SearchBrowseAboutContactDonate
Page Preview
Page 320
Loading...
Download File
Download File
Page Text
________________ Compodium of Jainism - Part (II) L.૩ વિપુલ અને વિજન પ્રતિષ્ઠાનપૂરના જંગલમાં એક પ્રખ્યાત વનવાસી સંન્યાસી રહેતા હતા. તેઓ ભવિષ્યના બનાવો વિષે કહી શકતા હતા. ઘણી વખત ગામના લોકો તેની આજુબાજુ ભેગા થઈ જતા અને તેમના જીવનમાં હવે શું બનવાનું છે તે પૂછતા. જોકે તે સંન્યાસી હંમેશા તેમની જિજ્ઞાસા સંતોષી શકતો નહીં. તે સંન્યાસી લોકોથી બચવા જંગલમાં ખૂબ દૂર ગયા. બે મિત્રો - વિપુલ અને વિજન પ્રતિષ્ઠાપુરના જંગલમાં ભૂલા પડ્યા. અંધારું થવાને લીધે તેમને મોતનો ડર લાગવા માંડ્યો. આશ્રય માટે આજુબાજુ જોવા લાગ્યા. મોડી રાત્રે તેમને દૂર એક ઝૂંપડી દેખાય અને ગભરાતા ગભરાતા ત્યાં પહોંચ્યા. તેમણે ઝૂંપડીના ડોકિયું કરી અને જોયું તો સંન્યાસી ધ્યાનમાં બેઠેલા હતા. તેમણે માન્યું કે આ એક સંન્યાસી લાગે છે જે તેમના ભવિષ્ય કથન માટે જાણીતા છે. તેઓ તેમનું ધ્યાન પૂરું થાય તેની રાહ જોઈને બેસી રહ્યા અને પછી જંગલમાં ભૂલા પડ્યાનો આખો બનાવ કહ્યો. સંન્યાસીએ તેમની વાત સાંભળી અને તેને ખાવા માટે ફળફળાદી આપ્યા. દયાળુ સંન્યાસીએ તેને આરામ કરવા કહ્યું. બીજે દિવસે સવારે તે સન્યાસીએ તેમના એક શિષ્યને તેઓને ગામનો રસ્તો બતાવવા મોકલ્યા. વિપુલ અને વીજન જતા જતા બે હાથ જોડીને સંન્યાસીને પોતાનું ભવિષ્ય કથન કહેવા વિનંતી કરી. સંન્યાસીએ ખૂબ જ નમ્રતાથી જણાવ્યું કે ભવિષ્ય જાણવું એ ડહાપણભર્યું નથી. વળી કોઈ વાર ભવિષ્યકથન ખોટું પણ પડે. છતાં બંને મિત્રોએ ખૂબ જ આગ્રહ કર્યો એટલે સંન્યાસીએ તેમનું ભવિષ્ય કહ્યુ. તેમણે વિપુલ સામે જોયું અને કહ્યું કે એકાદ વર્ષમાં તું રાજા બનીશ જ્યારે બીજાની સામે જોઈ ને કહ્યું કે એજ સમય દરમ્યાન કોઈ ક્રુર માણસના હાથે તારુ મૃત્યુ થશે. કુદરતી રીતે જ જંગલમાંથી બહાર નીકળતા વિપુલ આનંદથી પાગલ થઇ ગયો જ્યારે વિજન ખૂબ જ નિરાશ અને ખિન્ન થઈ ગયો. શહેરમાં પાછા આવ્યા બાદ વિપુલ ઉદ્ધતાઈથી વર્તવા લાગ્યો અને બધાને કહેવા લાગ્યો કે જો તમે કોઈ અશિષ્ટ વર્તન કરશો તો જ્યારે હું રાજા થઈશ ત્યારે તમારું માથું છૂંદી નાખીશ.ગામના બધા જ લોકો તેનાથી ગભરાવા લાગ્યા. તે સમય દરમિયાન શિક્ષક બનેલો વિજન તેનો સમય ભક્તિભાવથી પ્રાર્થના કરવા માટે સમાજના કામોમાં પસાર કરવા લાગ્યો. તે બધા પ્રત્યે ખુબજ નમ્ર હતો અને ઉદાસીમાંથી બહાર આવવા પ્રયત્ન કરતો. તે મૃત્યુથી ગભરાતો ન હતો. હવે પોતાની જાતને નસીબને ભરોસે રાખી હતી. છ મહિના પછી વિપુલે વિજનને પોતાના મહેલ માટે જગ્યા પસંદ કરવા મદદ કરવા જણાવ્યું. તેઓ કોઈ ઉજ્જડ પ્રદેશને જોઈ તપાસી માપતા હતા તે દરમિયાન વિપુલને અનાયાસે સોનાના સિક્કા ભરેલો ચરુ મળ્યો. તે ખૂબ જ આનંદમાં આવી ગયો અને વિજનને કહ્યું આ સિક્કાથી પોતે તાજ ખરીદશે. તરત જ તે ચરૂ ઝૂંટવી લેવા ઝાડની ઘટા પાછળથી લૂંટારો તૂટી પડયો. વિશ્વન પોતાના મિત્રને છોડાવવા ગયો. લૂંટારુઓએ કટારથી તેના પર હુમલો કર્યો. વિજન બચાવ કરવાની યુક્તીઓ જાણતો હોવાથી લૂંટારૂને ભગાડયા. પણ લૂંટારૂઓ તેના ખભા પર કટારનો ઘા Page 304 of 307
SR No.000027
Book Title$JES 904 Compendium of Jainism Part 02 Gujarati (Translation of Jain Academic Bowl Manual 4th Edition)
Original Sutra AuthorN/A
AuthorJAINA India Foundation
PublisherJAINA India Foundation
Publication Year2022
Total Pages324
LanguageGujarati
ClassificationJaina_Education, Book_Gujarati, 0_Jaina_education, & JAINA Books
File Size
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy