SearchBrowseAboutContactDonate
Page Preview
Page 291
Loading...
Download File
Download File
Page Text
________________ Compodium of Jainism – Part (II) આવેલા મંદિરનો જીર્ણોધાર કરવાનું કહ્યુ. તેઓએ પિતાને તેમની ઇચ્છા પૂર્ણ કરવાનું વચન આપ્યું. પોતાની ઈચ્છા પરિપૂર્ણ થશે એમ જાણતા ઉદયનનું ખુબ જ શાંતિથી મૃત્યુ થયું. J 4.2 આંબડ અને બાહુડ ઉદયનને ચાર દીકરા હતા. આંબડ, બાહડ, ચાહદ અને સોલ્લક. આંબડ કવિ અને બહાદુર યોદ્ધા હતો. તે રાજા કુમારપાળનો અમલદાર બન્યો. એણે શત્રુંજયની ટેકરીના પશ્ચિમ વિભાગે પગથી (રસ્તો) બનાવી, જે આજે ઘેટીની પાય તરીકે ઓળખાય છે. એણે ઘોળકામાં આવેલા ઉદવસી દહેરાસરનો વિસ્તાર કર્યો, અને ભરૂચમાં આવેલા શુકનીક વીહારનો જાણીતાર કર્યો. આંબડે રાજા કુમારપાળને વચન આપ્યું હતું કે રાજ્યની સેવા નિષ્ઠા અને નીતિથી કરીશ. રાજા પછી તેના વારસદાર રાજા અજયપાલ ગાદી પર આવ્યા. તેણે રાજા કુમારપાળની તમામ નીતિઓ બદલી નાખી. અજયપાલે આંબડને તાબે કરવા ટુકડીને મોકલી. આંબડ અજયપાલને તાબે ન થયો. અને લડતા લડતા મૃત્યુ પામ્યો. બીજો દીકરો બાહડ (જે વાહદ તરીકે પણ ઓળખાતો) મુત્સદ્દી અને રાજકારણી હતો. તેણે પહેલા રાજા સિદ્ધરાજ સાથે કામ કર્યું અને રાજા કુમારપાળના અમલ દરમિયાન તેમનો વિશ્વાસુ જમણો સાય બનીને રહ્યો. જ્યારે કુમારપાળે સોમનાથના મંદિરમાં જીર્ણોદ્ધારનું કામ શરૂ કર્યું તો આખું કામ બાહડને સોંપવામાં આવ્યું જે એને ખૂબ જ સિફત પૂર્વક પાર પાડ્યું. પિતાએ આપેલી પ્રતિજ્ઞાનું પાલન કરવા તેણે શત્રુંજય પર્વત પર દેરાસર બાંધવાનું કામ ઈ.સ. ૧૫૫૫માં શરૂ કર્યું. એકવાર તીવ્ર વંટોળિયાને કારણે દેરાસરનો એક ભાગ તૂટી પડ્યો. બાહડે ભવિષ્યમાં ગમે તેવો વંટોળ આવે તો પણ તૂટી ન પડે તે પ્રમાણે મંદિરનું સમારકામ કરાવ્યું. મંદિરના બાંધકામ પાછળ એક રસિક ટૂંકીવાર્તા સંકળાયેલી છે. બાહડે જ્યારે મંદિરનું કામ હાથમાં લીધું ત્યારે ઘણા લોકો તેમનો ફાળો આ કામમાં આપવા માંગતા હતા. સખાવત કરનારની યાદી તૈયાર કરવામાં આવી. એ સમયે ભીમ નામનો ઘી વેચતો ગરીબ માણસ તે ગામમાં રહેતો હતો. જ્યાં યાદી બનતી હતી તે જગ્યાએ એક દિવસે તે પહોંચી ગયો. તેને પણ આ કામમાં ફાળો આપવાની તીવ્ર ઈચ્છા હતી. પણ એ દિવસે તેને ફક્ત એક જ સિક્કો મળ્યો હતો. લોકો જ્યાં લાખો સિક્કા આપતા હોય ત્યાં પોતાના એક સિક્કાની કિંમત શું? બાહડ તેની ઉત્કંઠા જાણી ગયો. તેને એક બાજુ બોલાવ્યો. એણે ખૂબ જ નમ્રતાથી એ જે કંઇ આપવા ઇચ્છે તે આપવા કહ્યું. ભીમને ખૂબ જ સંકોચ થયો. છતાં તેણે કહ્યું, “આજના દિવસે એ જે સિક્કો કમાયો છે તે ફાળામાં આપવા ઈચ્છે છે." બાહડે સિક્કો સ્વીકાર્યો એટલું જ નહીં પણ ભીમનું નામ દાતારની યાદીમાં ટોચ પર લખ્યું. બીજા બધાએ એમ કરવાનો ખુલાસો માગ્યો હતો તો બાહડે જણાવ્યું કે, બીજા ફાળો આપનાર -પોતે સુદ્ધાં પોતાની મૂડીનો થોડો ભાગ આપે છે જ્યારે ભીમે તો સમગ્ર મૂડી આમાં આપી છે. Page 275 of 307
SR No.000027
Book Title$JES 904 Compendium of Jainism Part 02 Gujarati (Translation of Jain Academic Bowl Manual 4th Edition)
Original Sutra AuthorN/A
AuthorJAINA India Foundation
PublisherJAINA India Foundation
Publication Year2022
Total Pages324
LanguageGujarati
ClassificationJaina_Education, Book_Gujarati, 0_Jaina_education, & JAINA Books
File Size
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy