________________
Compodium of Jainism – Part (II)
તેમને ખંભાતના રાજ્યપાલ બનાવવામાં આવ્યા. ઉદયને ઘણા લાંબા સમય સુધી તે પદ સારી રીતે શોભાવ્યું. તેમના સેવાકાળ દરમિયાન બે મહત્વના બનાવો શહેરમાં બન્યા.
૧. રાજમાતા મીનળદેવીના સૂચનથી ભોલાદનો યાત્રાળુઓ કર માફ કર્યો.
૨. પાંચ વર્ષના ચાંગદેવ નામના બાળકને જેનામાં મહાન સાધુ થવાની સુષુપ્ત શક્તિ હતી તેને દિક્ષા આપવામાં દેવચંદ્રસૂરિ મહારાજને સહાય કરી. (પાછળથી ચાંગદેવ જૈનાચાર્ય હેમચંદ્ર બન્યા).
રાજા પ્રત્યેની ઉદયનની નિષ્ઠા નિર્વિવાદ હતી. તેથી રાજા સિદ્ધરાજથી ગામેગામ છુપાતા ફરતા કુમારપાળને મદદ કરવા માટે તેમને દ્વીધા હતી. છતાં જ્યારે આશ્રયની શોધમાં કુમારપાળ ખંભાત આવ્યા તો હેમચંદ્રાચાર્યએ ઉદયનને મદદ કરવા કહ્યું. આચાર્ય પ્રત્યેના અહોભાવને લીધે તેમણે કુમારપાળને પોતાના ઘરના ભોયરામાં છુપાવી દીધા. થોડા જ સમયમાં સિધ્ધરાજનું અવસાન થયું અને કુમારપાળ ગુજરાતના રાજા બન્યા. રાજા કુમારપાળે ઉદયનને એમની જગ્યા પર જ ખંભાતના રાજ્યપાલ તરીકે ચાલુ રાખ્યા.થોડા જ વખતમાં પાટણમાં પોતાના અંગત સલાહકાર તરીકે નીમ્યા.
પોતાના ખરાબ વખતમાં સહાય આપનાર પોતાના જૈન ધર્મને ઉદયન ભૂલ્યા ન હતા. તેથી જૈન ધર્મની પ્રભાવના કરવા માટે તેમણે પોતાની પદવી અને પૈસાનો ઉપયોગ કર્યો. ધર્મ પ્રત્યેની શ્રદ્ધા રૂપે તેમણે કેટલાક જૈન મંદિરો બંધાવ્યા. તેમાંના ત્રણ તો જૈન ઇતિહાસમાં નોંધાયેલા છે. એક તો કર્ણાવતીમાં આવેલું ઉદયન વિહાર, બીજું દાવહી ધોળકામાં (કર્ણાવર્તીની નજીકમાં આવેલું અને ત્રીજું ખંભાતમાં હતું.
જીવનના પાછલા ભાગમાં કુમારપાળે ઉદયનને સૌરાષ્ટ્રના તોફાની હુમલાખોર સુમવારને પકડવા મોકલ્યા. આ કામ માટે તેમણે પાલીતાણામાંથી પસાર થવું પડે. તેમણે શત્રુંજય પર્વત પર આવેલા તીર્થધામોના દર્શને જવાનું નક્કી કર્યું. તીર્થધામમાં પોતાની જાત્રાની સ્મૃતિરૂપે એક ઊંટ પર બેસાડેલું પોતાનું પૂતળું દેરાસરના મુખ્ય સંકુલમાં જવાના રસ્તામાં મુકાવ્યું. હાલમાં તે પાપ પુણ્યની બારી તરીકે ઓળખાય છે.
તે સમયે પર્વત પર લાકડાનું મંદિર હતું. જ્યારે ઉદયન ત્યાં ભગવાનની ભક્તિ કરવા બેઠા હતા ત્યારે એક ઉંદર સળગતી રૂની વાટ મોમાં લઈને આજુબાજુ ફર્યા કરતો હતો. તેમણે ઉંદરના મોમાંથી વાટ તો લઈ લીધી પણ તેમને થયું કે કોક દિવસ આ ઉંદરને કારણે આગ લાગે, તેથી તેમણે ત્યાં નવું આરસનું મંદિર બનાવવાનું નક્કી કરેલ.
સુમવારને પકડવામાં તેઓ સફળ થયા પણ ઝપાઝપીમાં તેઓ બહુ જ ખરાબ રીતે ઘવાયા અને મોત સામે ઝઝૂમ્યા. મરણ પથારીએ પડેલા ઉદયને પોતાના દીકરાઓને શત્રુંજયની ટેકરી ઉપર
Page 274 of 307