SearchBrowseAboutContactDonate
Page Preview
Page 289
Loading...
Download File
Download File
Page Text
________________ Compodium of Jainism – Part (II) J 4.1 ઉદયન મંત્રી J.4 ઉદ્દયન મંત્રી અને તેમના પુત્રો આંબડ અને બાહડ સોલંકી યુગના રાજા કુમારપાળના રાજ્યકાળ દરમિયાન ગુજરાત રાજ્યની સમૃદ્ધિ સર્વોચ્ચ શિખર પર હતી. તે તેનો સુવર્ણયુગ હતો રાજ્યની આ કક્ષાએ પહોંચાડવામાં તેના મંત્રીઓનો ફાળો મહત્વનો હતો. સોલંકી યુગના મંત્રીઓ મોટેભાગે જૈન હતા. રાજા કુમારપાળના રાજ્યને વૃદ્ધિ અને સફળતામાં ઉદયન મંત્રી અને તેના બે દીકરા આંબડ અને બાહડનો મહત્વનો ફાળો હતો. ઉદયન રાજસ્થાનના ઝાલોર શહેરની બાજુમાં આવેલા વાગરા ગામનો સામાન્ય વેપારી હતો. તેની જિંદગી બહુ તકલીફો વચ્ચે પસાર થઈ હતી. બે છેડા માંડ ભેગા થતા હતા. તેની પત્ની સુહાદેવીએ વેપારની દ્રષ્ટિ વિકસિત હોય તેવા માળે રહેવા જવા સુચવ્યું. એ સમયે ગુજરાતમાં સિદ્ધરાજનું રાજ હતું. અને તેની જાહોજલાલી કૂદકેને ભૂસકે વધી રહી હતી. ઉદયને ગુજરાતમાં જવાનું વિચાર્યું તે સમયે સિદ્ધાર્જ ગુજરાતમાં પૌતાના પિતા કર્ણદેવની સ્મૃતિમાં કર્ણાવતી અમદાવાદ) નામનું નવું શહેર વસાવ્યું હતું. કર્ણાવતી ઝડપી વિકસતું શહેર હોવાથી ઉંદયને ત્યાં જવાનું વિચાર્યું. ત્યાં કોઈને ઓળખતો ન હતો તેથી ત્યાં જૈન મંદિરમાં તે ગયો. ઉદયન ત્યા ગયો ત્યારે ધાર્મિક વૃત્તિવાળી લચ્છી નામની સ્ત્રી ત્યાં ભક્તિ કરતી હતી. તે મંદિરની બહાર આવી ત્યારે અજાણ્યા દંપતીને જોઈ તેઓ ક્યાંથી આવ્યા છે તેવી પૂછપરછ કરી. ઉદયને જણાવ્યું કે તે ધંધાર્થી રાજસ્થાનથી આવ્યો છે. લચ્છી દયાળુ સ્ત્રી હતી. આવનાર દંપતી જૈન છે એમ માનતા સાધર્મિક ભક્તિ માટે બે ચાર દિવસ માટે તેમને પોતાને ઘેર લઈ ગયા. તેમને રહેવા માટે પોતાનું જૂનું ઘર આપ્યું. ઉદયને ત્યાં રહી નાનો સરખો ધંધો શરૂ કર્યો. નીતિથી ધંધો કરતા ટૂંકાગાળામાં તેનો ધંધો સારો ચાલવા માંડ્યો અને થોડી બચત થતા જૂના ઘરનું સમારકામ કરાવ્યું. ઘરની જમીન ખોદાતી હતી ત્યારે જમીનમાંથી દાટેલું ધન મળ્યું. તે ખુબ જ પ્રમાણિક હોવાથી તે ધન લઈને તે ઘર લચ્છીનું હોવાથી તેને આપવા ગયો. હવે તે મિલકત ઉદયની હોવાથી તે ધન પણ ઉદયનું જ ગણાય એમ કહીને તેણે ધન લેવાની ના પાડી. ઉદયન પાસે હવે મોટી મૂડી ભેગી થવાથી મોટો ધંધો શરૂ કર્યો. ધંધામાં તે ઘણું કમાયો અને કર્ણાવતીનો સૌથી ધનિક માણસ ગણાવા લાગ્યો. સજાએ પણ તેને કર્ણાવતીના પહેલા નાગરિકનો દરજ્જો આપ્યો. તેણે પણ કર્ણાવતીના લોકોની ઉત્તમ સેવા કરી. એ સમયે ખંભાત પશ્ચિમ ભારતમાં ખુબજ મહત્વનું ઉપયોગી બંદર હતું. રાજકારણીઓ શહેરના ગવર્નર થવા પડાપડી કરતા. ઈ.સ.૧૧૨૦ની સાલમાં ઉદયનની યોગ્યતા અને શક્તિ જોઈને Page 273 of 307
SR No.000027
Book Title$JES 904 Compendium of Jainism Part 02 Gujarati (Translation of Jain Academic Bowl Manual 4th Edition)
Original Sutra AuthorN/A
AuthorJAINA India Foundation
PublisherJAINA India Foundation
Publication Year2022
Total Pages324
LanguageGujarati
ClassificationJaina_Education, Book_Gujarati, 0_Jaina_education, & JAINA Books
File Size
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy