________________
Compodium of Jainism – Part (II)
વ્રજકુમારની વાર્તા આપણને સ્પષ્ટ રીતે સમજાવે છે કે, ધર્મની ક્રિયાઓ તથા ધર્મની મહત્તા શીખવા માટે ઉંમરનો બાધ ક્યારે આવતો નથી.
મુખ્ય મુદ્દાઓ
•
વ્રજકુમારનો જન્મ એક બ્રાહ્મણ પરિવારમાં ધનગીરી અને સુનંદાને ત્યાં થયો હતો.
• જૈનાચાર્ય સિંહગીરી ના વ્યાખ્યાન સાંભળીને ધનગીરી એ દીક્ષા લીધી હતી.
•
.
•
•
.
.
જ્યારે વ્રજકુમાર નાના હતા ત્યારે તેમને દીક્ષા શબ્દ સાંભળ્યો અને તેમને પોતાનો પાછલો ભવ યાદ આવ્યો અને તેમણે તરત જ નક્કી કર્યું કે એ દીક્ષા લેશે પરંતુ એ જાણતા હતા કે તેની માતા આ વાત માટે નહીં માને.
તેથી તેમણે જોર જોરથી રડવાનું ચાલુ કર્યું અને રડવાનું ત્યાં સુધી ચાલુ રાખ્યું જ્યાં સુધી તેની માતા તેનાથી કંટાળી ન ગઈ અને તેની માતાએ કંટાળીને સાધુ ધનગીરી ને આ બાળક વહોરાવી દીધું.
થોડા વર્ષો પછી વ્રજકુમાર મોટા થયા ત્યારે તેની માતાને તેમના દીકરાને પાછો મેળવવાની ઈચ્છા થઈ.
તે રાજા પાસે ગઈ અને એમને વિનંતી કરી કે વ્રજકુમાર તેમને પાછો મળવો જોઈએ.
રાજાના દરબારમાં વ્રજકુમાર કોની પાસે રહેશે તેનો નિર્ણય વ્રજકુમાર પર જ રાખ્યો. વ્રજકુમારની સામે તેની માતાએ ઘણા બધા રમકડા, નવા કપડા વગેરે રાખ્યું અને બીજી બાજુ તેમના પિતા પાસે ઓઘો હતો.
વજકુમારે ઔવાને લીધો અને તેની માતાએ તેના આ નિર્ણયને વધાવી લીધો.
Page 263 of 307