SearchBrowseAboutContactDonate
Page Preview
Page 303
Loading...
Download File
Download File
Page Text
________________ Compodium of Jainism – Part (II) K.1.7.2 શ્રી લઘુરાજ સ્વામી શ્રી લઘુરાજ સ્વામી સ્થાનકવાસી જૈન સાધુ હતા અને શ્રીમદના ઘણા ભક્તોમાના એક અનુયાયી હતા. તેઓ સાધુ હોવાને કારણે સંસારી શ્રીમદ પ્રત્યેની ભક્તિના લીધે જૈન સમુદાય તરફથી તેમને ઘણા મોટા પ્રશ્નો ઊભા થયા હતા. શ્રીમદ રાજચંદ્રની હાજરીમાં જ એમને આધ્યાત્મિક જ્ઞાન પ્રાપ્ત થયેલું અને વડોદરાની નજીક અગાસ આશ્રમની તેમણે સ્થાપના કરાવી. શ્રીમદ રાજચંદ્રના બધા લખાણો સાચવવાનો અને મોટાપાયે લોકો સુધી પહોંચાડવાનો જશ આ આશ્રમને જાય છે. શ્રીમદ રાજચંદ્રના અનુયાયીઓ માટે અગાસ મહત્વનું સ્થાન છે. આજે પણ ભારતમાં અને ભારતની બહાર શ્રીમદ્ રાજચંદ્રના ૫૦ કરતાં પણ વધુ આશ્રમો છે. જ્યાં શ્રીમદ્ રાજચંદ્રના અનુયાયીઓ ભક્તિ કરે છે અને શ્રીમદ્ રાજચંદ્રના સાહિત્યનો અભ્યાસ કરે છે. K.1.7.3 શ્રી અંબાલાલભાઈ ખંભાતના રહેવાસી શ્રી અંબાલાલભાઈ એક નિષ્ઠાવાન શિષ્ય હતા. જેઓએ પોતાની ઝળહળતી વકીલાત શ્રીમદ રાજચંદ્રની સેવા માટે છોડી દીધી. શ્રીમદ રાજચંદ્ર તેમને તેમની અસામાન્ય શક્તિને કારણે ધર્મગ્રંથોની નકલ કરવાનું તથા પોતાના પત્રોના ઉતારાનું કામ સોંપ્યું હતું. તેઓ અને શ્રીમદ રાજચંદ્રના નાના ભાઈ મનસુખભાઈ શ્રીમદ રાજચંદ્રના પત્રો, સાહિત્ય ભેગું કરતા અને તેને છપાવવાનું કામ સંભાળતા. શ્રીમદ પછી ચાર વર્ષે ઈ.સ.૧૯૦૫(વી. સં. ૧૯૬૧) માં અંબાલાલભાઈ ને આત્મજ્ઞાન પ્રાપ્ત થયું અને સમાધિ અવસ્થામાં જ નાની ઉંમરે મૃત્યુ પામ્યા. K.1.7.4 શ્રી જુઠાભાઇ શ્રીમદ્ રાજચંદ્રના દૈવીતત્ત્વને પિછાણનારા સૌપ્રથમ જુઠાભાઇ હતા. તેમણે શ્રીમદ્ રાજચંદ્રને તેમના આધ્યાત્મિક માર્ગદર્શક તરીકે સ્વીકાર્યા હતા. તેમના સંબંધો ગાઢ હતા. જુઠાભાઇ ૧૮૯૦ (વી.સં. ૧૯૪૬)માં ૨૩ વર્ષની નાની ઉંમરે પોતાનું આત્મકલ્યાણ સાધી સમાધિ મૃત્યુને વર્યા. K.1.8 શ્રીમદ રાજચંદ્રનો ઉપદેશ અને તેમનું પ્રદાન રાજચંદ્રનું તમામ સાહિત્ય ભગવાન મહાવીરના ઉપદેશ પર આધારિત છે. તેમણે આદેશ કાવ્યને ગદ્યના રૂપમાં સરળ ગુજરાતી તથા હિન્દી ભાષામાં રજૂ કર્યું છે. આપણે શ્રીમદ્ રાજચંદ્રના લખાણોનો ઊંડો અભ્યાસ કરીશું તો જણાશે કે તેમણે સાચી આધ્યાત્મિકતાને નવો પ્રકાશ આપવા પ્રચંડ પુરુષાર્થ કર્યો છે. અંધવિશ્વાસ દૂર કરી સાચી આધ્યાત્મિક જાગૃતિ લાવવામાં તેઓ સફળ પણ થયા હતા. બાહ્ય વર્તન અને પહેરવેશ પરથી જ કોઈને ગુરુ માનવાની ભૂલ છે એવું લોકોને સમજાવ્યા. આજ તેમનું મોટું યોગદાન હતું. આધ્યાત્મિક સફર અયોગ્ય ગુરુના માર્ગદર્શન દ્વારા Page 287 of 307
SR No.000027
Book Title$JES 904 Compendium of Jainism Part 02 Gujarati (Translation of Jain Academic Bowl Manual 4th Edition)
Original Sutra AuthorN/A
AuthorJAINA India Foundation
PublisherJAINA India Foundation
Publication Year2022
Total Pages324
LanguageGujarati
ClassificationJaina_Education, Book_Gujarati, 0_Jaina_education, & JAINA Books
File Size
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy