચે મુજબ છે:
• સિદ્ધચક્ર પૂજન: આ પૂજા વિશેષ પ્રકારના ફળ અને નૈવેદ્ય દ્વારા નવપદનો આદર કરવા માટેની લાંબી પૂજા છે. તે શ્રીપાળરાજા અને મયણાસુંદરીને એક આચાર્ય દ્વારા આપવામાં આવ્યું હતું.
•
ભક્તામર પૂજન: આ પૂજન ભગવાન આદિનાથને આદર આપવા માટે ૪૪ કે ૪૮ ગાથાનો ભક્તામર સ્તોત્ર બોલવા દ્વારા અને વિશેષ પ્રકારના નૈવેદ્ય અને ફળ અર્પણ કરવા દ્વારા કરવામાં આવે છે.
• શાંતિ સ્નાત્ર પૂજન: સામાન્ય રીતે આ પૂજન કોઈપણ દેરાસરની પ્રતિષ્ઠા કે કોઈપણ મોટા ધાર્મિક સમારોહની પહેલા વિઘ્નોને દૂર કરવા માટે અને શાંતિની સ્થાપના માટે કરવામાં આવે છે.
Page 42 of 307