________________
Compodium of Jainism - Part (II)
L.1 રાજા હંસ
રાજપુર નામના શહેરમાં હંસ નામે અતિ સુંદર રાજા રાજ્ય કરતો હતો. તેની સત્ય અને અહિંસા પ્રત્યેની ભક્તિને કારણે તે લોકોમાં જાણીતો હતો. રાજપુર શહેરથી બહુ જ દૂર આવેલ રત્નગ પર્વતની ટોચ પર બનાવેલું સુંદર જૈન મંદિર જૈનોના પ્રથમ તીર્થંકર શ્રી ઋષભદેવને અર્પણ કર્યું હતું. ચૈત્ર મહિનાની પૂનમે લોકો દૂર-દૂરથી તે મંદિરમાં પૂજા માટે આવતા. એકવાર રાજાએ તે મંદિરની મુલાકાત લેવાનું નક્કી કર્યું. પોતાની લાંબી ગેરહાજરીના કારણે તેમના પ્રધાનોને રાજ્યની દેખભાળ રાખવાનું સોંપ્યું. અને આધ્યાત્મિક હેતુસર રાજવી પરિવાર સાથે ઊપડી ગયા.
રાજા હંસને ગયાને થોડા દિવસ થયાને પાડોશી રાજ્યના રાજા અર્જુને રાજ્ય પર હુમલો કર્યો. જોરદાર મુકાબલો કરવા છતાં રાજા હંસની સૈન્ય હારી ગયું. મોટા મહારથીઓ યુદ્ધમાં માર્યા ગયા. અર્જુને રાજ્ય અને પ્રજા પર પોતાની સત્તા સ્થાપી દીધી. અર્જુને રાજ્ય સિંહાસન મેળવી લીધું. સમગ્ર રાજ્ય પર તેની આણ વરતાવા લાગી.
મંદિર જતા રસ્તામાં રાજા હંસે પોતાના સૈન્યના હારના સમાચાર જાણ્યા. રાજાના સલાહકાર નિરાશ થઈ ગયા અને પાછા ફરવાની સલાહ આપી. રાજાએ કહ્યું, “હવે મે રાજય તો ગુમાવી દીધું છે. આપણે આધ્યાત્મિક હેતુસર જઈ રહ્યા છીએ તો આપણે તે અંગે વિચારવું જોઈએ. તેથી આપણે પૂજા માટે મંદિરે જઈએ.” રાજાના નિર્ણયથી બધા દરબારી નિરાશ થયા અને પોતાના કુટુંબીજનોની સલામતીની ચિંતા કરવા લાગ્યા. એક પછી એક બધા દરબારી વિખૂટા પડવા લાગ્યા. છેવટે એકલો છત્ર પકડનાર સેવક જ રાજા સાથે રહ્યો.
મંદિર જવા માટે રસ્તામાં ભયાનક જંગલમાંથી પસાર થવું પડ્યું. રાજાએ તેમનો રાજવી પોશાક તથા અલંકારો ઉતારી કાઢ્યા અને નોકરને આપી દીધા. જંગલમાંથી પસાર થતી વખતે નોકર પણ રાજાથી છૂટો પડી ગયો.
રસ્તામાં રાજાને એક હરણ દેખાયું અને દોડીને અદ્રશ્ય થઈ ગયું. એક શિકારી હાથમા ધનુષબાણ લઈ દોડતો ત્યાં આવ્યો અને રાજાને હરણ વિશે પૂછવા લાગ્યો. રાજા સમજતા હતા કે જો તેઓ સત્ય કહે તો શિકારી હરણને પકડીને મારી નાખજો. એણે મનમાં નક્કી કર્યું કે તે શિકારીને કોઈ જવાબ આપશે નહીં. શિકારી સાથે અસંબંધ વાતો કરવા લાગ્યા. તેણે કહ્યું પોતે રાજપુરથી આવે છે. શિકારી એની વાત સાંભળ્યા વગર ફરીથી હરણ વિશે પૂછવા માંડ્યો. તેણે જવાબ આપ્યો પોતે રાજા છે. શિકારી રાજાના જવાબથી ગુસ્સે થઈ ગયો. ગુસ્સામાંને ગુસ્સામાં તે ચાલ્યો ગયો. તે દરમ્યાન રાજા ખૂબ જ થાકી ગયા હોવાથી એક ઝાડ નીચે આરામ કરવાનો વિચાર કર્યો. ત્યાં ઝાડીમાંથી તેમણે લૂંટારુંઓ વાર્તાલાપ સાંભળ્યો કે આ રસ્તેથી બે દિવસ દરમિયાન પસાર થનાર સાધુઓને તેઓ લૂંટી લેશે. આ વાત સાંભળી રાજા સાધુઓની સલામતી માટે ચિંતિત થયા. રાજા વિચારવા લાગ્યા કે તે આમાં શું કરી શકે? તે વિચારતો હતો તે દરમિયાન સૈનિકો ત્યાં આવ્યા.
Page 299 of 307