SearchBrowseAboutContactDonate
Page Preview
Page 280
Loading...
Download File
Download File
Page Text
________________ Compodium of Jainism - Part (II) J.2 રાજા સંપ્રતિ ઈ.સ. પૂર્વેની ત્રીજી સદીના પાછલા ભાગમાં અને બીજી સદીની શરૂઆતમાં મહાન જૈન રાજા સંપ્રતિ થઈ ગયા. તે મહાન રાજા અશોક નો પૌત્ર અને રાજા કુણાલનો પુત્ર હતો. જૈન ઇતિહાસ તેમના જીવનની કેટલીક વિગતો આપે છે. બૌદ્ધ સાહિત્ય તેમનો ઉલ્લેખ પ્રાકૃત નામ સંપદીથી કરે છે. તેમના નામનો ઉલ્લેખ કેટલાક હિંદુ પુરાણોમાં પણ જોવા મળે છે. જ્યાં તેમનું નામ સંપ્રતિ, સંપત્તિ અને સપ્તતિ વગેરે મળે છે. વળી ચલણી સિક્કા પર તેમનું નામ અને અર્ધચંદ્રકાર મળે છે. સિક્કા ઉપરની અર્ધચંદ્રાકાર છાપ જૈન ધર્મનું સિદ્ધશિલાનું પ્રતિક છે. નીચે આપેલ ત્રણ ટપકાં જૈન ધર્મના પ્રતીકાત્મક સમ્યગ દર્શન, સમ્યગ જ્ઞાન અને સમ્યક ચારિત્ર સૂચવે છે. કેટલાક સિક્કા ઉપર ત્રણ ટપકાંની નીચે સાથીઓ જોવા મળે છે. આ એમનો જૈન રાજા હોવાનો નક્કર પુરાવો છે. રાજા સંપ્રતિનો ઉછેર અને અભ્યાસ અવંતિ નગરીમાં થયા હતા. ઈ.સ. પૂર્વે ૨૩૨ માં તેઓ અવંતી નગરીના રાજા થયા. એ રાજકુમાર હતા ત્યારે એમણે જૈન પરંપરાના મુખ્ય આચાર્ય સુહસ્તિસુરી દ્વારા દોરવાતો જૈન વરઘોડો જોયો હતો. આચાર્યને જોઈને રાજા સંપ્રતિને લાગ્યું કે પહેલા મેં ક્યાંક તમને જોયા છે. બહુ વિચારને અંતે તેમને જ્ઞાન થયું કે મારા પહેલાના ભાવમાં આ આચાર્ય મારા ગુરુ હતા. રાજા સંપ્રતિએ ગુરૂને વંદન કર્યા અને તેમને પૂછ્યું કે આપ ગયા ભવમાં મારા ગુરુ હતા તે આપ જાણો છો? થોડી વાર વિચારીને આચાર્યને યાદ આવ્યું કે રાજા સંપ્રતિ ગયા ભવમાં તેમના શિષ્ય હતા. કે આચાર્ય સુહસ્તિસુરી જ્યારે કૌસંબીમાં હતા ત્યારે ભયંકર દુકાળ પડયો હતો. દુકાળ દરમિયાન જૈન સાધુને ગોચરી મેળવવામાં બહુ જ કલીક પડતી હતી. જૈન ગૃહસ્થો સાધુને ગોચરી મળી રહે તેનું ખાસ ધ્યાન રાખતા. તે સમયે એક ખૂબ જ ગરીબ માણસ ભુખે મરતો હતો. એણે જોયું કે આવા ભયંકર દુકાળમાં પણ સાધુને પૂરતું ખાવાનું મળી રહે છે. તેણે પોતાના ખોરાક માટે આચાર્યને વિનંતી કરી. એ માણસ પછીના ભવમાં બહુ મોટો જૈન શ્રાવક થશે તેવી તેની શક્તિ છે એવું જાણતા તેમણે તેને સાધુ થાય તો ખાવા મળે તેમ કહ્યું. ગરીબ માણસતો તરત જ તૈયાર થઈ ગયો. નિયમ પ્રમાણે એને દીક્ષા આપી અને તેને ખાવાનું મળ્યું. કેટલાય દિવસનો ભૂખ્યો હોવાથી તેણે ભૂખ કરતાં વધારે ખાધું. તરત જ તેને પેટમાં ખૂબ જ દુખાવો થવા લાગ્યો. વધુ પડતું ખાવાને લીધે તે પોતાની જાતને શાપવા લાગ્યો. બીજા સાધુએ તેની ખૂબ જ ચાકરી કરી પણ દુખાવો ઓછો ન થયો, બલ્કે વધતો જ ગયો. અને અંતે નવ દીક્ષિત સાધુ તે જ રાત્રે મરણ પામ્યા. સાધુ થવાને કારણે તેમણે પોતાની જાત પર સંયમ રાખીને પીડા શાંતિથી સહન કરી તેથી તે મહાન રાજા અશોકના પૌત્ર તરીકે જનમ્યો. Page 264 of 307
SR No.000027
Book Title$JES 904 Compendium of Jainism Part 02 Gujarati (Translation of Jain Academic Bowl Manual 4th Edition)
Original Sutra AuthorN/A
AuthorJAINA India Foundation
PublisherJAINA India Foundation
Publication Year2022
Total Pages324
LanguageGujarati
ClassificationJaina_Education, Book_Gujarati, 0_Jaina_education, & JAINA Books
File Size
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy