________________
Compodium of Jainism – Part (II)
કરતા ગયા. પોતાને બચાવ્યો તેથી આભાર વશ થઈ વિપુલે ચરૂમાંથી અડધા ભાગના સિક્કા વિજનને આપવાનું નક્કી કર્યું. પણ વિશ્વને નમ્રતાપૂર્વક જણાવ્યું કે મારું મૃત્યુ નજીક છે તેથી સોનાની મારે કોઈ જરૂર નથી. વિપુલે મળેલા ધનને ખાવા-પીવામાં વેડફવા લાગ્યો. એક આખું વર્ષ પસાર થઈ ગયું પણ નહોતો વિપુલ રાજા થયો ન તો વિજન મર્યો.
બંને મિત્રો પાછા જંગલમાં તે વનવાસી સંન્યાસી પાસે ખુલાસો માગવા ગયા. સંન્યાસી ધ્યાનમાં હતા. તેમણે કહ્યું, “તારા વર્ષ દરમિયાનના વિચાર્યા વગરના કાર્યોથી તારું ભાગ્ય બદલાઈ ગયું. જે તાજ તારા માટે જ નિર્માયો હતો તે કેવળ જમીન માંથી મળેલા સોનાનો બનીને રહી ગયો.” તેમણે વિજનને કહ્યું, "તારી પ્રાર્થનાઓ, માનવતા અને ધર્મ પ્રત્યેના વિશ્વાસને કારણે તારું ભાગ્ય પણ બદલાઈ ગયું જે ખૂનીને હાથે તારું મોત થવાનું હતું તે નાના સરખા ઘા થી પૂરું થઈ ગયું. બંને મિત્રો પોતાના કાર્યો તથા તેના પરિણામનો વિચાર કરતા જિંદગીનો હેતુ સમજીને ગામમાં પાછા કર્યા
બોધ: દરેકના ભાગ્યને તેમનું કર્મ ચલાવે છે અથવા આ જન્મમાં પાછલા કોઈ જન્મમાં કરેલા સારા કાર્ય અને ઉમદા વિચારો તમારા કર્મને ચલાવે છે. પોતાનું ભાવિ જાણીને વિપુલ તથા વિશ્વને તેમનું વર્તન બદલી નાખ્યું એકની વર્તણૂક ખરાબ થઈ તો બીજાની સારી થઈ. ઉદ્ધતાઈ અને ભૌતિક વસ્તુઓ પ્રત્યેના રાગને કારણે વિપુલના ખરાબ કર્મ બંધાયા. જેથી તેની અવળી ગતિ થઈ. સામે પક્ષે માનવતા, પ્રાર્થના અને દૈવી તત્વમાં વિશ્વાસને કારણે વિજનના સારા કર્મ બંધાયા. જેને લીધે તેનું ભાવિ સારુ બન્યું. આપણે સહુ સારી વર્તણૂક દ્વારા વર્તમાન તથા ભવિષ્ય કજળ કરી આવીએ એ
Page 305 of 307