________________
Compodium of Jainism – Part (II)
જોઈતા હતા. સવાચંદનું નામ અને આબરૂ અત્યારે દાવ પર હતા. પોતાની આબરૂ બચાવવા એણે રાજકુમારને પૈસા આપવાનો રસ્તો શોધવાનો હતો.
તે સમયે અમદાવાદમાં સોમચંદ અમીચંદ નામનો સાધર્મિક વેપારી રહેતો હતો. સવાચંદને એની સાથે કોઈ ધંધાદારી સંબંધ ન હતો. પણ તેણે સોમચંદની પેઢી વિશે અને તેની ખાનદાની વિશે સાંભળ્યું હતું. તેના મનમાં એકાએક એક વિચાર આવ્યો. રાજકુમારને સોમચંદની પેઢીના નામે એક હૂંડી લખી આપવી જેથી રાજકુમારને શાંતિ થાય. રાજકુમાર તો આ રીતે પણ પૈસા મળતા હોય તો કબૂલ હતો. સોમચંદની મંજૂરી વગર તેણે રાજકુમારને સોમચંદની પેઢીના નામે હૂંડી લખી આપી. કોઈ ધંધાદારી સંબંધ ન હોવાને કારણે સવાચંદને એવો કોઈ હક ન હતો તેથી તે ખૂબ ઉદાસ થયો અને તેની આંખોમાંથી આંસુ નીકળી ને ગાલ પર રેલાવા લાગ્યા. આંસુના થોડા ટીપાં લખેલી હૂંડી પર પડીને ફેલાયા. ભારે હૈયે સવાચંદે તે હૂંડી રાજકુમારના હાથમાં આપી અને સોમચંદની પેઢી પર જઈને વટાવવા કહ્યું.
રાજકુમાર ઘડીનો પણ સમય બગાડ્યા વગર પહોંચી ગયો, અને સોમચંદની પેઢી પર હૂંડી વટાવવા માટે આપી. ખજાનચી એ હૂંડી હાથમાં લઈને હાથ નીચેના કારકુનને સવાચંદનો હિસાબ જોવા કહ્યું. માણસે આખો ચોપડો ઉથલાવી જોયો પણ ક્યાંય સવાચંદ નામનું ખાતું ન હતું. કારકુને જણાવ્યું કે સવાચંદને કોઈ ધંધાદારી સંબંધ નથી. ખજાનચી સોમચંદ પાસે ગયો અને જણાવ્યું કે વંથળીના સવાચંદે હૂંડી લખીને વટાવવા મોકલી છે પણ આપણે તેમ કરી શકે તેમ નથી.
આ જાણીને સોમચંદ મૂંઝવણમાં પડી ગયો. સવાચંદ વંથળીનો બહુ મોટો વેપારી છે અને તેનું નામ બહુ મોટું છે એવું તે જાણતો હતો. સવાચંદને મારી પેઢી સાથે કોઈ ધંધાકીય સંબંધ ન હોવા છતાં આટલી મોટી રકમની હુંડી કેમ લખી હશે તે તેને સમજાતું નથી. એ હૂંડી હાથમાં લઈને જોયું તો સવાચંદના આંસુથી અક્ષરો ખરડાયેલા હતા. આંસુના ટીપા પડવાથી તે સમજી ગયા કે સવાચંદ કોઈ મોટી મુસીબતમાં હશે અને બહુ શરમજનક સ્થિતિમાં નિરાશ બનીને આ હૂંડી લખી હો.
સવાચંદે મારામાં આંધળો વિશ્વાસ મૂકીને આ હૂંડી લખી છે તેવું સોમચંદ સ્પષ્ટપણે સમજી ગયા.હવે મારે એ વિશ્વાસ ચરિતાર્થ કરી બતાવવાનો છે. આવી આપત્તિમાં આવી પડેલા ખાનદાન માણસને મદદ કરવા માટે મારી મૂડી કામ ન આવે તો તે મારી સંપત્તિ શા કામની? એણે મદદ કરવાનું નક્કી કર્યું અને ખજાનચીને હૂંડીના નાણાં ચૂકવી આપવા કહ્યું. ખજાનચી મૂંઝાયો. સવાચંદનું ખાતું તો હતું નહીં તો આ મૂડી કયા ખાતામાં ઉધારવી? સોમચંદએ પોતાના વ્યક્તિગત ખાતામાં એ મૂડી ઉધારવા કહ્યું.
હૂંડી સ્વીકારી અને રાજકુમારને તેમના પૈસા મળી ગયા. ખરેખર તો રાજકુમારને પૈસાની અત્યારે કોઈ જરૂરિયાત જ ન હતી પણ સવાચંદની આર્થિક સધ્ધરતામાં શંકા પડવાથી જ આમ કર્યું હતું.
Page 278 of 307