SearchBrowseAboutContactDonate
Page Preview
Page 309
Loading...
Download File
Download File
Page Text
________________ Compodium of Jainism – Part (II) વ્યક્ત કરવાથી તેઓ આચારમાં અહિંસા અને વિચારમાં અનેકાંતવાદ આચરનાર એક આદર્શ જૈનની પ્રતિભા પ્રગટ કરતા હતા. જૈન ધર્મની પ્રમાણભૂત અને બૌદ્ધિક ધાર્મિક પરંપરાઓને તેઓ જાગૃત અમેરિકનો આગળ રજૂ કરતા અને તેની પ્રતીતિ તેઓ પોતાના વક્તવ્યમાં ઉત્તમ રીતે કરાવતા. તેમના ભાષણો શહેરના આગળ પડતા છાપાઓમાં ખાસ જગ્યા શોભાવતા. શ્રી વીરચંદ ગાંધી ભારતીય સંસ્કૃતિ અને ધર્મના મહાન પથ દર્શક હતા. જૈન ધર્મના પ્રકાંડ પંડિત હતા. ધર્મ પરિષદમાં તેમણે આપેલા ભાષણમાં ભારતની સંસ્કૃતિનો સાચો પડઘો જોવા મળતો. અમેરિકામાં એવી છાપ હતી કે ભારત તો વાઘ, સાપ, જાદુગર તથા રાજાઓનો દેશ છે. ખ્રિસ્તી પાદરીઓ એ પણ ભારતનું બેહુદુ ચિત્ર લોકો સમક્ષ દોર્યું હતું. શ્રી વીરચંદ ગાંધી અને સ્વામી વિવેકાનંદે પરદેશમાં ભારતનું સાચું ચિત્ર રજૂ કરવાના પ્રયાસો કર્યા. પરદેશીઓને ભારતીય સંસ્કૃતિની સમજ આપતા કહ્યું કે, “પરદેશીઓ એ વારંવાર ભારત પર હુમલા કર્યા છે. છતાં તેનો સામનો કરતાં ભારતની પ્રજાનો આત્મા જીવંત અને સાવધાન છે. તેની વર્તણુંક અને ધર્મ સલામત છે. આખી દુનિયા ભારત તરફ મીટ માંડીને બેઠી છે એ આશ્ચર્યજનક સત્ય છે.” શ્રી વીરચંદ ગાંધી હઠાગ્રહી વ્યક્તિ ન હતા. તેઓ જૈન તરીકે ભાષણ આપતાં પણ પરિષદમાં વિદેશીઓના પ્રહારથી હિંદુ ધર્મનો બચાવ કરતા કારણ તેઓ જૈન કરતા પ્રથમ ભારતીય હતા. તેમણે અમેરિકા અને બીજા દેશોમાં ક્લબ, સાહિત્યિક અને ધાર્મિક મંડળો, તત્વજ્ઞાનની શાળાઓ અને આધ્યાત્મિક સંગઠનો દ્વારા શ્રેષ્ઠ કદરદાની અને પ્રેમાળ આવકાર પ્રાપ્ત કર્યો. પોતાના ભાષણોમાં પશ્ચિમના લોકોને ભારતીય સંસ્કૃતિની વિશિષ્ટતાઓનું જ્ઞાન આપ્યું. ભારતની આઝાદીના પાંચ દાયકા પહેલા શ્રી વીરચંદ ગાંધીએ ભવિષ્ય દર્શન થયેલું. તેમણે તેના એક ભાષણમાં કહ્યું હતું, “મારા ભાઈઓ અને બહેનો તમે જાણો છો કે આપણું રાષ્ટ્ર સ્વતંત્ર નથી આપણે મહાન રાણી વિક્ટોરિયાના તાબા હેઠળ છીએ, પણ આપણી પોતાની જ સરકાર અને પોતાના જ શાસન કરતા હોય તો આપણે આપણા કાયદા અને સંસ્થાનો મુક્ત અને સ્વતંત્રપણે વહીવટ કરી શકીએ. તો હું ખાતરી આપું છું કે આપણે જગતના તમામ રાષ્ટ્રો સાથે શાંતિમય સંબંધો સ્થાપી શકીએ.” શ્રી વીરચંદ ગાંધી માત્ર તત્વજ્ઞાની વિચારક જ ન હતા પણ દિલથી રાષ્ટ્રના હિત ચિંતક પણ હતા. તેઓ જ્યારે અમેરિકામાં હતા ત્યારે ૧૮૯૬માં ભારતમાં દુકાળ પડયો હતો. તે સમયે રૂપિયા ૪૦૦૦૦ ના અનાજ વહાણમાં ભરીને અમેરિકાથી ભારત મોકલ્યા હતા. અમેરિકામાં વીરચંદ ગાંધીએ જુદા જુદા મંડળો શરૂ કર્યા હતા. • શ્રી ગાંધી તત્વજ્ઞાન મંડળ. . પૌર્વાત્ય (પૂર્વીય) તત્વજ્ઞાન શાળા • ભારતીય સ્ત્રીઓનું શિક્ષણ મંડળ. Page 293 of 307
SR No.000027
Book Title$JES 904 Compendium of Jainism Part 02 Gujarati (Translation of Jain Academic Bowl Manual 4th Edition)
Original Sutra AuthorN/A
AuthorJAINA India Foundation
PublisherJAINA India Foundation
Publication Year2022
Total Pages324
LanguageGujarati
ClassificationJaina_Education, Book_Gujarati, 0_Jaina_education, & JAINA Books
File Size
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy