________________
Compodium of Jainism - Part (II)
થતા શિષ્ય જિંદગીના ચક્ર વધારીને દુ:ખ અને પીડા જ પામે છે.
તો બીજી બાજુ સાધક સદગુરૂ દ્વારા અપાતા ઉપદેશને જાણીને, સમજીને સાચી સ્વતંત્રતા અને મોક્ષ મેળવી શકે છે.
K.1.8.1 નૈતિકતા
સારી રીતભાત, સારી પ્રવૃત્તિઓ અને સારી વર્તણૂક પવિત્રતાનું પ્રતિક છે.
દરેક જીવંત વ્યક્તિ સમાન છે. તેથી કોઈ આત્માને દુઃખ ન પહોંચાડો. દરેક આત્માની ક્ષમતા અને તાકાતથી વધુ કામ ન લેવું.
K.1.8.2 માનવજીવન
જીવંત અસ્તિત્વ ધરાવતા તમામ જીવ કાયમી સુખ ને ઝંખે છે. એમાં કોઈ અપવાદ નથી. આ ઇચ્છા કેવળ માનવ જીવનમાં જ પૂર્ણ કરી શકાય. માનવી દુઃખની જ પસંદગી કરે છે. મોહનીય કર્મના ઉદયને કારણે તે દુન્યવી ઈચ્છાઓ અને માલિકીમાં પણ સુખ જુએ છે જે ખરેખર તેનો ભ્રમ
છે.
k.1.૪.૩ દુન્યવી સુખોથી વિમુખ થવું . વૈરાગ્ય
દુન્યવી અને ભૌતિક સુખો તથા કૌટુંબિક સંબંધોથી મુક્ત થવું તેને વૈરાગ્ય કહેવાય છે. જે શાશ્વત સુખ માટે ખૂબ જ મહત્વનું છે. સાચો ત્યાગ આત્માના સાચા જ્ઞાનથી જ પ્રગટે છે. તે વિના આત્મજ્ઞાન મળવું અસંભવ છે. કોઈ સર્વસ્વ ત્યાગમાં જ અટકીને આત્મજ્ઞાનની ઈચ્છા જ ન રાખે તો તેનો માનવ અવતાર વેડફાઈ જાય છે.
K.1.8.4 જ્ઞાન અને ડહાપણ
યોગ્ય જ્ઞાન દ્વારા આપણે દુનિયાના પદાર્થોના ગુણ અને બદલાતા પર્યાય જાણી શકીએ છીએ. જૈન ધર્મ ગ્રંથ “ઉત્તરાધ્યયન સૂત્રમાં કહ્યું છે કે, “જ્ઞાન એ દોરો પરોવેલી સોય જેવું છે. દોરો પરોવેલી સોય ખોવાતી નથી તેવી જ રીતે ધર્મને રસ્તે ચાલનારા જ્ઞાની મનુષ્ય આ દુનિયામાં ખોવાતો નથી.” સાચું જ્ઞાન એ જ છે જે બાહ્ય લાગણીઓ પર કાબૂ રાખે, કુટુંબ જીવન તથા દુનિયાના સુખો તરફનો લગાવ ઘટાડે, અને સાચું સત્ય પ્રગટાવે. જો તમે તમારી જાતને જાણો તો જાણી શકો. પણ જો તમારી જાતને ન જાણ્યું તો તમારું જ્ઞાન અર્થહીન છે.
K.1.9 ઉપસંહાર
શ્રીમદ રાજચંદ્ર મહાન સંત હતા અને આત્મસાક્ષાત્કાર પામેલ ગુરુ હતા. આગવા શિક્ષણવિદ્ હતા,
Page 288 of 307