________________
Compodium of Jainism - Part (II)
D.3.7 શ્વેતાંબર સંપ્રદાયનાની વિશેષ પૂજાઓ
વિશિષ્ટ પ્રસંગમાં કરવામાં આવતી પૂજામાં ઉપર મુજબ દર્શાવેલા ૮ સામગ્રી જે રોજ પૂજામાં વપરાય છે તેનો જ ઉપયોગ થાય છે. શ્વેતામ્બર પરંપરામાં કરવામાં આવતી અમુક વિશેષ પૂજા નીચે મુજબ છે:
D.3.7.1 સ્નાત્ર પૂજા
તે તીર્થંકર ભગવાનનો દેવો અને દેવીઓ દ્વારા મેરુપર્વત ઉપર થયેલો જન્મ મહોત્સવ સૂચવે છે. કોઈપણ પૂજા, પૂજન, જન્મ મહોત્સવ, નવા વ્યવસાયને શરૂ કરતા પહેલા, નવા ઘરમાં પ્રવેશ કરતા પહેલા કે કોઈ પણ ખાસ પ્રસંગની પહેલા કરવામાં આવે છે.
D.3.7.2 પંચકલ્યાણક પૂજા
આ પૂજા તીર્થંકર ભગવાનના પાંચ કલ્યાણકો જેવા કે જન્મ, ગર્ભ, દીક્ષા, કેવળ જ્ઞાન અને મોક્ષ કલ્યાણક ને સૂચવે છે. ઘણી પંચકલ્યાણક પૂજા ભગવાન પાર્શ્વનાથ, આદિનાથ, શાંતિનાથ કે મહાવીર સ્વામીની ભક્તિરૂપે હોય છે. આ પૂજા કોઈ પણ સારા પ્રસંગ દરમિયાન કરવામાં આવે છે. D.3.7.3 અંતરાય કર્મ પૂજા
આ પૂજામાં અષ્ટપ્રકારી પૂજા જેવી જ આઠ પૂજાઓ હોય છે. આ પૂજામાં જુદા જુદા લોકોએ કેવી રીતે અંતરાય કર્મ બાંધ્યા અને આ પૂજા કરવાથી તે કેવી રીતે દુર થયા તે દર્શાવવામાં આવે છે. આ પૂજા ૮ કર્મોને દૂર કરવા માટેની ૬૪ પૂજાનો એક પ્રકાર છે.
D.3.7.4 ૯૯ પ્રકારી પૂજા
આ પૂજામાં સિદ્ધાચલ મહાતીર્થના ગુણને યાદ કરવા કરવામાં આવે છે. આ એક એવી જગ્યા છે જ્યાં આપણા પ્રથમ તીર્થંકર ભગવાન ઋષભદેવ ૯૯ વખત પૂજા કરવા આવ્યા હતા.
D.3.7.5 સત્તરભેદી પૂજા
આપણા શાસ્ત્રો કહે છે કે જિનેશ્વર ભગવાનની પૂજા કરવાથી આપણને પુણ્ય કર્મનો બંધ થાય છે. આ પૂજામાં ઇન્દ્રનો ઉલ્લેખ છે જેમણે ૧૭ પ્રકારની જુદી-જુદી સામગ્રી દ્વારા ભગવાન પાર્શ્વનાથની પૂજા કરી હતી. સામાન્ય રીતે આ પૂજા કોઈપણ દેરાસરની પ્રતિષ્ઠા વખતે કે દેરાસરના શિખર ઉપર નવી ધજા લગાવતી વખતે કરવામાં આવે છે.
Page 41 of 307