________________
Compodium of Jainism – Part (II)
*
સુનંદાએ કહ્યું, “ અરે રાજાજી, આમ વાત નથી, આ મારું પોતાનું લોહી માંસ છે અને તે એક જ મારી આશા છે. કંઈક કરો અને મને મારું બાળક પાછું અપાવો. હું તેના વિના રહી નહીં શકું." રાજા તેના અવાજમાં રહેલી માની મમતા તથા નિષ્ઠા સમજી શકતા હતા. એ પણ ગુંચવાઈ ગયા. અંતે તેમણે સુનંદાને કહ્યું, "હું તને અને મુનિ ધનગૌરીને દરબારમાં બોલાવીશ, વજ્રકુમારને જેની સાથે રહેવું હશે તે જ નક્કી કરશે, બરાબર છે ને?” સુનંદાએ કહ્યું, “હા સરકાર.”
બીજા દિવસે દરબાર હકડેઠઠ ભરાઈ ગયો. સૌને બાળકનું શું થશે તે જાણવાની ઈંતેજારી હતી. સુનંદા વ્રજકુમારને આકર્ષવા રમકડા, મીઠાઇ તથા અનેક અવનવી વસ્તુઓ લઈને આવી. રાજા અને તેના પ્રધાનો પણ આવી ગયા. મુની ધનગીરી બીજા સાધુઓ સાથે આવી ગયા. દરબારમાં રહેલા રાજા સહિત તમામ દરબારીઓએ સાધુને પ્રણામ કર્યા, વ્રજકુમાર પણ આવ્યો.
રાજાએ વ્રજકુમારને કહ્યું, “વ્રજકુમાર, તમે ખૂબ નાના છો પણ ખૂબ જ ચતુર છો.” એની મા તરફ આંગળી ચિંધીને કહ્યું, “આ તમારી માતા છે. ઘણી માયાળુ અને પ્રેમાળ છે. એની પાસે તમારા માટે ઘણા બધા રમકડા, મીઠાઈ તેમજ સુંદર કપડાં છે. એ તમને પાછા એમની સાથે લઈ જવા ઈચ્છે છે.” બીજી તરફ સાધુ ધનગીરી તરફ આંગળી ચિંધીને કહ્યું, “ત્યાં એક સાધુ છે જેણે સંસાર છોડી દીધો છે. તેણે પોતાની તમામ વૃત્તિઓને સંયમમાં રાખી જિંદગીના સુખોનો ત્યાગ કર્યો છે. તે સદગુણી અને વંદનને લાયક છે. એ પણ તમને પોતાની પાસે રાખી આધ્યાત્મિક જીવનની તાલીમ આપવા માંગે છે. હવે તારે નક્કી કરવાનું છે કે તું તારી માતા સાથે જવા માંગે છે કે સાધુ સાથે?
ટાંકણી પડે તો પણ સંભળાય એવી શાંતિ હતી. દરેક જણ વ્રજકુમાર શું નિર્ણય જાહેર કરે છે તે સાંભળવા ઉત્સુક હતા. તે ઊભો થઈ ચાલવા માંડ્યો. તેણે એક નજર માતા સામે નાખી તો એક નજર મુનિ ધનગીરી સામે કરી. સુનંદા મોટેથી બોલવા લાગી, “દીકરા, આમ આવ, જો હું તારા માટે રમકડા, મીઠાઈ, નવા કપડાં વગેરે લાવી છું. મહેરબાની કરીને મારી પાસે આવી જા.”
આ બાજુની ધનગીરી પાસે ઓઘા સિવાય કશું ન હતું. તેઓ તેને ઓઘો બતાવવા લાગ્યા.
વજ્રમારે ઓધો લઇ લીધો અને તેનાથી ક્રમનો હસતો નૃત્ય કરવા લાગ્યો. તેણે મુનિ ધનગીરી સાથે બેસી જવાનું નક્કી કર્યું.
દરબારમાં હાજર રહેલા સહુ કોઈ રાજા તથા સુનંદા પણ બાળકની મોજશોખની જિંદગીને બદલે સાધુત્વની દુનિયાની પસંદગી જાણી અચંબામાં પડી ગયા. સુનંદાએ વજ્રકુમારના નિર્ણયને વધાવી લીધો અને સફળતાના આશીર્વાદ આપ્યા. તેણે આનંદ અને ઉત્સાહથી વ્રજકુમારનો દીક્ષા મહોત્સવ ઉજવ્યો. પાછળથી વ્રજકુમાર મોટા આચાર્ય બન્યા.
બોધ: ગમે તે ઉંમરે મનુષ્યનો આત્મા ધર્મના ઉચ્ચ મૂલ્ય તથા શ્રદ્ધા ધરાવવા શક્તિમાન છે.
Page 262 of 307