________________
Compodium of Jainism – Part (II)
પ્રેરણા આપી. ઈ.સ. ૧૮૯૦ (વી.૪.૧૯૫૫)માં ૩૧ વર્ષની ઉંમરે તેમણે ધંધામાંથી સંપૂર્ણ નિવૃત્તિ લઇ લીધી.
K.1.4 અવધાન શક્તિ
૧૭ વર્ષની ઉંમરે શ્રીમદે કોઈને આઠ જુદા જુદા કામ એક સાથે કરવાનો પ્રયોગ જોયો જેણે અષ્ટાવધાન કહે છે. એની પદ્ધતિ તેઓ શીખ્યા પછીના દિવસે તેઓએ બાર જાતના કામ એક સાથે કર્યા. તરત જ તેમની ધ્યાનની શક્તિ વધારતા ગયા અને બાવન અવધાન એક સાથે કરવા શક્તિમાન બન્યા. તેઓ જ્યારે ૧૯ વર્ષના હતા ત્યારે મુંબઈના મુખ્ય ન્યાયમૂર્તિ અને બીજા મહાનુભવોની હાજરીમાં તેમને આવધાનના પ્રયોગ માટે આમંત્રણ આપવામાં આવ્યુ. તેમણે ૧૦૦ અવધાન ક્રિયાઓ સફળતાપૂર્વક કરી બતાવ્યા જે શતાવધાનના નામે ઓળખાય છે.
૧૦૦ અવધાનમાં જુદી જુદી પ્રવૃત્તિઓ જેવીકે પાના રમવા, ચેસ રમવી, ધંટના અવાજ ગણવા, ગણિતના સરવાળા, ભાગાકાર, ગુણાકાર કરવા,જુદા-જુદા વિષયો પર કાવ્યો રચવા, અંગ્રેજી, ગ્રીક, એરેબિક જેવી ૧૬ જુદી જુદી ભાષાઓના શબ્દો ગોઠવવા વગેરેનો સમાવેશ થતો. અહીં એ યાદ રાખવું જરૂરી છે કે શ્રીમદ એ પ્રાથમિક શાળાના ગુજરાતી સાત ધોરણ સુધીનો જ અભ્યાસ કર્યો હતો.
આ એક માની ન શકાય તેવી મોટી સિદ્ધિ હતી, અને મુખ્ય સમાચાર પત્રો જેવા કે ટાઈમ્સ ઓફ ઈન્ડિયા, પાયોનીયરમાં તેમની સિદ્ધિની જાહેરાત થઈ. શ્રીમદને પોતાની અસામાન્ય શક્તિ દર્શાવવા માટે યુરોપનું આમંત્રણ આવ્યું પણ તેમણે તેનો અસ્વીકાર કર્યો કારણ કે જૈન ધર્મના ધોરણો પ્રમાણે ત્યા રેહેવું અઘરું પડે અને આધ્યાત્મિક પ્રગતિનો પોતાનો મુખ્ય હેતુ માર્યો જાય.
૨૦ વર્ષના થતા થતા તો તેમની કીર્તિ આખા ભારતમાં ફેલાઈ ગઈ, પણ તેમને સમજાયું કે પોતાની આગવી શક્તિને કારણે તેઓ જે મેળવી રહ્યા છે તે કેવળ સ્થૂળ લાભ જ છે જે તેઓનું ધ્યેય ન હતું. તેમણે આ બધી પ્રવૃત્તિ સદંતર છોડી દીધી અને આત્મસંયમ, દુનિયાદારીના સુખોનો ત્યાગ, ચિંતન મનન અને આધ્યાત્મિક પ્રગતિ માટે ધ્યાન પર જ મનને સ્થિર કર્યું જેથી જન્મ મરણના ફેરામાંથી મુક્તિ મેળવી શકાય.
K.1.5 શ્રીમદ રાજચંદ્રનું સાહિત્ય
તેમના શરૂઆતના વર્ષોમાં શ્રીમદે કાવ્યો લખ્યા અને સામાજિક સુધારણા માટે લેખો લખ્યા, જેનાથી દેશપ્રેમ જાગૃત થાય. તેમણે ૧૪ વર્ષની ઉંમરે સંસ્કૃત અને પ્રાકૃત ભાષા શીખી લીધી હતી અને પિતાની દુકાનમાં કામ કરતા જૈન આગમ અને અન્ય ગ્રંથોનો ઊંડો અભ્યાસ કર્યો હતો.
૧૬ વર્ષની ઉંમરે એમણે મોક્ષમાળા લખી અને એનો જ સંક્ષિપ્ત ગ્રંથ ભાવના બોધ' લખ્યો.
Page 284 of 307