SearchBrowseAboutContactDonate
Page Preview
Page 284
Loading...
Download File
Download File
Page Text
________________ Compodium of Jainism – Part (II) કે નાની ઉંમરમાં જ સુંદર પ્રેમાળ પત્ની પામ્યો અને સૈન્યમાં પણ ખૂબ ઊંચી પદવી પામ્યો વળી તેના મળતાવડા સ્વભાવને લીધે તે સૌને પ્રિય થઈ પડયો. અને તેથી વિમલશા નામથી જાણીતો થયો. કેટલાક વિઘ્નસંતોષી લોકોને વિમલશાની પ્રગતિ સહન ન થઈ. તેઓ તેની ઈર્ષા કરવા લાગ્યા અને તેના દૂષણો શોધવા લાગ્યા. તેમણે જોયું કે વિમલશા કોઈને નમન કરતો નથી, રાજાને પણ નહીં. કેવળ સર્વજ્ઞ એવા જૈન તીર્થંકરને જ નમન કરે છે. તેઓએ ભીમદેવના કાન ભંભેરવા માંડ્યા કે વિમલશાહ બહુ ઉદ્ધત થઈ ગયા છે. તે રાજાને પણ નમન કરતા નથી. એની મહત્વાકાંક્ષાને કોઈ સીમા નથી. કદાચ તે આપનું રાજ્ય પણ છીનવી લે. ભીમદેવ એ લોકોની વાતોમાં આવી ગયા અને વિમલશા પ્રત્યે શંકાશીલ રહેવા લાગ્યા. જ્યારે વિમલશાએ રાજાને અસંતુષ્ટ જાણ્યો ત્યારે તેણે પાટણ છોડવાનું નક્કી કર્યું. તેણે માઉન્ટ આબુ (જે તે સમયે ચંદ્રાવતી નામે જાણીતું હતું) પોતાના સાથીદારો સાથે જવાનું નક્કી કર્યું. ત્યાં જઈને તેને ખબર પડી કે ચંદ્રાવતીનો રાજા ધંધુક સર્વશ્રેષ્ઠ રાજા ભીમદેવથી સ્વતંત્ર થવાની ઇચ્છા રાખે છે. વિમલશાએ પોતાના સાથીદારો સાથે હુમલો કર્યો અને ધંધુક સામનો ન કરી શકયો અને હારી ગયો. આમ વિમલશાએ ચંદ્રાવતી મેળવી લીધું. તેણે રાજા બનવાની કોઈ મહત્વાકાંક્ષા ન હતી તેથી ચંદ્રાવતી તેણે રાજા ભીમદેવના નામ પર લીધું અને ત્યાં તે ત્યાંનો ગવર્નર બનીને રહ્યો. વિમલા ચંદ્રવતીમાં પોતાની પત્ની સાથે સુખેથી રહેતો હતો. શ્રીદેવી ઘણી લાગણીશીલ સ્ત્રી હતી. અને વિમલશાને બધી રીતે સુખી કરતી હતી. તેને કોઈ બાળકો ન હતા. ધાર્મિક પ્રકૃતિના હોવાથી તેઓ તેને પોતાના કર્મનું ફળ માનતા.એક વખત તેઓ એ સમયના જાણીતા આચાર્ય ધર્મઘોષસુરીને મળ્યા. વિમલશા નિયમિતપણે તેમનું વ્યાખ્યાન સાંભળવા જતા અને તેથી તેઓ વધુ ધાર્મિક વૃત્તિના બન્યા. ભૂતકાળમાં લડેલા યુદ્ધ યાદ કરતા તેઓ પોતાની જાતને હિંસા અને પાપ માટે ગુનેગાર માને છે. સાચા દિલથી તે પ્રાયશ્ચિત કરે છે. સાચા પ્રાયશ્ચિતરૂપે આચાર્યએ તેને ચંદ્રાવતીમાં જૈન મંદિરો બંધાવવા કહ્યું જેથી ચંદ્રાવતી મોટું યાત્રાધામ બને. આ સૂચન સાંભળીને વિમલશા પ્રસન્ન થયા અને એણે ભવ્ય દેરાસર બનાવવાનું નક્કી કર્યું. તેઓ ભગવાન શ્રીનેમિનાથની સેવામાં રહેતા તેમજ અંબિકાદેવીના પણ ભક્ત હતા. તેમના આશીર્વાદ માટે તેમણે તેમનું આહવાન કર્યું હતું. તેની ભક્તિથી પ્રસન્ન થઈને દેવીએ તેમને શું જોઈએ છે તે પૂછ્યું. તેમણે દીકરો માંગ્યો અને ચંદ્રાવતીમાં મંદિરના નિર્માણ માટેની શક્તિ માંગી. દેવીએ બેમાંથી એક જ પસંદ કરી માંગવા કહ્યું. વિમલશાએ મંદિરની પસંદગી કરી અને દેવી એ તેમની ઇચ્છા મંજૂર કરી. Page 268 of 307
SR No.000027
Book Title$JES 904 Compendium of Jainism Part 02 Gujarati (Translation of Jain Academic Bowl Manual 4th Edition)
Original Sutra AuthorN/A
AuthorJAINA India Foundation
PublisherJAINA India Foundation
Publication Year2022
Total Pages324
LanguageGujarati
ClassificationJaina_Education, Book_Gujarati, 0_Jaina_education, & JAINA Books
File Size
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy