________________
Compodium of Jainism – Part (II)
સાથે રાખીને એક હાથની આંગળીઓને બીજા હાથની આંગળીઓ વચ્ચેની જગ્યામાં રાખવી જોઈએ અને તમારી કોણીને પેટની બાજુમાં રાખવી જોઈએ.
D.3.4.1.9.2 મુકતા શક્તિ મુદ્રા
તમારે તમારા બંને હાથને એક છીપલા જેવી મુદ્રામાં રાખવા જોઈએ તમારા બંને હાથ એવી રીતે સાથે હોવા જોઈએ જેથી તમારા બંને હાથની હથેળી અને આંગળીઓ વચ્ચે જગ્યા રહે. જાવંતી ચેઈ આણં, જાવંતી કેવી સાહુ, જય વીયરાય વગેરે સૂત્રો આ મુદ્રામાં બોલવામાં આવે છે.
D.3.4.1.9.3 જિન મુદ્રા.
કાયોત્સર્ગ વખતે તમારે એવી રીતે ઉભા રહેવાનું છે કે જેથી તમારા બન્ને પગના અંગૂઠા વચ્ચે ચાર ઇંચનું અંતર અને તમારા બંને પગની એડી વચ્ચે ચાર ઇંચ કરતા ઓછું અંતર રહે. તમારા હાથ નીચેની બાજુ લટકતા રહેવા જોઇએ. તમારી આંખો તમારી નાકના અગ્ર ભાગ પર સ્થિર રહેવી જોઈએ. જિન ભગવાન કાયોત્સર્ગ કરતી વખતે આ મુદ્રામાં ઉભા રહે છે.
D.3.4.1.10 પ્રણિધાન (ધ્યાનમાં રહેવું)
તમારે મન, વચન અને કાયાથી ચૈત્યવંદનમાં તલ્લીન થવાનું છે. સાચી મુદ્રાથી, ભાવ પૂજામાં ઇન્દ્રિયોને કેન્દ્રિત કરવાથી, સાચી રીતે સૂત્રો બોલવાથી, તમારા મનને ચૈત્યવંદનમાં લગાવવાથી અને તેને કશે ભટકવા ન દેવાથી તમે પ્રણિધાન જે અંતિમ પ્રક્રિયા છે તે પણ પૂર્ણ કરશો.
અમુક જૈન સંપ્રદાય જેવા કે સ્થાનકવાસી અને તેરાપંથીના સભ્યો મંદિરમાં પૂજા કરતા નથી. D.3.5 દિગંબર પરંપરામાં પૂજા
દરેક મૂર્તિપૂજક ધર્મમાં પ્રતિમાની પૂજા અને તેની સાથે સંકળાયેલા વિધિ કરવાનું ખૂબ જ મહત્વ છે જ્યારે કોઈ વ્યક્તિ એ પ્રતિમા કે જેની તે પૂજા અને ભક્તિ કરે છે તેની એક ઝલક પામતા જ અનુપમ આનંદ અને પ્રસન્નતાની લાગણી અનુભવે છે.
D.3.5.1 દેવપૂજા
દેવપૂજા જૈનોનું પ્રથમ આવશ્યક છે. દિગંબર પરંપરા મુજબ એક શ્રાવક માટે દેવપૂજા છ આવશ્યકમાં પ્રથમ આવે છે. પૂજા સામાન્ય રીતે મૂર્તિની સમક્ષ અને અમુક દ્રવ્ય અર્પણ કરવાથી (દ્રવ્ય પૂજા) કરવામાં આવે છે પરંતુ તે પ્રતિમાની ગેરહાજરીમાં અને કોઈપણ દ્રવ્ય વગર પણ (ભાવ પૂજા) થઈ શકે છે. પૂજા દેરાસરમાં અરિહંત ભગવાનની પ્રતિમાની સમક્ષ કરવામાં આવે છે પરંતુ ઘરે પ્રતિમા હોય તો પણ કરી શકાય છે.
Page 35 of 307