SearchBrowseAboutContactDonate
Page Preview
Page 307
Loading...
Download File
Download File
Page Text
________________ Compodium of Jainism - Part (II) K.2.1 જીવન અને કવન K.2 વિરચંદ આર. ગાંધી (ઓગસ્ટ ૨૫, ૧૮૬૪ થી ઓગસ્ત ૭, ૧૯૦૧) સપ્ટેમ્બર ૧૧, ૧૮૯૩નો એ યાદગાર દિવસ હતો. શિકાગો નામ અને કલા સંસ્થાનો (આર્ટ ઇન્સ્ટિટયૂટ શિકાગો) કોલંબસ હોલ જુદા જુદા દેશ અને ધર્મના લગભગ ૩૦૦૦ પ્રતિનિધિઓથી ખીચોખીચ ભરાયેલો હતો. જગતના ધર્મોની પરિષદનો એ ઉદઘાટનનો દિવસ હતો. માનવ ઇતિહાસમાં આવી પરિષદ આ પ્રથમ વખત જ ભરાઈ હતી. આ પરિષદનો હેતુ જગતના જુદા જુદા ધર્મોનું જ્ઞાન ફેલાવવાનો અને અનુયાયીઓ વચ્ચે ભાઈચારાની ભાવના વિકસાવવી જગતની શાંતિ કાયમ રાખવાનો હતો. આ પરિષદ ૧૭ દિવસ ચાલી હતી. આ બધામાં તેમના ભારતીય પોશાક અને પાઘડી પહેરેલા બે જુવાન માણસો ખાસ આકર્ષણનું કેન્દ્ર હતા. તેમાંથી એક જગ પ્રસિદ્ધ સ્વામી વિવેકાનંદ જેઓએ હિન્દુ ધર્મનું પ્રતિનિધિત્વ કર્યું હતું અને બીજા શ્રી વીરચંદ રાઘવજી ગાંધી જેઓએ જૈન ધર્મનું પ્રતિનિધિત્વ કર્યું હતું. તેમણે યુ.એસ.એની પરિષદ દરમિયાન ધર્મ સભામાં પોતાના વક્તવ્ય અને વ્યક્તિત્વથી સૌને પ્રભાવિત કર્યા અને તેથી તેમને યુ.એસ.એ.માં વધુ રોકાઈને જુદાજુદા શહેરોમાં ભાષણ યોજવા જણાવ્યું. ત્યાં હાજર રહેલા સભાસદો ૨૯ વર્ષના યુવાન શ્રી વીરચંદ ગાંધીના વક્તવ્યથી જ પ્રભાવિત થયા એટલું જ નહીં પણ તેમના જ્ઞાનથી પણ પ્રભાવિત થાય. જૈન ધર્મનું સમગ્ર દ્રષ્ટિકોણ અને તે રજુ કરવાની વાક્છટાથી સભાસદ ચકિત થઈ ગયા. અમેરિકન છાપામાં છપાયુ કે, “પૂર્વીય તમામ વિદ્વાનોમાં જૈન ધર્મની શ્રદ્ધા અને રીત રસમ અંગેના આ યુવાનનું ભાષણ ખુબ જ સરસ અને ધ્યાનથી સાંભળવામાં આવ્યું." શ્રી વીરચંદ ગાંધી ઓગસ્ટ ૨૫, ૧૮૬૪ માં ગુજરાતમાં ભાવનગરની નજીક આવેલા મહુવામાં જન્મ્યા હતા. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ ભાવનગરમાં પૂરું કર્યા બાદ તેઓ મુંબઈની એલ્ફિસ્ટન કોલેજમાં જોડાયા. તેમણે બીએ.હોનર્સની ડીગ્રી મુંબઈ યુનિવર્સિટીમાંથી ઈ.સ. ૧૮૮૪માં મેળવી. સમગ્ર જૈન સમાજમાં તેઓ પ્રથમ જ ગ્રેજ્યુએટ હતા. તેઓ બૌદ્ધ ધર્મ, વેદાંત, તત્વજ્ઞાન, યોગ, ખ્રિસ્તી ધર્મ અને પશ્ચિમના તત્વજ્ઞાનના સંપૂર્ણ જાણકાર હતા. તેમણે ઘણા બધા ધર્મના તત્વજ્ઞાનનો તુલનાત્મક અભ્યાસ કર્યો હતો જેને લીધે જુદા જુદા વિષયો પર ખૂબ જ પ્રભુત્વ અને વિશ્વાસી ભાષણ આપી શકતા. તેમણે ગુજરાતી, હિન્દી, બંગાળી, અંગ્રેજી, પ્રાકૃત, સંસ્કૃત, સૈન્ય જેવી ૧૪ ભાષાનો અભ્યાસ કર્યો હતો. ઈ.સ. ૧૮૮૫માં ૨૧ વર્ષની ઉંમરે શ્રી વીરચંદ ગાંધી સર્વપ્રથમ જૈન ધર્મ સભાના માનદ મંત્રી બન્યા. મંત્રી તરીકે તેઓએ પવિત્ર યાત્રાધામ ભારતના ગુજરાતમાં આવેલા પાલિતાણા પાસેના શત્રુંજય પર્વત પર લેવામાં આવતા યાત્રાળુ વેરાને નાબૂદ કરાવ્યો. એ દિવસોમાં શાસન કરતા Page 291 of 307
SR No.000027
Book Title$JES 904 Compendium of Jainism Part 02 Gujarati (Translation of Jain Academic Bowl Manual 4th Edition)
Original Sutra AuthorN/A
AuthorJAINA India Foundation
PublisherJAINA India Foundation
Publication Year2022
Total Pages324
LanguageGujarati
ClassificationJaina_Education, Book_Gujarati, 0_Jaina_education, & JAINA Books
File Size
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy