________________
Compodium of Jainism - Part (II)
L.4 બે દેડકાં
દેડકાની એક ટુકડી ખેતરમાં રમતી હતી. તોફાન મસ્તી કરતા તેમાંના બે દેડકા દૂધ ભરેલા ઘડામાં પડી ગયા. પોતાના સાથીદારોને બહાર કાઢવા શું કરી શકાય તે વિચારતા બાકીના દેડકાઓ ઘડાની આસપાસ ભેગા થઈ ગયા. તેમણે જ્યારે જાણ્યું કે ઘડો ઘણો ઊંડો છે અને તેમને બચાવવા અશક્ય છે એટલે તેઓ નિરાશ થઈ ગયા અને બંને દેડકાઓને કહ્યું કે હવે તમે તમારા ભાગ્યના ભરોસે બેસી રહો કારણ કે મૃત્યુ લગભગ નિશ્ચિત છે.
પોતાના ક્રુર ભાગ્યને સ્વીકારવા તેઓ તૈયાર ન હતા. પોતાની બધી તાકાત એકઠી કરી તેઓ બહાર નીકળવા કૂદકા મારવા લાગ્યા. પહેલેથી જ જવાબદારી પૂર્વક ધ્યાન રાખ્યું હોત તો આવી દશા ન થઈ હોત. હવે કૂદાકૂદ કરવી એ વ્યર્થ છે. એમ ઘડામાં મોં નાખી કેટલાક દેડકા બૂમો પાડીને કહેવા લાગ્યા. કૂદાકૂદ કરવાને બદલે પોતાની શક્તિ બચાવી જેટલું જીવાય એટલું જીવવા પ્રયત્ન કરવો કારણ કે મૃત્યુ નિશ્ચિત જ છે. એમ બીજા દેડકાઓએ દુઃખી બની બૂમો પાડવાનું ચાલુ રાખ્યું. પણ બંને દેડકાએ પોતાની તમામ તાકાત એકઠી કરી કૂદકા મારવાનું ચાલુ રાખ્યું. એમ કરતાં થોડી વારમાં તેઓ થાકી ગયા. અંતે એક દેડકો પોતાના સાથી મિત્રોની વાત સાંભળી શાંતિથી પોતાના નસીબને ભરોસે બેસી રહ્યો અને ઘડાના તળિયે ડૂબીને મરી ગયો.
જ
બીજા દેડકાએ પોતાનામાં જેટલી શક્તિ હતી તે એકઠી કરીને કૂદ મારવાનું ચાલુ રાખ્યું. તેનું શરીર પણ થાકીને દુખવા લાગ્યું. ફરી તેના સાથીદારો તેને પોતાના ભાગ્યને ભરોંસે મોતની રાહ જોઈ બેસી રહેવા કહ્યું, પણ થાકેલો દેડકો જીવવાની ઈચ્છાથી વધુ ને વધુ તાકાતથી કુદકા મારવા લાગ્યો. અને કૌતુક થયું કે તેની આ કૂદાકૂદને કારણે દૂધનું માખણ થઈ ગયું. ટૈડકો હવે માખણના થર પર ઊભો રહી શક્યો. હવે બહાર નીકળવાની આશા જણાઈ. છેલ્લે તેણે પૂરી તાકાતથી જોરદાર ભૂસકો માર્યો અને ઘડાની બહાર ફેંકાઇ ગયો. બધા આશ્ચર્યથી દંગ રહી ગયા. બીજા દેડકા આવી તેની મુક્તિ આનંદથી વધાવી તેઓ તેને પૂછવા લાગ્યા, “અમે તને બહાર નીકળવાનું અશક્ય છે એમ કહેતા હતા છતાં તું કૂદકા કેમ માર્યા કરતો હતો?” આશ્ચર્યથી દેડકાએ તેઓને સમજાવ્યું કે તે બહેરો હતો. એણે તેઓની ઘાટા પાડવાની ચેષ્ટાઓ જોઈ તો તે એમ સમજવું કે સહુ તેને તેના પ્રયત્નો માટે બિરાદાવે છે. જેને તે પ્રેરણા સમજ્યો હતો અને એનાથી જ તેને વધુ ને વધુ જોર કરી કૂદકા મારવાની હિંમત મળી અને ખરેખર અંતે સફળતા મળી.
બોધ: એક કહેવત છે કે, ‘પડે ચડે જીભ વડે જ માનવી' તમારા પ્રેરણાદાયી વયનો કોઇનું જીવન ઊંચે લઈ જાય અને દિવસ સુધારી દે. તમારા વિનાશક શબ્દો કોઈના હૃદયને ઉંડુ દુઃખ આપે, તે શસ્ત્રની ગરજ સારે અને તેમના જીવનને પાયમાલ બનાવે. તમારી બેદરકારીથી બોલાયેલા શબ્દો માણસને બીજાની નજરમાંથી ઉતારી પાડે છે. બીજા ઉપર તેમની કોઈ સારી છાપ રહેતી નથી. સમજી વિચારીને બોલો. તમને મળતા દરેકની સાથે પ્રોત્સાહનથી વાત કરો. તમારી બીજાને ઉદારતાના, પ્રશંસાના તથા પ્રેરણાત્મક શબ્દો કહેવા હોય તો આજે જ કહો. તમારા અંતરાત્માને સાંભળો અને તે મુજબ વર્તો.
Page 306 of 307