________________
Compodium of Jainism - Part (II)
J.5 સવાચંદ અને સોમચંદની ખાનદાની
જૈનોના તીર્થધામોમાં શત્રુંજય પર્વત ઘણો જ પવિત્ર ગણાય છે. ગુજરાતનાં અમદાવાદથી લગભગ ૨૪૦ કી.મી. દૂર આવેલા પાલિનાણા શહેરમાં તે ખાવેલો છે. તે તેની નવ ટૂંક માટે જાણીતો છે. તેમાંની એક પર્વતની ટોચ પર ચૌમુખજી ટૂંક આવેલી છે. અહી ત્યાં બંધાયેલા મંદિરોની રસપ્રચુર વાર્તા રજૂ થાય છે.
૧૬ મી સદીની વાત છે. જ્યારે મોગલ સમ્રાટ અકબર ભારત પર રાજ્ય કરતો હતો ત્યારે ગુજરાત રાજ્યમાં આવેલા સૌરાષ્ટ્ર પ્રાંતમાં વંથળી નામના નાના શહેરમાં સવાચંદ જેરામ નામનો વેપારી રહેતો હતો. તેનો વેપાર ઘણો મોટો હતો. ઇન્ડોનેશિયા અને બીજા દેશોમાં માલની નિકાસ કરવા ઘણા વહાણનો ઉપયોગ કરતો. મુસાફરી દરમિયાન એક દેશમાંથી માલ ખરીદતો અને બીજા બંદરે સારા નફાથી વેચતો.
કીમતી માલ સામાન સાથે એક વખત તેમનો બાર વહાણનો કાફલો નીકળ્યો. તેમના માણસોએ પરદેશના બંદરે બધો માલ વેચી દીધો અને પાછા ફરતાં એવો જ કીમતી માલ ખરીદતા આવ્યા. પાછા ફરતા સમુદ્રના પ્રચંડ તોફાનમાં તેઓ ફસાયા અને એક ટાપુ પર રોકાઈ જવું પડ્યું. એ સમય દરમિયાન ચોમાસુ બેસી જવાથી ટાપુ પર મહિનાઓ સુધી તેઓને રોકાઈ જવું પડયું. લાંબા સમય સુધી વહાણો પાછા ન ફરવાને લીધે સવાચંદના વહાણ વિભાગના પ્રતિનિધિ વહાણો ક્યાં અટવાયા છે. તેની તપાસ શરૂ કરી. ઘણા પ્રયત્નો કરવા છતાં વહાણનો કાફલો ક્યાં છે તે જાણી નહિં શકવાથી તેમણે વહાણો ગુમ થયા તેની જાણ સવાચંદને કરી.
સવાચંદને આ ઘણું મોટું નુકસાન હતું. તેણે પર દેશના વેપાર માટે ઘણી મૂડી રોકી હતી અને વહાણો પાછા ફરતા મોટો વેપાર કરી સારું એવું મેળવીને આવશે એવી આશા હતી. વહાણોને કારણે જે નુકસાન થયું તે ઘણું મોટું હતું. તેને પૈસાની તંગી વર્તાવા લાગી. લેણદારોને પૈસા પાછા આપવાની પણ મુશ્કેલી પડવા લાગી. વહાણો ગુમ થયાના સમાચાર લોકોમાં ફેલાયા તેની સાથે લોકો સવાચંદએ બધું ગુમાવી દીધું છે તેવી વાતો કરવા લાગ્યા, અને પોતાની મૂડી ન ડૂબે તે હેતુથી કડક ઉઘરાણી કરવા લાગ્યા.
સવાચંદ ખૂબ જ પ્રામાણિક અને ધાર્મિક પ્રકૃતિનો માણસ હતો. તેની પાસે જે કંઈ બચ્યું હતું તેમાંથી શક્ય એટલું તેમની મૂડી પાછી આપવાનો પ્રયત્ન કર્યા. વંથળીની નજીક આવેલા માંગરોળનો રાજકુમાર પણ તેમાંનો એક હતો. તેણે રૂપિયા એક લાખ સવાચંદને ત્યાં મુક્યા હતા. આ ઘણી મોટી મૂડી કહેવાય કારણ કે ત્યાંરના એક રૂપિયા બરાબર આજના રૂપિયા અઢીસો થાય.
જ્યારે રાજકુમારે સવાચંદના વહાણો ડૂબી ગયાનું જાણ્યું ત્યારે તે પણ અધીરો થઇ ગયો અને પોતાની મૂડી પાછી માંગી.સવાચંદ આવડી મોટી રકમ તાત્કાલિક આપી શકે તેમ ન હતો. એણે રાજકુમારને પોતે પૈસા મેળવી શકે ત્યાં સુધી થોભવા કહ્યું. પણ રાજકુમારને નૌ તાત્કાલિક પૈસા
Page 277 of 307