SearchBrowseAboutContactDonate
Page Preview
Page 305
Loading...
Download File
Download File
Page Text
________________ Compodium of Jainism – Part (II) જન્મજાત કવિ હતા, તેમની યાદશક્તિ અદ્વિતીય હતી, સમાજસુધારક હતા, અહિંસાના ઉપાસક અને પ્રચારક હતા, અને સર્વ ધર્મ પ્રત્યે સમભાવવાળા હતા. બીજા મહાન પુરુષોની જેમ જ શ્રીમદ રાજચંદ્રની મહાનતાની તેમના જીવનકાળ દરમિયાન ખાસ નોંધ ન લેવાઈ. જૈન સમાજમાં શ્રીમદ્ બહુ પ્રિય ન હતા કારણ કે તેમણે જૈન સમાજની યોગ્ય સમજ અને હેતુ રહિત ખોટી પ્રણાલીઓ વિશે ઉલ્લેખ કર્યો હતો. એમના મૃત્યુ બાદ તેમની મહાનતાની પિછાણ લોકોને થઈ. આધ્યાત્મિક વિકાસ અને આખરી મોક્ષ માટે જીવનમાં સદગુરુની જરૂરિયાત પર તેમણે ખૂબ ભાર મૂક્યો હતો. શ્રીમદ હંમેશા માનતા હતા કે તેઓએ દીક્ષાગ્રહણ કરેલ ન હોવાથી મોક્ષમાર્ગનો ઉપદેશ આપવા માટે તેઓ અધિકારી નથી. તેથી પોતાનામાં વિશાળ જ્ઞાન હોવા છતાં તેઓ લોકોને ઉપદેશ આપતા નહીં. તેમને આશા હતી કે પાછલી જિંદગીમાં તેઓ સાધુ બનશે અને યોગ્ય સમય આવે જૈન સમુદાયને યોગ્ય ઉપદેશો આપશે. જૈન ધર્મમાં પ્રવેશેલા અયોગ્ય ક્રિયાકાંડને તિલાંજલિ આપવા સમજાવશે. બોધ: શ્રીમદ રાજચંદ્ર પોતાના અંગત સત્સંગ પ્રતિ લખેલું લખાણ તથા વ્યક્તિગત ટિપ્પણીમાં જૈન ધર્મનું તત્વ જોવા મળે છે. પત્ર, નિબંધ અને કાવ્યો તથા મોક્ષમાળા, આત્મસિદ્ધિ શાસ્ત્ર, અપૂર્વ અવસર અને બીજા ઘણા આધ્યાત્મિક લખાણ તેમની અમૂલ્ય ભેટ છે. ટૂંકમાં 33 વર્ષની ઉંમર દરમ્યાન તેમણે શાશ્વતનો મહિમા સમજાવતો આધ્યાત્મિક સંદેશો આપ્યો. ભગવાન મહાવીરના ઉપદેશને સરળ વાણીમાં સમજાવ્યો. તેમનો આ ઉપદેશ સામાન્ય માનવી સહેલાઈથી મેળવી શકે છે. આપણને સાચા આત્મસાક્ષાત્કાર પામેલા માનવીને સમજવાની અદ્વિતીય તક તેમના લખાણો દ્વારા પ્રાપ્ત થાય છે. મુખ્ય મુદ્દાઓ: • શ્રીમદ્ રાજચંદ્રનો જન્મ કાર્તિક મહિનાની પૂર્ણિમા દેવદિવાળી)ના શુભ દિવસે નવેમ્બર,૧૮૬૭) ગુજરાતના મોરબી જિલ્લાના વવાનીયા ગામમાં થયો હતો. • પિતા રવજીભાઈ (હિન્દુ) અને માતા દેવબા(જૈન) હતા. • તેમણે આઠ વર્ષની ઉંમરે તેમની પ્રથમ કવિતા રચી હતી · ૧૬ વર્ષની ઉંમરે, તેમણે "મોક્ષમાળા" અને તેનું સંકલન "ભાવાના-બોધ" લખ્યું. • ૨૦ વર્ષની ઉંમરે, રાજચંદ્રએ ઝબકબેન સાથે લગ્ન કર્યા. • ૨૩ વર્ષની ઉંમરે, શ્રીમદ્ ને સમ્યકદર્શન સમજાયું . તેમણે સફળતાપૂર્વક ૧૦૦ અવધાન કર્યા જેથી તેઓને શતાવધાની તરીકે ઓળખવામાં આવે છે Page 289 of 307
SR No.000027
Book Title$JES 904 Compendium of Jainism Part 02 Gujarati (Translation of Jain Academic Bowl Manual 4th Edition)
Original Sutra AuthorN/A
AuthorJAINA India Foundation
PublisherJAINA India Foundation
Publication Year2022
Total Pages324
LanguageGujarati
ClassificationJaina_Education, Book_Gujarati, 0_Jaina_education, & JAINA Books
File Size
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy