SearchBrowseAboutContactDonate
Page Preview
Page 283
Loading...
Download File
Download File
Page Text
________________ Compodium of Jainism - Part (II) J.૩ દેલવાડાના મંદિરો રાજસ્થાનમાં પર્વતની ટોચ પર માઉન્ટ આબુ નામનું સુંદર શહેર આવેલું છે. શહેરની બાજુમાં બે ભવ્ય દેલવાડાના જૈન દેરાસર આવેલાં છે. આ બંને દેરાસરોની કોતરણી શ્વાસ થંભાવી દે તેવી છે. મંદિરની આરસની છતની કોતરણી એવી બારીક અને ગૂંચવણ ભરેલી છે કે એની નકલ કાગળ પર કરવી પણ અઘરી છે. આ દેરાસરો ‘આરસમાં કાવ્ય' તરીકે ઓળખાય છે. વિમલશાએ પહેલું મંદિર ઈ.સ.ની ૧૧મી સદીમાં ૧૮૦૦ લાખ રૂપિયા ખર્ચીને બંધાવેલું. બીજું જે લૂણીગ વસહિ તરીકે ઓળખાય છે તે વસ્તુપાલ-તેજપાલ નામના બે ભાઇઓએ તેમના મોટાભાઈ લૂણીંગની મૂર્તિમાં ઈ.સ.ની તેરમી સદીમાં ૧૨૦૦ લાખ રૂપિયા ખચીને બંધાવેલું. આ બંને મંદિરના નિર્માતાઓની વાર્તા અહીં રજૂ કરવામાં આવી છે. J 3.1 વિમલશા ભારતના ગુજરાત રાજ્યમાં જ્યારે રાજ્યની સત્તા અને સંપત્તિ એની ટોચ પર હતા ત્યારે એ સોલંકી યુગનો સુવર્ણયુગ હતો. ગુજરાતની આ સ્થિતિનો જશ મુખ્યત્વે તે સમયના રાજાના સલાહકાર અને સેનાપતિ જેના હાથમાં આ પરિસ્થિતિનું સુકાન હતું તેઓને જાય છે. તે સમયના ઘણા બધા સલાહકારો અને સેનાપતિઓ જૈન હતા. વિમલશા કેટલેક અંશે એક શક્તિશાળી, સમર્થ, અને પ્રસિદ્ધ સેનાપતિ હતા. તે સમયના સોલંકી યુગના રાજા મૂળરાજના સલાહકાર વીરમહત્તમ હતા. તેની પત્નીનું નામ વીરમતી હતું. તેમને નેધ, વિમલ અને ચાહિલ એમ ત્રણ સંતાન હતા. તેઓ ત્રણે નાના હતા ત્યારે જ તેમના પિતા આ સંસારના સુખો છોડી સાધુ થયા હતા. તેથી તેની માતા પોતાના પિયર ચાલી ગઇ હતી અને ત્યાં જ ત્રણે દીકરાઓનો ખૂબ કાળજીથી ઉછેર કર્યો. નેધ ખૂબ જ ચતુર અને ડહાપણ વાળો હતો. જ્યારે વિમલ બહાદુર અને ચબરાક હતો. એને ઘોડે સવારી અને તીરંદાજીનો શોખ હતો. એ કલાઓમાં પાવરધો થયો અને પ્રખ્યાત નિપુણ તીરંદાજ બન્યો. દીકરાઓ મોટા થતાં તેમની માતા તેમને રાજધાની પાટણમાં પાછા લઈ આવ્યા. જેથી તેઓ તેમની પસંદગી પ્રમાણે કામ કરી શકે. તે પોતાના રસ પ્રમાણે નેધ રાજ દરબારમાં અને વિમલ સૈન્યમાં જોડાયા. બંને ખૂબ જ ઝડપથી પોતાની કુશળતાથી ખૂબ આગળ આવી ગયા. અને તેમની આગવી આવડત માટે ખૂબ જાણીતા બન્યા. વિમલ ખુબ સુંદર અને બહાદુર હોવાથી પાટણના ધનિક શેઠ જેમને શ્રીદેવી નામે સુંદર દીકરી હતી તેઓ તેનાથી ખૂબ જ પ્રભાવિત થયા. તેમણે વિચાર્યું કે શ્રીદેવી માટે વિમલ બિલકુલ યોગ્ય પતિ છે. શ્રીદેવી અને વિમલના લગ્ન થઈ ગયા. નસીબ બંને ભાઇઓ પર મહેરબાન હતું. ઈ.સ.૧૦૨૧માં ભીમદેવ ગાદી પર આવ્યા. તેમના રાજ્યકાળ દરમિયાન નેધ રાજાનો સલાહકાર અને વિમલ સેનાપતિ બન્યા. વિમલ નસીબદાર હતો Page 267 of 307
SR No.000027
Book Title$JES 904 Compendium of Jainism Part 02 Gujarati (Translation of Jain Academic Bowl Manual 4th Edition)
Original Sutra AuthorN/A
AuthorJAINA India Foundation
PublisherJAINA India Foundation
Publication Year2022
Total Pages324
LanguageGujarati
ClassificationJaina_Education, Book_Gujarati, 0_Jaina_education, & JAINA Books
File Size
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy