________________
Compodium of Jainism - Part (II)
ચરૂ મળ્યા. જેવો કમલસેન ત્યાં આવી પહોંચ્યો કે સીમેલા એ તરત જ માટીથી તે ચરૂ સંતાડવાનો પ્રયત્ન કર્યો તે જોઈ કમલસેને મોટેથી કહ્યું, “હું જોઈ ગયો છું.” (ખરેખર તેણે ટાલીયા કુંભારને જોયો છે એમ કહ્યું હતું.)
કુંભારને લાગ્યું કે તે કિંમતી રત્નોથી ભરેલો ચરુ જોયું છે. તે કોઈને જ ચરુમાંથી ભાગ આપવા રાજી ન હતો. એટલે તેણે કમલસેનને કહ્યું કે આ ચરૂ અંગે કોઇને કશું કહીશ નહિ. આપણે બંને અડધા ભાગે વહેંચી દેશું. શરૂઆતમાં તો સિમેલો શું કહે છે તેની કમલસેનને કંઇ સમજ ન પડી. પણ પછી તેને સમજાઈ ગયું. તેથી ખજાનાનો અડધો ભાગ લઇ લીધો અને ઘરે પાછો આવી ગયો.
ઘરે પાછા આવીને તે ઉંડા વિચારમાં પડી ગયો. “એક સાદો નિયમ જે કેવળ મજાકમાં જ લીધો હતો તેનાથી પણ મને આટલી બધી સંપત્તિ મળી. જો મેં ગંભીરનાપૂર્વક કોઈ નિયમ લીધો હોત તો મને વધુ મોટો લાભ થયો હતો.” આ બનાવથી કમલસેનની આખી જિંદગી બદલાઈ ગઈ. પછી તો તેને ઘણા નિયમો લીધા અને તે ખૂબ સુખી થયો.
બોધ: જ્યારે કોઈ કંઈ કરવાની પ્રતિજ્ઞા કરે છે તો તેને પાર પાડવા ત્યારે જૈન ધર્મ દર્શન સુસંગત સાચી ભક્તિ અને શિસ્ત જરૂરી છે. વળી જૈન ધર્મના સિદ્ધાંતો પ્રમાણે ત્યાગ કરવાની તૈયારી જોઈએ. ધર્મ સંગત ન હોય તેવા કાર્યોની પ્રતિજ્ઞા કરવી અર્થહીન છે. પ્રતિજ્ઞા લેવી અને તેનું યોગ્ય રીતે પાલન કરવું કોઈના આત્માના લાભાર્થે છે. આ લાભ કદાચ આ જન્મમાં પણ મળે અથવા આગળના કોઈ બીજા ભવમાં પણ મળે. ગમે તેમ પણ કરેલી પ્રતિજ્ઞાઓ તમારા વર્તમાન જીવનને શિસ્તબદ્ધ બનાવે છે.
Page 303 of 307