SearchBrowseAboutContactDonate
Page Preview
Page 302
Loading...
Download File
Download File
Page Text
________________ Compodium of Jainism – Part (II) તેઓને પોતાની પાછલી જિંદગીના ભવ યાદ આવી ગયા ત્યારે ભગવાન મહાવીર સ્વામી સાથેનો સમાગમ તેમને સ્પષ્ટ યાદ આવ્યો. ઈ.સ. ૧૮૯૧માં (વિ.સ. ૧૯૪૭) ૨૩ વર્ષની ઉંમરે શ્રીમદ્ ને સમ્યગ્દર્શન એટલે કે સાચી શ્રદ્ધા અથવા સહજ જ્ઞાનનો અનુભવ થયો. પોતાની પ્રગતિ સાધવા માટે ધીમે ધીમે દુનિયાથી દુર થઈ ધર્મ ગ્રંથોનો ઊંડો અભ્યાસ કરતા, સદગુણો કેળવતા, દુનિયાના સુખોને ઓછા કરતા અને લાંબો સમય સુધી ધ્યાનમાં જ રહેતા. મહિનાઓ સુધી મુંબઈથી દુર એકાંત જગ્યામાં જઈને રહેતા. શરૂઆતમાં પોતાના માર્ગમાં ઘણી મુસીબતો આવતી કારણ કે ઘર તથા ધંધા તરફ ની કેટલીક જવાબદારીઓ ઉભી હતી. ઈ.સ ૧૮૯૬ માં (વિ.સ. ૧૯૫૨) તેઓ ઉત્તરસંડાના જંગલોમાં, ઈડર અને કાવિઠામાં ઘણા મહિનાઓ સુધી એકાંતમાં રહેતા. એક ટંક ભોજન જમતા, ખૂબ જ થોડી ઊંઘ લેતા. તેઓ તેમનો સમય ઊંડા ધ્યાનમાં પસાર કરતા. ૨૮ વર્ષની ઉંમરે તેઓને આત્મજ્ઞાન પ્રાપ્ત થયું. ધંધામાંથી ૩૧ વર્ષની ઉંમરે ઈ.સ ૧૮૯૯ માં (વિ.સ. ૧૯૫૫) માં સંપૂર્ણ નિવૃત્ત થઈ ગયા. માતા પાસે સંસારને કાયમ માટે છોડીને સાધુ થવાની આજ્ઞા માંગી પણ પ્રેમ અને લાગણીને લીધે માએ ના પાડી. બે વર્ષ સુધી માને ઘણું દબાણ કર્યું અને તેમને આશા હતી કે મા સાધુ થવાની પરવાનગી આપશે પણ એ સમય દરમિયાન તેમની તબિયત બગડી જતી હતી અને તે વધુને વધુ બગડતી ગઈ. ઈ.સ ૧૯૦૧ ચૈત્ર વદ ૫ (વિ.સ. ૧૯૫૭)માં ૩૩ વર્ષની નાની ઉંમરે રાજકોટમાં એમનું અવસાન થયું. 6.1.7 અનુયાયીઓ શ્રીમદ એ તેમની આધ્યાત્મિક જિંદગી બધાથી અંગત રાખવા પ્રયત્ન કર્યો હતો છતાં તેમને ઓળખ મળી છે અને ઘણા લોકો અંતિમ મુક્તિ માટે તેમને તેમના માર્ગદર્શક માનતા હતા અને તેમની ભક્તિ કરતા હતા. તેમના કેટલાક અંગત અનુયાયીઓ નીચે પ્રમાણે હતા. K.1.7.1 શ્રી સોભાગભાઈ ૯૫૦ પત્રોમાંથી ૩૫૦ પત્રો તો શ્રીમદ્ રાજચંદ્રએ શ્રી સોભાગભાઈને જેઓ તેમનાથી ૪૦ વર્ષ મોટા હતા તેમણે લખ્યા હતા. પહેલી જ મુલાકાતમાં સોભાગભાઈએ શ્રીમદને આત્મજ્ઞાની માણસ તરીકે ઓળખ્યા હતા અને તેમને સાચા ગુરુ માન્યા હતા. તેઓ વર્તનમાં બહુ સાદા હતા અને ભક્તિમાં ખૂબ જ ગંભીર હતાં. તેઓ રાજકોટ નજીક આવેલા સાયલાના રહેવાસી હતા. તેમની વિનંતીને માન આપીને શ્રીમદે ગેય મહાકાવ્ય આત્મસિદ્ધિ શાસ્ત્રની રચના કરી હતી. જેથી તેને યાદ કરવું ખૂબ સરળ બને. તેમને આત્મજ્ઞાન પ્રાપ્ત કર્યું અને સમાધિ અવસ્થામાં જ તેમનું મૃત્યુ થયું. Page 286 of 307
SR No.000027
Book Title$JES 904 Compendium of Jainism Part 02 Gujarati (Translation of Jain Academic Bowl Manual 4th Edition)
Original Sutra AuthorN/A
AuthorJAINA India Foundation
PublisherJAINA India Foundation
Publication Year2022
Total Pages324
LanguageGujarati
ClassificationJaina_Education, Book_Gujarati, 0_Jaina_education, & JAINA Books
File Size
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy