________________
Compodium of Jainism – Part (II)
ભીમ ઘરે ગયો ત્યારે તેની પત્ની ગાયને બાંધવા માટે લાકડાનો થાંભલો લગાવવા કહ્યું. તે ખોદી રહ્યો હતો ત્યાંથી જમીનમાં દાટેલી લાકડાની પેટી મળી. તેણે પેટી ખોલી તો તેમાં સોનાના સિક્કા અને બીજી ક્રીમની વસ્તુઓ હતી. તેણે વિચાર્યુ કે મેં મંદિરમાં ફાળો આપ્યો તેનું આ પરિણામ છે. તે ખજાનો ભરેલી પેટી બાહડ પાસે લઇ ગયો અને મંદિરના નિર્માણમાં આપી દીધી.
મંદિર નિર્માણનું કામ ઈ.સ.૧૧૫૭ માં બે કરોડ ૯૭ લાખ સિક્કાના ખર્ચે પૂર્ણ થયું અને તેનો ભવ્ય પ્રતિષ્ઠા મહોત્સવ આચાર્યશ્રી હેમચંદ્રની હાજરીમાં ઉજવવામાં આવ્યો.
બોધ: ધર્મિષ્ઠ, સખત મહેનતુ શ્રાવક ઉદયનની વાર્તા સહુને પ્રેરણા આપે તેવી છે. તે ખુબજ નમ્ર હતા અને પોતાના પર ઉપકાર કરનારને ક્યારેય પણ ભૂલતા નહિ. આંબડ અને બાહડના નામે ખૂબ જ ગુણિયલ જૈન સંઘના હીરા જેવા બે દીકરાઓને તેમણે ઉછેર્યાં. ભીમની ઉદારતા પણ ખૂબ જ વખાણવા લાયક હતી. દાતાઓની યાદીમાં ભીમનું નામ સૌથી ઉપર મુકવાનું બાહડનું કામ બીન પક્ષપાતી નેતૃત્વ અને ધર્મની સાચી સમજ સૂચવે છે.
મુખ્ય મુદ્દાઓ:
•
ઉદયન રાજા કુમારપાલનો મંત્રી હતો.
•
•
•
.
.
એ જ્યારે ખંભાતના ગવર્નર હતા ત્યારે તેમણે રાજા કુમારપળને આશ્રય આપ્યો હતો. પાછળથી તે તેમના મંત્રી બન્યા હતા.
તેણે તેના પુત્ર પાસે રોત્રુંજય પર આરસનું મંદિર બનાવવાનું વચન લીધું હતું કારણકે તે મંદિર લાકડાનું હતું જેમાં ક્યારે પણ આગ લાગી શકે છે.
એના પુત્ર બાહડે એક મંદિર
ઈ.સ. ૧૧૫૫ માં બંધાવ્યું હતું
ત્યારે વંટોળિયાને લીધે મંદિરનો
એક ભાગ પડી ગયો હતો.
એણે એ મંદિર ફરીથી બંધાવ્યું
અને તેનું કામ ઈ.સ. ૧૧૫૭માં પૂર્ણ થયું.
ગરીબ ભીમનું નામ દાતાઓના લિસ્ટમાં સૌથી ઉપર લખવામાં આવ્યું હતું કારણકે એણે એની બધી જ મૂડી દાન કરી હતી (ભલે પછી એ એક સિકકો હતો).
Page 276 of 307