________________
Compodium of Jainism – Part (II)
આચાર્યએ આ આખો બનાવ તેને કહી સંભળાવ્યો. એ સાંભળીને સંપ્રતિ ખૂબ ખુશ થયા અને થોડા સમય માટે પણ જૈન ધર્મ સ્વીકારવાથી થયેલા લાભને સમજી શક્યા. એમણે શ્રદ્ધાથી આચાર્યને પોતાના ગુરુ બનાવીને જૈન ધર્મ સ્વીકાર્યો. જ્યારે તે રાજા થયા કે તેમણે પોતાનું આખું રાજ્ય ગુરુને ચરણે ધર્યું કારણ કે તેમની કૃપાને કારણે તેમને આ બધું મળ્યું હતું. જૈન સાધુ પોતાની માલિકીનું કાં રાખે નહીં તેથી આચાર્યએ તે સ્વીકારવાની ના પાડી. તેમણે જણાવ્યું કે રાજા તરીકે સંપ્રતિએ જૈન ધર્મને પોતાના રાજ્યમાં ફેલાવો જોઇએ અને લોકોને તે ધર્મ પાળવા પ્રોત્સાહિત કરવા જોઈએ.
સંપ્રતિએ આચાર્યની સલાહ માની લીધી. એ ચુસ્ત જૈન બની ગયા. તે ખૂબજ બળવાન રાજા હોવાથી તેણે દક્ષિણમાં વિધ્યાચલ સુધી અને પશ્ચિમમાં અરબી સમુદ્ર સુધી પોતાના રાજ્યનો ફેલાવો કર્યો. તેમણે ઘણાં જૈન મંદિરો બંધાવ્યા એટલું જ નહીં પણ આંધ્ર પ્રદેશ, કર્ણાટક અને મધ્યપ્રદેશના રાજાઓને મંદિરો બાંધવા પ્રોત્સાહિત કર્યા. જૈન પરંપરા જણાવે છે કે પોતાના શાસનકાળ દરમિયાન તેમણે સવા કરોડ આરસની તથા એક લાખ કરતા વધુ તીર્થંકરની ધાતુની પ્રતિમાઓ ભરાવી અને ૩૬ હજાર જેટલા મંદિરો બંધાવ્યા તથા જીણોદ્ધાર કરાવ્યા. આ ધર્મકાર્યમાં ફેલાવવા માટે તેમણે પોતાના સેવકોને અફઘાનિસ્તાન, નેપાળ, શ્રીલંકા, બાં તા. ચીન મોકલ્યા રાજા અશોકએ પણ બૌદ્ધ ધર્મનો ફેલાવો આ રીતે કર્યો હતો. તેથી ઇતિહાસકાર વિન્સેટ સ્મિથ સંપ્રતિને જૈન અશોક જો કહે તેમાં નવાઈ પામવા જેવું કાંઈ નથી.
જૈન ધર્મીઓ પ્રત્યે ખૂબ જ ઉદાર ભાવના રાખતા હતા. અને તેમને બધી રીતે મદદરૂપ થતા. તેમણે સ્પષ્ટ પણે પોતાના આગલા ભવનો ભૂખમરો યાદ હોવાથી તે ગરીબો પ્રત્યે સહાનુભૂતિ રાખતા અને તેમની ભૂખ્યા ન રહેવું પડે તેનું ખાસ ધ્યાન રાખતા. તેમણે ૭૦૦ જેટલી ધર્મશાળાઓ બંધાવી હતી જ્યાંથી લોકોને મફત જમવાનું મળતું.
સંપ્રત્તિને કોઈ સંતાન નહોતું. આને પણ તે પોતાના આગલા કર્મોને કારણભૂત માનતા. જૈન ધર્મના બધા જ સિદ્ધાંતોને બરાબર અનુસરીને ૫૩ વર્ષ વિશાળ રાજ્ય પર રાજ કર્યા બાદ ઈ.સ. પૂર્વે ૧૭૯ માં તેમનું અવસાન થયું. પછી તેઓ સ્વર્ગમાં જન્મ્યા અને ત્યાંથી મનુષ્ય ભવમાં જઈ મોક્ષે જશે.
બોધ: બીજાની સેવા કરવી એ જૈન ધર્મને અનુસરવાની ઉત્તમમાં ઉત્તમ રીત છે. રાજા સંપ્રતિ એ આ ગુણ બતાવ્યો છે. તેમણે મંદિરોનો જીર્ણોદ્ધાર કર્યા તથા નવા મંદિર બંધાવ્યા. એટલું જ નહીં પણ ગરીબોને તેમના દુખ દર્દ દૂર કરવામાં પણ મદદરૂપ થયા છે. આપણે બીજાને મદદ કરવા હંમેશા તૈયાર રહેવું જોઈએ. થોડા સમય માટે પણ કરેલા ધાર્મિક કાર્યો અનેકગણું પરિણામ આપે છે, તેવું એમના જીવન દ્વારા જાણવા મળે છે.
Page 265 of 307