SearchBrowseAboutContactDonate
Page Preview
Page 295
Loading...
Download File
Download File
Page Text
________________ Compodium of Jainism - Part (II) એને સવાચંદની આબરૂ માટે જે શંકા કરી તેનો પસ્તાવો થવા લાગ્યો. ઘરે જતા રસ્તામાં સવાચંદની પેઢી પર જઈ પોતાની મૂડી અમદાવાદથી મળી ગઈ છે તે જણાવ્યું. સવાચંદે ખરા હૃદયથી સોમચંદનો આભાર માન્યો. આ બાજુ વર્ષાઋતુ પૂરી થતા વહાણ નો કાફલો બધા માલસામાન સાથે પાછો ફર્યો. સવાચંદ ઘણો જ ખુશ થયો અને નિરાંતનો શ્વાસ લીધો. એ માલ સામાન વેચીને એણે મોટી મૂડી ઊભી કરી. વહાણો ગુમ થયા પૂર્વે જે આબરુ હતી તેના કરતાં પણ તેની આબરૂ અનેક ગણી વધી ગઈ. સોમચંદને પૈસા પાછા આપવાનો હવે એનો સમય હતો. આ હેતુથી તે અમદાવાદ ગયો અને એક લાખ રૂપિયા વ્યાજ સાથે પાછા વળ્યા. સોમચંદના ચોપડામાં સવાચંદના ખાતે કોઈપણ રકમ બાકી બોલતી ન હતી તેથી તેણે તે પૈસા સ્વીકારવાની ના પાડી. દેવું ચૂકવ્યા વિના ઘરે પાછા પણ કેમ જવાય? એણે સોમચંદ ને ખૂબ દબાણ કરીને તે જે રકમ કહેશે તે આપવાની તૈયારી બતાવી. વધુમાં કહ્યું કે જો તે આપવામાં નિષ્ફળ જશે તો હૂંડી લખ્યાનો અફસોસ થશે. સોમચંદે જવાબ આપ્યો કે આંસુના બદલામાં હૂંડી ખરીદી હતી. એ આંસુના બે ટીપા વાળો માણસ રૂપિયા બે લાખ કરતાં પણ વધુ કિંમતી હતો. મે તો રાજકુમારને રૂપિયા એક લાખ જ આપ્યા હતા, બાકી રૂપિયા એક લાખ આપવાના તો હજુ બાકી છે. પણ સવાચંદ એ કેમ સ્વીકારી શકે? સોમચંદ પોતાની હુંડી સ્વીકારી પોતાના પર કૃપા કરી છે તેથી તે તો તેનો ઋણી હતો. સોમચંદ કહે તેટલી રકમ તે આપવા તૈયાર હતો. રકમ સ્વીકારવાને બદલે સોમચંદ તો સામેથી રૂપિયા એક લાખ તેને હજુ આપવા માંગતો હતો. સવાચંદ વારંવાર હૂંડીની રકમ સ્વીકારવા કાલાવાલા કરતો હતો. તો સોમચંદ કહેતો કે મારા ચોપડામાં તમારા નામની બાકી રકમ છે નહીં તો હું કેમ સ્વીકારું? એક રીતે જોઈએ તો સોમચંદ સાચો હતો કારણકે હૂંડીની રકમ એણે પોતાના વ્યક્તિગત ખાતામાંથી આપી હતી. રામાયણમાં એક બહુ સરસ પ્રસંગ છે. જ્યારે રામ અને ભરત બન્નેમાંથી કોઇ રાજ્ય સ્વીકારવા તૈયાર નથી ત્યારે બંને એકબીજાને રાજ્ય સ્વીકારવા સમજાવે છે. એના જેવો ઘાટ અહીં સવાચંદ અને સોમચંદ વચ્ચે થયો છે. બંને જણા બહુ મોટી રકમ એક બીજાને આપવા ઇચ્છે છે પણ બે માંથી કોઈ તે સ્વીકારવા તૈયાર નથી. સવાચંદ હૂંડીની રકમ સ્વીકારવાની વાત સતત ચાલુ રાખી તો સોમચંદે ના તો પાડી પણ હવે તો બાકીના એક લાખ રૂપિયા પણ સવાલ જ નથી સ્વીકારી લેવા જોઇએ તેવી જીદ કરી. છેવટે જૈન સંઘને લવાદ તરીકે નીમી તે જેમ કહે તેમ કરવું તે નક્કી કર્યું. અમદાવાદના જૈન સંઘના અગ્રણીઓએ બંનેને સાથે જ બોલાવ્યા. બંનેને શાંતિથી સાંભળ્યા પછી નક્કી કર્યું કે બંનેમાંથી કોઈને તે રકમ સ્વીકારવી નથી તો તે પૈસા સારા ઉમદા કામમાં વાપરવા જોઈએ. બંને જણા સહમત થતાં તે રકમમાં સારી એવી રકમ ઉમેરી શત્રુંજય પર્વત પર મંદિરો બંધાવવા. વહેલામાં વહેલી તકે બાંધકામ શરૂ કરવાનું નક્કી કર્યું. મંદિરનું કામ પૂર્ણ થતા ઈ.સ. Page 279 of 307
SR No.000027
Book Title$JES 904 Compendium of Jainism Part 02 Gujarati (Translation of Jain Academic Bowl Manual 4th Edition)
Original Sutra AuthorN/A
AuthorJAINA India Foundation
PublisherJAINA India Foundation
Publication Year2022
Total Pages324
LanguageGujarati
ClassificationJaina_Education, Book_Gujarati, 0_Jaina_education, & JAINA Books
File Size
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy