SearchBrowseAboutContactDonate
Page Preview
Page 316
Loading...
Download File
Download File
Page Text
________________ Compodium of Jainism – Part (II) ગુંડા જેવા લાગતા કોઈ માણસ જોયા છે કે કેમ તે પૂછવા લાગ્યા. તેમણે કહ્યું, “એ માણસો ખૂબ ખતરનાક છે અને રસ્તેથી પસાર થતા પવિત્ર માણસોને હેરાન કરે છે તેથી અમે તેઓને પકડવા આવ્યા છે. જરૂર પડશે તો પવિત્ર માણસોના રક્ષણ માટે તેઓને ગોળીથી ઉડાડી દઈશું.” રાજાને ફરી એકવાર સત્ય કહેવું કે ના કહેવું તે અંગે દ્વિધા થઈ. રાજાએ વિચાર્યું કે જો તે પોલીસોને લૂંટારૂઓ વિશે સાચું કહેશે તો તેઓ તેમને પકડીને સજા કરશે અને નહીં કહે તો લૂંટારૂઓ સાધુને હેરાન કરશે. રાજાએ વિચાર્યું કે જો સત્ય કહેવાથી કોઈને નુકસાન થવાનું હોય તો સત્ય સાચી પસંદગી નથી. સત્ય રક્ષણ માટે છે, કોઈને નુકસાન કરવા માટે નથી, તેણે પોલીસને કહ્યું, “મિત્રો, તમે સાધુને રક્ષણ આપવા માંગો છો તો લૂંટારુઓની ચિંતા કર્યા વગર સાધુને બચાવવા એમની સાથે જ રહો.” પોલીસે તેની વાત સાથે સહમત થયા અને સાધુઓ સાથે જોડાઈ ગયા. ઝાડીમાં છુપાયેલા લૂંટારુઓએ આ બધી વાત સાંભળી. આ અજાણ્યા માણસે બતાવેલી દયાથી તેઓને નવાઈ લાગી. તેઓ ઝાડીમાંથી બહાર આવ્યા અને પોતાની જિંદગી બચાવી તેથી આભાર માન્યો, કોઈપણ પ્રકારની મદદની જરૂર હોય તો જણાવવા કહ્યું. રાજાએ કહ્યું, “મિત્રો, લોકોને ત્રાસ આપવાનું છોડી દો. આ નાસભાગની જીદગી કરતા સારા નાગરિક બનીને રહો.” લૂંટારુઓએ સાધુઓને કોઈ રીતે હેરાન નહીં કરે તેની ખાતરી આપી અને સારા નાગરિક બનવાનું વચન આપ્યું. આટલું પૂરતું ન હોય તેમ કેટલાક સૈનિકો ત્યાં આવ્યા અને રાજા હંસ અંગે પૂછવા લાગ્યા. રાજાએ પૂછ્યું, “તમારે રાજાસ નું શું કામ છે?” તેમણે કહ્યું, “અમે રાજા અર્જુનના વિશ્વાસુ માણસો છે અને જો અમે રાજાહંસને પકડીએ કે મારી નાખીએ તો અમને ઘણો મોટો બદલો મળે.” રાજાહંસે ક્ષણવાર વિચાર કર્યો અને કહ્યું, “હું જ રાજાહંસ છું. તમારા રાજાએ કહ્યા પ્રમાણે તમે તમારી ફરજ બજાવો.” આટલું કહીને તે આંખો બંધ કરીને ધ્યાનસ્થ અવસ્થામાં નવકાર મંત્રનું સ્મરણ કરતા ઊભા રહી ગયા. એટલામાં એક દેવદૂત આવ્યો અને કહ્યું, “હે રાજા, તારા જેવા સત્યવાદી અને દયાળુથી હું જીતી ગયો છું, રાજા અર્જુનને બંદીવાન બનાવીને મેં પકડી લીધો છે. તમારું રાજ્ય તમારા પ્રધાનોને પાછું સોંપી દીધું છે. ભગવાનની પ્રાર્થના માટે આજનો દિવસ ઉત્તમ છે પણ મંદિર અહીંથી દૂર છે અને ત્યાં તમે સમયસર પહોંચી શકો તેમ નથી. મારો રથ તમારી સેવામાં હાજર છે તેમાં હું તમને ત્યાં લઈ જઈશ.” રાજા આ ચમત્કારિક બનાવથી આશ્ચર્યમાં મુકાઈ ગયા. રત્નશૃંગ પર્વતની ટોચ પર આવેલા મંદિરમાં તે દેવની સાથે સમયસર પહોંચી ગયા. પછી દેવે રાજાને પોતાના રાજ્યમાં પહોંચાડી દીધા. રાજા હંસે અર્જુનને માફ કરી દીધો અને તેના સૈનિકોને મુક્ત કરી દીધા. દેવદૂતે રાજા હંસની અને તેના રાજ્યની સલામતી માટે ચાર પ્રતિનિધિઓને નિયુક્ત કર્યા અને પછી તે ચાલ્યા ગયા. રાજાહંસે ફરીથી રાજપુર પર રાજ્ય કર્યું અને લોકોને સુખી કર્યા. Page 300 of 307
SR No.000027
Book Title$JES 904 Compendium of Jainism Part 02 Gujarati (Translation of Jain Academic Bowl Manual 4th Edition)
Original Sutra AuthorN/A
AuthorJAINA India Foundation
PublisherJAINA India Foundation
Publication Year2022
Total Pages324
LanguageGujarati
ClassificationJaina_Education, Book_Gujarati, 0_Jaina_education, & JAINA Books
File Size
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy