________________
Compodium of Jainism – Part (II)
જોયું. તેઓ ઊંડા ચિંતનમાં પડી ગયા. અચાનક જાણે મન પરના પડળો ખસી ગયા અને પાછલા જન્મના ભવ યાદ આવવા લાગ્યા. એક જીવનથી બીજા જીવનના જન્મ-મરણના ફેરાનો તેમને સાક્ષાત્કાર થયો. આ બનાવ તેમની આધ્યાત્મિક જાગૃતિનું નિમિત્ત બન્યો અને તેમણે કર્મના બંધન તથા દુઃખને ભવ બંધનના ફેરામાંથી જીવનને મુક્ત કરવાનું નક્કી કર્યું.
સાત વર્ષની ઉંમરે તેઓ નિશાળે ગયા. જોયેલું, સાંભળેલું કે વાંચેલું અક્ષરશ: યાદ રાખવાની તેમની આગવી શક્તિના બળે શાળાનો સાત વર્ષનો અભ્યાસ લગભગ બે વર્ષમાં પુરો કર્યો. ગામની શાળામાં તો સાત ધોરણ સુધીનો જ અભ્યાસ કરાવવામાં આવતો હોવાથી તેમના શાળાકીય શિક્ષણનો અંત આવ્યો. પણ તેમણે પોતાની જાતે ચોપડીઓ વાંચીને શીખવાનું ચાલુ રાખ્યું. પ્રાથમિક શિક્ષણ પૂરું કરીને તેમણે તેમના પિતાનો ધંધો પ્રામાણિકતા અને નિષ્ઠાથી કરવા
માંડ્યો.
એમણે ૮ વર્ષની ઉંમરે પ્રથમ કાવ્ય રચના કરી પછી તેમણે સામાજિક બનાવોને સ્પર્શતા કાવ્યો લખ્યાં અને તે કાવ્યો સ્થાનિક સમાચાર પત્રમાં પ્રસિદ્ધ થયા. ઉંમરમાં નાના હોવા છતાં તેમણે સ્ત્રી શિક્ષણની સુધારણા, બાળ લગ્ન, પૈસાદારો દ્વારા થતો મૂડીનો દુર્વ્યય જેવા ગંભીર વિષયો પર લેખ લખ્યા.
ઘણી નાની ઉંમરે ભવિષ્યમાં શું બનશે તે જોવાની અલૌકિક શક્તિ તેમને હતી. તેથી ઘણા લોકોને આવી પડનારી તકલીફોમાં મદદ કરી હતી. ૧૬ વર્ષની ઉમરે તેમણે જૈન માર્ગને મુક્તિનો સાચો માર્ગ બતાવતી “મોક્ષ માળા” નામે પુસ્તક લખી. અઢાર વર્ષની ઉંમરે તેઓ નિષ્ણાંત જ્યોતિષી બન્યા. તેઓ ચોપડી ખાલી અડીને ઓળખી બતાવતા તથા રસોઈ ચાખ્યા વિના તેના સ્વાદ વિશે કહી શકતા. આવી બધી અસામાન્ય શક્તિઓના વિકાસની સાથે સાથે તેઓ પ્રાણીમાત્ર તરફ દયાળુ અને અહિંસાના ચુસ્ત આગ્રહી બન્યા.
૪.૧.૩ કુટુંબ
૨૦ વર્ષની ઉંમરે ઈ. સ. ૧૮૮૮ માં વિ.સ.૧૯૪૪ માં રાજચંદ્રના લગ્ન ઝબકબેન સાથે થયા. ઝબકબેન રાજચંદ્રના ધંધાદારી ભાગીદાર શ્રી રેવાશંકર ભાઈના મોટાભાઈ પોપટલાલ જગજીવનદાસની દીકરી હતા. તેમને ચાર સંતાનો હતા. બે દીકરા શ્રી છગનલાલ અને શ્રી રતિલાલ તથા બે દીકરીઓ શ્રીમતી જવલબેન અને શ્રીમતી કાશીબેન. શ્રીમદને મનસુખભાઈ નામે નાનો ભાઈ હતો.
૨૦ વર્ષની ઉંમરે (ઈ. સ. ૧૮૮૮) શ્રીમદ રાજચંદ્ર મુંબઈમાં હીરાના ધંધામાં ભાગીદાર થયા. ધંધાના તમામ વ્યવહારમાં તેઓ બિલકુલ નૈતિક, પ્રામાણિક અને દયાળુ હતા. ધંધાકીય સુઝ અને ડહાપણને કારણે ઘણા ટૂંકા સમયમાં તેમનો ધંધો દેશ-પરદેશ સુધી વિકસ્યો. સત્ય માટેનું માંન, નૈતિક મૂલ્યો માટેની પ્રીતિ તથા યોગ્ય હોય તે કરવાની મક્કમતાએ બીજાને પણ તેમ કરવાની
Page 283 of 307