SearchBrowseAboutContactDonate
Page Preview
Page 308
Loading...
Download File
Download File
Page Text
________________ Compodium of Jainism – Part (II) સામે વિરોધ નોંધાવવો એ આખરી સજાને પાત્ર અથવા મૃત્યુને આમંત્રણ આપવા સમાન ગણાતા. તેમણે સમાધાન માટે શરતો નક્કી કરી. તે સમયના મુંબઈના રાજ્યના ગવર્નર લોર્ડ રે તથા સરકારી અધિકારી વોટસન સાથે નકકર દલીલો દ્વારા યાત્રાળુઓ તથા ધાર્મિક સ્થળોની સુરક્ષા પેટે વાર્ષિક ચોક્કસ રકમ રૂ. ૧૫૦૦૦ ના બદલામાં માથાદીઠ વેરો તેમણે માફ કરાવ્યો. ઈ.સ. ૧૮૯૧માં બોડમ નામના એક અંગ્રેજે ભારતના બિહાર રાજ્યમાં આવેલા કલકત્તા નજીકના પવિત્ર તીર્થધામ સમેત શિખર પર્વત પર ફક્કરને મારીને તેમાંથી ચરબી કાઢવાનું કારખાનું શરૂ કર્યું. શ્રી વીરચંદ ગાંધી પવિત્ર યાત્રાસ્થળ પરના કારખાને બંધ કરાવવા કલકત્તા પહોંચ્યા. તેઓ ત્યાં છ મહિના રોકાયા, બંગાળી શીખ્યા અને કારખાના વિરુદ્ધ કેસ તૈયાર કર્યો અને ચુકાદો મેળવ્યો. "સમેત ખર જૈનોનું પવિત્ર યાત્રાનું સ્થળ છે અને ત્યાં કોઈપણ પ્રકારની હિંસક પ્રવૃત્તિ કરી ન શકાય.” અંતે કારખાનું બંધ કરાવ્યુ. ખૂબ નાની ઉંમરે તેઓ સામાજિક સુધારક બન્યા. ૨૨ વર્ષની નાની ઉંમરે એમણે સમાજના દૂષણ દૂર કરતો લાંબો લેખ લખ્યો અને ખોટા રિવાજો સામે સતત લડતા રહ્યા. કેટલાક રિવાજોને તો સંપૂર્ણપણે નાબુદ કર્યા. ઈ.સ ૧૮૯૩ માં વિશ્વધર્મ પરિષદમાં હાજરી આપવા અમેરિકા સ્વામી વિવેકાનંદ સાથે ગયા. ધર્મ પરિષદ પત્યા પછી પણ તેઓ અમેરિકામાં લગભગ બે વર્ષ રહ્યા અને શિકાગો, બોસ્ટન, ન્યૂયોર્ક, વોશિંગ્ટન જેવા શહેરોમાં ભાષણો આપ્યા. તેમણે ઇંગ્લેન્ડ, ફ્રાંસ, જર્મની અને યુરોપના બીજા દેશોની મુલાકાત પણ લીધી. પરદેશમાં તેઓ લાંબો ઝભ્ભો પહેરતા, ખભા પર સફેદ શાલ નાખતા, સોનેરી કિનારી વાળી કાઠીયાવાડી પાઘડી અને દેશી બુટ પહેરતા. આ પહેરવેશમાં તેમની ભારતીયતાની છાપ ઉપસી આવતી હતી. તેમણે જૈન ધર્મ, યોગ, ભારતીય તત્વજ્ઞાનની શાખાઓ, ભારતીય સંસ્કૃતિ, તંત્ર વિદ્યા તથા આધ્યાત્મિકતાના વિષયો પર લગભગ ૫૩૫ થી વધુ ધાર્મિક પ્રવચનો આપ્યા. લર્ડનની કોર્ટે તેમને બેરિસ્ટરની ડીગ્રી આપી પણ પૈસા કમાવવા માટે તેમણે ક્યારેય તેનો ઉપયોગ ન કર્યો. ન શ્રી વીરચંદ ગાંધી જૈન ધર્મના સિદ્ધાંતોને એવી સરસ અને સરળ રીતે સમજાવતા કે ત્યાંના અમુક છાપાવાળાઓ તેમના ભાષણને સંપૂર્ણપણે છાપતા. જૈન ધર્મના અઘરામાં અઘરા પારિભાષિક શબ્દો તેઓ ખૂબ જ સરળ રીતે સમજાવતા. તેમની પાસે પોતાની વાતને સુસંગત અને તાર્કિક રીતે સમજાવવાની આગવી શક્તિ હતી જેથી પરિષદમાં જૈન ધર્મના સિદ્ધાંતોને ટૂંકમાં છતાં સ્પષ્ટ રીતે રજુ કરતા. તેમણે જૈન ધર્મ અને તત્વજ્ઞાન, જૈન ધર્મની જીવન જીવવાની રીત તથા જૈન ધર્મના સિદ્ધાંતોને બહુ જ સ્પષ્ટપણે સમજાવ્યા. શ્રી વીરચંદ ગાંધીના જૈન ધર્મના ભાષણોની આગવી ઢબ હતી કે તેઓ બીજા કોઈ ધર્મની ટીકા કરતા નહીં. સાંપ્રદાયિકતાના ગમા-અણગમાથી પર રહીને પોતાના વિચારોને બિન પક્ષપાતી રીતે Page 292 of 307
SR No.000027
Book Title$JES 904 Compendium of Jainism Part 02 Gujarati (Translation of Jain Academic Bowl Manual 4th Edition)
Original Sutra AuthorN/A
AuthorJAINA India Foundation
PublisherJAINA India Foundation
Publication Year2022
Total Pages324
LanguageGujarati
ClassificationJaina_Education, Book_Gujarati, 0_Jaina_education, & JAINA Books
File Size
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy