________________
Compodium of Jainism – Part (II)
જેનો સાહિત્યક અર્થ ‘મુક્તિનો હાર' એવો થાય. તેના નામ પ્રમાણે જ એ મુક્તિના માર્ગ તરફ જવાની સમજ આપે છે. તે સાદી સરળ ભાષામાં લખાયેલ છે પણ જૈન ધર્મની સંપૂર્ણ માહિતી આપે છે. તેમણે માત્ર ત્રણ દિવસમાં જ તેના ૧૦૮ પાઠની રચના કરી હતી.
અમદાવાદ પાસેના નડિયાદમાં તેઓ નિવૃત્તિ અર્થે રોકાયા હતા ત્યારે તેઓએ સ. ૧૯૫૨ના આસો વદ-૧ના રોજ સાંજના સમયે આત્મસિદ્ધિ શાસ્ત્ર' જેવા શાસ્ત્ર શિરોમણી આ મહાકાવ્યની રચના કરી હતી. એક પવિત્ર સાંજે ફક્ત ૯૦ મિનિટમાં તેમણે આત્મસિદ્ધિ શાસ્ત્રના ૧૪૨ શ્લોકની રચના એકી બેઠકે કરી હતી. શ્રીમદ આવું વિસ્તીર્ણ છતાં બધું જ સમાવી લેવાય તેવું કામ ટૂંક સમયમાં કર્યું તે જ તેમની આધ્યાત્મિક શક્તિનો પરચો આપે છે. આત્મસિદ્ધિ શાસ્ત્રનો વિષય આત્માના છ શાસ્ત્રીય લક્ષણો છે - આત્મા છે, આત્મા નિત્ય છે, આત્મા કર્મોનો કરતા છે, આત્મા કર્મનો ભોક્તા છે, આત્માની કર્મથી મુક્તિ છે અને કર્મોથી આત્માની મુક્તિના ઉપાય છે. તે જૈન ધર્મના તત્વજ્ઞાનને વ્યાપક રીતે વર્ણવે છે અને જૈન ધર્મનો અનેકાંતવાદ અન્ય ભારતીય દર્શન ને કેવી રીતે સમાવી લે છે તે બતાવે છે.
‘અપૂર્વ અવસર' એ એમનું અતિ મહત્વનું કાવ્ય છે. એ દૈવી કાવ્યમાં અંતિમ મુક્તિ માટેની આધ્યાત્મિક પ્રગતીના ૧૪ ક્રમશઃ પગથિયા વર્ણવ્યા છે. અપૂર્વ અવસર કાવ્યને મહાત્મા ગાંધીજીના ગાંધી આશ્રમની પ્રાર્થનાની આશ્રમ ભજનાવલી ચોપડીમાં સમાવી લેવામાં આવ્યું છે. શ્રીમદનું સંપૂર્ણ સાહિત્ય ૩૫ થી વધુ કાવ્યો તથા તેમના પરિચયમાં આવેલા મહાનુભાવોને લખેલા લગભગ ૯૫૦ પત્રોમાં સમાયેલું છે, જે શ્રીમદ રાજચંદ્ર વચનામૃત' નામે ઓળખાય છે. તેમના લખાણમાં ઊંચી કક્ષાની આધ્યાત્મિકતા જોવા મળે છે. કોઈ તેમના સાહિત્યમાં ઊંડા ઊતરીને જુએ તો જણાશે કે એમનું લખાણ આત્મસાક્ષાત્કાર દ્વારા મુક્તિનું ઉત્તમ સંભાષણ છે.
મહાત્મા ગાંધી શ્રીમદ રાજચંદ્રના દૈવી ગુણોથી ભરેલા જીવનથી ખૂબ જ પ્રભાવિત હતા. તેમણે શ્રીમદ્ રાજચંદ્રને પુરા માન અને આદર સાથે પોતાના આધ્યાત્મિક માર્ગદર્શક માન્યા હતા.જ્યારે ગાંધીજી દક્ષિણ આફ્રિકામાં હતા ત્યારે ત્યાંના તેમના ખ્રિસ્તી તથા મુસ્લિમ મિત્રોએ તેમના ધર્મને અપનાવવા ખૂબ જ દબાણ કર્યું હતું. તેમણે માર્ગદર્શન માંગતો શ્રીમદને પત્ર લખ્યો.
શ્રીમદ રાજચંદ્રએ તેમને પોતાનો હિંદુ ધર્મ જ આધ્યાત્મિક પ્રગતિમાં મદદરૂપ થશે તે સમજાવ્યું. ગાંધીજીએ ખૂબ જ આદરપૂર્વક શ્રીમદ વિશે પોતાની આત્મકથામાં લખ્યું છે અને ઘણી પ્રસંગે તેમનો મહિમા વધારતી અંજલિ આપી છે. તેમજ વારંવાર કહ્યું છે કે દયા અને અહિંસા વિશે એમને શ્રીમદ પાસેથી શીખવા મળ્યું છે. ગાંધીજીના જીવન પર શ્રીમદનું આધ્યાત્મિક જીવન અને તેમના આધ્યાત્મિક લખાણે ટોલ્સ્ટોય અને રસ્કિન કરતાં વધુ અસર કરી છે.
K.1.6 આધ્યાત્મિક વિકાસ
શ્રીમદ્ રાજચંદ્રના જીવનમાં તેમના કોઈ આધ્યાત્મિક ગુરૂ ન હતા. સાત વર્ષની ઉંમરે જ્યારે
Page 285 of 307