________________
Compodium of Jainism – Part (II)
બોધ: સત્ય અને અહિંસા અને તેની વચ્ચેના સંબંધનો મહત્વ સમજાવવાનો જૈન દર્શનના સિદ્ધાંત આ વાર્તાના મુખ્ય મુદ્દો છે. કેટલીકવાર એક જૈન્ સિદ્ધાંતનો અમલ કરતા બીજા સિદ્ધાંતને હાનિ પહોંચાડીએ છીએ. જેનો રાજા હંસને સામનો કરવો પડ્યો. દરેક પરિસ્થિતિનો કાળજીપૂર્વક વિચાર કરીને બીજા કોઈ સિદ્ધાંતને કે બીજા કોઈને હાનિ ન પહોંચે તે રીતે સુંદર રચનાત્મક સારો અને લાભ થાય તેવો ઉકેલ તેઓ મેળવતા. આમાંથી આપણને તેમના જૈન ધર્મ પરની ભક્તિ અને સિદ્ધાંતોને વળગી રહેવાપણું જોવા મળે છે. છેલ્લે જ્યારે અર્જુનના સૈનિકોનો સામનો કરવો પડયો ત્યારે સત્ય બોલવાથી જીવ જોખમમાં હોવા છતાં કોઈ ન કરી શકે તેવું સત્યનું પાલન કર્યું. તેમને કદાચ તેઓ મારી પણ નાખે છતાં સત્ય બોલવાના જૈન સિદ્ધાંતને વળગી રહ્યા.
મુખ્ય મુદ્દાઓ
•
•
•
•
•
રાજા હંસ પોતાના જીવના જોખમે પણ જૈન સિદ્ધાંતોને હંમેશા વળગી રહ્યા.
એમણે શિકારીને જવાબ ન આપીને એક હરણનો જીવ બચાવ્યો હતો.
પોલીસને ચોરની પાછળ જવાને બદલે સાધુની સાથે રહી રક્ષા કરવા કહ્યું અને એમણે ચોરોને પણ બચાવ્યા હતા.
જ્યારે સૈનિકો રાજા હંસને શોધતા શોધતા આવ્યા ત્યારે પણ તેમણે સત્ય કહ્યું કે હું જ રાજા હંસ છું.
આ બધું જોઈને રાજા હંસની મદદે દેવદૂત આવ્યા.
Page 301 of 307
G